SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ એમનું નીતિશાસ્ત્ર જ જુદું છે. એ કહે છે કે કરશો તેવું પામશો. કોઈને હણશો, તો તમે હણાશો. કોઈને બચાવશો, તો તમે બચશો. એ કહે છે કે મારે એવા માનવ જોઈએ જે દેવથી પૂજાય ! વિદ્યાધરોથી સેવાય ! મેં મારી જાત તેમને અપર્ણ કરી, ત્યારે ભરતદેવે મને કહ્યું : તમારા આ સુંદર પ્રદેશના તમે સ્વામી છો, અવિચલ રાજ ભોગવો. પણ ભાઈ ! મને તો ભરતદેવની એવી મોહિની લાગી છે કે પુત્રોને રાજ સોંપી તેમની સેવામાં જોડાઈ ગયો છું. વરદામદેવ ! સૂર્ય સામે ધૂળ ઉછાળવા જેવું ન કરશો. ભરતદેવના સુખદ શાસનને સ્વીકારો !' વરદામદેવ એક ક્ષણ સ્તબ્ધ બની ઊભો રહ્યો. બીજી પળે એ માગધદેવને ભેટી પડ્યો. એણે કહ્યું : મિત્ર ! તારું કહેવું સાચું છે. હું ભારતનું શાસન સ્વીકારું છું. ખબર આપો મહારાજને ! માગધદેવ હેતથી વરદામને ભેટી પડ્યો ને અતિહર્ષમાં આવીને કહ્યું : મિત્ર હજો તે તારા જેવા હજો ! હું તરત ભરતદેવને ખબર આપું છું.” ભરતદેવને પ્રવાસમાં ખબર પહોંચાડવામાં આવ્યા. ભરતદેવે કહ્યું : આવા સજ્જનને મિત્ર કરવામાં હું મારી જાતને ધન્ય માનીશ. હું તેમની સમીપે જવા ઇચ્છું છું. મને જોયા વગર, મારા શાસનને સ્વીકારનાર ખરેખર સજ્જન જ હોય.' ભરતદેવે સામે પગલે જવાની તૈયારી કરી, ત્યાં તો વરદામદેવ પોતાના મંત્રીઓ ને શ્રેષ્ઠ નાગરિકો સાથે ત્યાં આવી પહોંચ્યો. આખી સભા વરદામદેવને જોઈ રહી. માગધદેવ અવશ્ય સુંદર હતો, પણ આ તો એનાથી પણ વધુ દર્શનીય હતો. એનો ચહેરો ખીલેલી ચંપાકળી જેવો હસમુખ હતો. એ દીર્ઘદહી હતો, સુવર્ણવર્ણો હતો. એણે ભરતદેવની ભેટ કરતાં કહ્યું “રાજસૂર્ય ભરતદેવ ! ભલે અમે આકાશના વિચરનારા હોઈએ, સમુદ્રના વસનારા હોઈએ, પણ આખરે તો કૂવાના દેડકા છીએ. તમે સુંદર શાસન પ્રવર્તાવ્યું છે. મને દેવનો આજ્ઞાકારી અંતઃપાલ સમારક્ષક નીમો!” ‘વરદામદેવ ! મારું શાસન તમારા જેવા શાણાઓ પર જ નિર્ભર છે. તમે ૮૮ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy