________________
૧૯
ઘર કોનું ?
યશ અને અપયશ જેની જબાન પર બંધાયો છે, એ ભાટના સમુદાયમાં એક દહાડો વાતમાં વાત નીક્ળી. એક જણાએ કહ્યું : “અરે ! દાતાર તો દુનિયામાં વિમળશાહ, બાકી બધી વાતો.
ભાટોએ પૂછ્યું, “એ વિમલ વળી કોણ છે ?
“ગુજરાતનો મંત્રી છે. વિમળ એનું નામ છે. જ્ઞાતે પોરવાડ છે. મૂળ શ્રીમાલનો રહેવાસી છે. એના બાપદ્મા ગુજરાતના ગાંભુ ગામે જઈને વસ્યા હતા. પરાક્ર્મ કરી, એ પાટણનો મંત્રી બન્યો; પાટણથી આવી આબુમાં વસ્યો છે. આ પ્રદેશનો એ દંડનાયક છે. પરમાર રાજાને એણે વશ કર્યો છે. ડહાપણમાં એ હાથી જેવો ને પરાક્ર્મમાં સિંહ જેવો છે. દેશના દુશ્મનોને એણે સૂતા માર્યા છે. પણ એ માત્ર લડવૈયો નથી, એ કલાકાર પણ છેઃ ઘડતર અને ચણતરમાં હોશિયાર છે.”
“વાહ ભાઈ વાહ. આગળ એની તારીફ ?” ભાટોએ પૂછ્યું.
“એણે આબુની તળેટીમાં નમૂનેદર નગર બાંધ્યું છે. ચંદ્રની ચાંદની જેવી એ ઊજળી નગરીનું નામ ચંદ્રાવતી રાખ્યું છે. ચંદ્રાવતી નગરીને જે જુએ એ ૮૨ * મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org