SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ઘર કોનું ? યશ અને અપયશ જેની જબાન પર બંધાયો છે, એ ભાટના સમુદાયમાં એક દહાડો વાતમાં વાત નીક્ળી. એક જણાએ કહ્યું : “અરે ! દાતાર તો દુનિયામાં વિમળશાહ, બાકી બધી વાતો. ભાટોએ પૂછ્યું, “એ વિમલ વળી કોણ છે ? “ગુજરાતનો મંત્રી છે. વિમળ એનું નામ છે. જ્ઞાતે પોરવાડ છે. મૂળ શ્રીમાલનો રહેવાસી છે. એના બાપદ્મા ગુજરાતના ગાંભુ ગામે જઈને વસ્યા હતા. પરાક્ર્મ કરી, એ પાટણનો મંત્રી બન્યો; પાટણથી આવી આબુમાં વસ્યો છે. આ પ્રદેશનો એ દંડનાયક છે. પરમાર રાજાને એણે વશ કર્યો છે. ડહાપણમાં એ હાથી જેવો ને પરાક્ર્મમાં સિંહ જેવો છે. દેશના દુશ્મનોને એણે સૂતા માર્યા છે. પણ એ માત્ર લડવૈયો નથી, એ કલાકાર પણ છેઃ ઘડતર અને ચણતરમાં હોશિયાર છે.” “વાહ ભાઈ વાહ. આગળ એની તારીફ ?” ભાટોએ પૂછ્યું. “એણે આબુની તળેટીમાં નમૂનેદર નગર બાંધ્યું છે. ચંદ્રની ચાંદની જેવી એ ઊજળી નગરીનું નામ ચંદ્રાવતી રાખ્યું છે. ચંદ્રાવતી નગરીને જે જુએ એ ૮૨ * મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy