________________
પરણવા જાય છે તેનું દૃશ્ય ઉતાર્યું હતું, તેમાં વધ કરવા પૂરેલાં પ્રાણીઓના પોકાર સાંભળીને ફરતા નેમિનાથનું હૃદયભેદક ચિત્ર સહુના દિલમાં સોંસરુંઊતરી જતું હતું.
“અને સ્વામી ! રાજા મેઘરથ અને સીંચાણાની વાત પણ આલેખાવો. પ્રેમ અને અહિંસાની પરાકાષ્ઠા તો જુઓ ! આત્માની સમદૃષ્ટિ તો નીરખો ! એક કબૂતરના જીવને પોતાના જીવસમાન લેખવ્યો, ને એને બચાવવા પોતાના દેહનું બલિદાન આપ્યું.”
“સરસ છે ભાવપ્રસંગ ! જે જોશે ને જે વિચારશે એનું સદ્ય લ્યાણ કરશે. સાધે પથ્થર માણસને જલનિધિમાં ડુબાડે; આ કલામય પથ્થર માણસને ભવનિધિથી તારે !”શ્રીદેવી બોલી, શિલ્પીઓએ એ પ્રસંગને આખો ને આખો ઉતારી લીધો.
“સાથે-સાથે શ્રીકૃષ્ણની કથા પણ આલેખજો. # જેવા બળવાન રાજાને કૃષ્ણ જેવા બાળકે કેવી રીતે હરાવ્યા ? અભિમાનનો પહાડ કેવી રીતે ઊખડી ગયો ? સરસ કથા છે.” નીતિ ને અનીતિનું એ દૃષ્ટાંત છે.
અને નરસિંહ અવતારની કથા પણ ગર્વિષ્ઠ લોકો માટે ભારે બોધદાયક છે. દાનવ હરિણ્યકશિપુને ફાંકો હતો કે એને કોણ મારે ? પણ દુનિયામાં શેરને માથે સવાશેર હોય જ છે.”
“અને ભક્તિ માટે પ્રલાદનો ભાવપ્રસંગ આલેખજો ! ભક્ત તો પ્રહ્નાદ; ભક્તિ તો પ્રલાદની; બીજી બધી વાતો !” શ્રીદેવીએ કહ્યું.
આમ ચઢતા ભાવે મંદિરનું નિર્માણ થતું ચાલ્યું.
વર્ષ મહિના જેવાં થઈ ગયાં, ને મહિના દિવસ જેવા બની ગયા. પણ કોઈ થાક્યું નહિ, કોઈ કંટાળ્યું નહિ, કોઈની ધીરજ ખૂટી નહિ.
ગોખલે ગાખલે ને થાંભલે થાંભલે શિલ્પના અદ્ભુત શણગાર સજાયા. નાચતી પૂતળીઓ ને ગાતી શિલ્પાકૃતિઓમાં જાણે જીવ મૂક્યો જ બાકી છે.
ધીરે-ધીરે મંદિર તૈયાર થયું. લોકેએ એનું નામ “વિમલવસહી' રાખ્યું.
કલાપ્રિય કિર્તિધરે પોતાની આંખે જે કાંઈ જોયું હતું, તે બધું જ આ મંદિરની શ્વેતરણીમાં ઉતારી દીધું. ચૌદ વર્ષની અખંડ તપશ્ચર્યા બાદ એક અજોડ મંદિર તૈયાર થયું. વિમળશાહે અપર્વ ઉત્સવ કરી યુગાદિ દેવની સ્થાપના કરી. ધર્તિધરે હથિયારો દેવચરણે મૂક કેવળ નિવૃત્તિમાં રહેવાની પ્રતિજ્ઞા લીધી.* * વિ.સં. ૧૦૮૮માં મંદિર તૈયાર થયું. સાડા અઢાર કરોડનું ખર્ચ થયું.
આરસને આત્મા મળ્યો છે ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org