________________
પડે છે, એ વખતે અગર લેઈ મન અને દેહને ભાંગી પડતાં ટકાવી રાખે છે તો તે માત્ર ધર્મ; નહિ તો આત્મહત્યાનું પાતક વહોરવું પડે છે. રાજકારણના જખમ આવા છે, ને એક વાર જખમ થયા પછી એમાં મીઠું જ ભભરાવાય છે. એમાં કંઈ મલમ લગાડે તો કેવળ ધર્મ જ !
વિમલ મંત્રીનાં હૃદયદ્વાર ખૂલી ગયાં : જીત ! વિજય ! અપરંપાર વિજય ! એનો હિસાબ જ નહિ, પણ જાણે બધું જ માયાવી ! આખી બાજી જીતીને હારી ગયા !
વિમલ મંત્રી જૂની ઘટનાઓ યાદ કરી-કરીને વર્ણવી રહ્યા : “ગુરુદેવ ! એકલવ્યની જેમ વગર ગુરુએ વિદ્યા હાંસલ કરી અને ધનુર્વિદ્યામાં અજોડ બન્યો. આખા પાટણપુરના બાણાવળીઓ એકઠા થયા હતા. મહાચજ ભીમદેવે બાણવિદ્યાની પરીક્ષા યોજી હતી. હું તો હજી સાવ નવજુવાન હતો.
અને ધનુર્વિદ્યામાં મેં બધા ગુર્જરવીરોનાં માન મુકવ્યાં ! વલોણું ફેરવતી સુંદરીના કાનની ઝબૂકતી કાલ વધી બતાવી ને એવા-એવા કંઈક પ્રયોગો કરીને રાજ્યમાં માન મેળવ્યું, અને દંડનાયક પદ હાંસલ કર્યું.”
આચાર્યશ્રી મહામંત્રીની વાતને સાંભળી રહ્યા. એ ધસમસતા વિચારપ્રવાહને રોક્વા ઇચ્છતા નહોતા.
વિમલ મંત્રીની વાધારા આગળ ચાલી : “આ એક જીતને ઝાંખી પાડે તેવી બીજી જીત ! સાહસને સદ્ય છાતી સાથે દાબેલું રાખ્યું. એક ઘડીનો પણ પ્રમાદ ન કર્યો. એક દહાડો પાંજરામાં આણેલો નવો વાઘ છુટી ગયો. યમને જોઈ જીવ ભાગે, એમ બધા વીરો ઘરમાં પુરાઈ ગયા. એ વખતે હું આગળ ધસ્યો. વાઘને બાથમાં લઈને ધબી દીધો ને ગાયને વાડામાં પૂરે એમ પાંજરામાં પૂર્યો ! જીત ! વિજય ! વિજય તે ક્વો ? મારી વિરતાનાં ગીત ગરબે ગવાયાં.”
“મંત્રીશ્વર ! દુનિયા તો પરણે તેનાં ગીત ગાનારી છે !' આચાર્યશ્રીએ સમિત કહ્યાં.
વિમળશાહ તો પોતાની કથની કહેવાના આવેગમાં હતા. સંસારમાં સર્વથી છૂપું રખાય, પણ ગુરુથી કંઈ ન છૂપાવાય, એ નીતિસૂત્રમાં એ માનનારા હતા. એ આગળ બોલ્યા : “અરે, એ વિજયને ભુલાવે એવો એથી અધિકે
તરસ્યાને પાણી ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org