________________
alkan ཇཔར་པ
૧૨
તરસ્યાને પાણી
આચાર્ય ધર્મઘોષસૂરિનો ઉપદેશ અજબ હતો. છેલ્લા વખતથી વિચારવમળમાં પડેલા વિમળશાહ ઉપર એની ખૂબ અસર થઈ. આચાર્યશ્રીએ રાજકારણને મારીનો કરંડિયો કહ્યો.
કરંડિયામાંથી કયે કાળે શું નીકળશે, એ કંઈ ન કહેવાય. એમાંથી સાપ પણ નીકળે, ધો પણ નીકળે ને રાખોડી રંગનું બૂતર પણ પાંખ ફફડાવતું નીકળે ! સાપ બીવડાવે, ઘો ગભરાવે ને કબૂતર શાંતિના સમીર પણ લહેરાવે. બધું પરિસ્થિતિ પર નિર્ભર.
એટલે રાગ એ સમયધર્મ છે અને ધર્મરંગ એ સનાતન ધર્મ છે.
રાજકારણ ગમે તેવાને એક ને એક દિવસ શ્રમિત કરે છે. રામરાજ્યના સ્થાપક શ્રીરામને પણ આખરે દેહને સરયૂમાં વિસર્જન કરવો પડ્યો હતો; રાવ દુર્ગાદાસને આખરે માલેશ્વરનો આશરો લેવો પડ્યો હતો; પાંડવોને હિમાલય ગાળવો પડ્યો, એ સુવિદિત બીના છે.
શ્રમ જ્યાં નિરર્થક નીવડે છે, અને એક મોટા મનખેદ સાથે વિસર્જન થવું
૪૪ * મંત્રીશ્વર વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org