SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે ગભરાયો. એનું અભિમાન શત્રુ સન્મુખ આવતાં ગળી ગયું. એ બચવાનો ઉપાય શોધવા લાગ્યો. બીજા દિવસનું પ્રભાત થયું. વિમળશાહનું સૈન્ય લડાઈ માટે કૂચ કરતું ચઢ્યું, પણ જુએ છે તો દરવાજા ઉઘાડા ! ન મળે શત્રુનું સૈન્ય કે ન મળે હાથી ઘોડા ! વિમળશાહને લાગ્યું કે અવશ્ય કોઈ કાવતરું રચાયું લાગે છે. કદાચ સૈન્યને નગરમાં ફસાવી હલ્લો કરવાનો ઇરાદો તો નહીં હોય ? સૌ થોડી વાર દરવાજા બહાર સાવચેતીથી ઊભા રહ્યા, પણ શી હિલચાલ ન જણાઈ. વિમળશાહ ચુનંદા સવારો સાથે દરવાજામાં દાખલ થયા. ચોતરફ જોતા જાય, પણ બધું સૂનસુનાકાર ! ક્યાંય યુદ્ધની તૈયારી નહિ ! વિમળશાહે સૈન્યને આગળ વધાર્યું; રાજમહેલ પાસે આવ્યા. ત્યાં સરઘરોનું ટોળું ઊભું હતું. સૌએ વિમળશાહને જોતાં હથિયારો નમાવી દીધાં ને ઘોડા આગળ ઢગલો કરી દીધો. તપાસ કરતાં જણાયું કે રાજા ધંધુક ડરીને બહાર નાસી ગયો છે. એક પણ લોહીનું બિંદુ પાડ્યા વગર ચંદ્રાવતી સર થઈ ! વિમળશાહે મહારાજા ભીમદેવની જય બોલાવી; સોલંકી રાજનો વાવટો ગઢ ઉપર ફરકાવ્યો. ગમે તેમ હોય પણ વિમળશાહની નસોમાં વફાદારીનું લોહી વહેતું હતું. મહારાજા ભીમદેવનો એ સાચો સેવક હતો. માન કે અપમાન તો સંધ્યાના રંગો જેવા છે. એ ખાતર વીર પુરુષ પોતાની ટેક કેમ છોડે ? મહારાજા ભીમદેવે વિમળશાહના સૈન્યમાં ગુપ્તચરો મૂકેલા. એમણે આ સમાચાર પાટણ પહોંચાડ્યા. આ બધી વાતો સાંભળી મહારાજા ભીમદેવની નજર સામેથી ખોટા ખ્યાલના પડા હઠી ગયા. એમને વિમળશાહનું વફાદારીભર્યું સાચું સ્વરૂપ સમજાયું. અને આથી મહારાજા ભીમદેવે વિમળશાહને ચંદ્રાવતીના દંડનાયક તરીકેનું આજ્ઞાપત્ર તેમજ પોશાક વગેરે ભેટ મોકલાવ્યાં, તેમનાં કાર્યોની ખૂબ પ્રશંસા કરી અને પાટણમાં પણ એક વખત જરૂર આવી જવા લખ્યું. ૪૨ ૭ મંત્રીશ્વર વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004515
Book TitleMantrishwara Vimal
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy