________________
કિમી JAD, દલડN
IT
૧૧
વિયયાત્રા આબુરાજની શીતળ છાયામાં પૂર્વ દિશાની તળેટીએ ચંદ્રાવતી વસેલું હતું. ચંદ્રાવતી એ વખતે અલબેલું નગર હતું. એનો વિસ્તાર બહુ મોટો હતો. વેપાર ધમધોકાર ચાલતો હતો અને ધનાઢ્ય વેપારીઓ ત્યાં વસતા હતા. અહીં ધંધુક નામનો રાજા રાજ્ય કરતો હતો.
માળવાના રાજા ભોજ સાથેની મિત્રતાને લીધે એ અભિમાની બની ગયો હતો. સામાન્ય રાજાઓને તો એ લેખામાં જ ન લેતો.
વિમળશાહની સેનાએ ચંદ્રાવતી નજીક પડાવ નાંખ્યો. ગુપ્તચરોએ ધંધુકરાજને ખબર પહોંચાડી કે સિંહ જેવી ગર્જના કરતો વિમળશાહ આવી રહૃાો છે.
ધંધુકરાજના સૈન્યમાં વિમળશાહ આવવાની વાતથી નિરાશા ફેલાણી. સૌ સમજતા હતા કે વિમળશાહની સાથે લડવું એ રમત નથી.
ધંધુકરાજ પોતે પણ વિચારમાં પડી ગયો કે હવે શું કરવું ? | વિમળશાહનાં નિશાનડલ ગઢની બહાર ગડગડવા લાગ્યાં. ધંધુકરજ
વિજયયાત્રા ૪૧
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only