SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત કહ્યું છે કે-જીવપ્રદેશે સંકેચાય છે, ને ફેલાય છે. કેવલી સમુદ્રઘાત સમયે તે સર્વલોકમાં ફેલાય છે. પછી ઋજુતાદિનું સ્વરૂપ તથા વકતાદિની બીના, અને મૂલ પદના નિક્ષેપા જણાવ્યા છે. પછી કહ્યું છે કે, “જ્યાં સંસાર છે, ત્યાં જ કર્મ સત્તા છે; કર્મોનું મૂલ મોહનીય અથવા ભોગતૃષ્ણ છે. તેથી ભવભ્રમણ થાય છે. મેહના બે ભેદ છે. કર્મબંધમાં કષાયોની મુખ્ય કારણતા છે. કષાયોને ઉપજવાનાં જુદા જુદા સ્થાન (કારણે) છે. 'પછી કષાયના નિક્ષેપા, સંસારના પાંચ ભેદ, અને નામ કમ, સ્થાપના કર્મ, દ્રવ્ય કર્મ વગેરે ૧૦ પ્રકારે કર્મપદના નિક્ષેપાનું સ્વરૂપ જણાવી, વર્ગણાનું સ્વરૂપ તથા કર્મબંધના પ્રકૃતિ બંધ વગેરે ચાર ભેદ પણ કહ્યા છે. અહીં આઠ કર્મોની પણ બીના ટૂંકામાં જણાવી છે. પછી પ્રમાદ, મમતાની બીના કહેવાના પ્રસંગે પરશુ, ચાણકય, જરાસંધુનાં દૃષ્ટાંતો જણાવી ફરમાવ્યું છે કે વૈરાગ્યભાવે સ્વજનેના સંબંધનો ત્યાગ કરવાથી કષાય, કર્મબંધ, તથા ભવભ્રમણને જરૂર નાશ થાય છે. વારંવાર સ્નેહઆસક્તિભાવ રાખનાર છે, જન્મ મરણ પામે છે. ઘડપણમાં ઈદ્રિયો શિથિલ બને છે. આ પ્રસંગે ઇદ્રિનું સ્વરૂપ જણાવી ચેતવણી આપી છે કે ઘડપણમાં લેકના તિરસ્કાર સહેવા પડે છે. આ પ્રસંગને અનુસરતાં જ જરૂરી દૃષ્ટાંત, અપ્રમાદનું સ્વરૂપ, સંસારમાં રાગી જીવનું સ્વરૂપ કહીને ઘડપણ આદિ પ્રસંગે ધનથી રક્ષણ થતું નથી વગેરે જણાવ્યું. જેઓ એમ જાણે કે સુખ એ પુણ્યનું ફલ છે, ને દુ:ખ એ પાપનું લ છે તેઓ સુખના પ્રસંગે તેરી બનતા નથી, ને દુ:ખના સમયે ગભરાતા નથી. જુવાનીમાં ધર્મારાધન કરવા ઉદ્યમવંત થવું જોઈએ, ઈદ્રિયની સશક્ત દશામાં જ આત્માર્થ સાધી શકાય છે, વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આ બીજા અધ્યયનમાં મુખ્યતાએ મુનિવરેના કલ્યાણને લક્ષ્યમાં લઈને સૂત્રકાર ભગવંતે જણાવ્યું છે કે સાચા મુનિઓ માતા પિતા સ્ત્રી પુત્રાદિમાં મેહ ન રાખે, શબ્દાદિ ભોગનાં સાધનોને સેવવાની ભાવના પણ ન કરે. એ વિસ્તારથી સમજાવી ગોચર ગ્રહણ કરવાનો વિધિ કહ્યો છે. છેવટે એ પણ કહી દીધું છે કે મુનિએ ધનવંતની ઉપર રાગ અને નિર્ધનની ઉપર અરૂચિભાવ તજીને મધ્યસ્થભાવે ધર્મોપદેશ દેવો જોઈએ. આ હકીકત સમજાવતાં અહી પહેલા ઉદ્દેશામાં મુનિને કર્મબંધનાં કષાય, વિષય, વગેરે કારણેથી બચવાની સ્પષ્ટ ભલામણ કરી છે. આમાંથી આત્માથી ભવ્ય જીવોને ખાસ યાદ રાખવા જેવી અપૂર્વ શિખામણ એ મળે છે કે બિનજરૂરી વિચાર કરવાથી, બોલવાથી ને કાયિક પ્રવૃત્તિ કરવાથી ને જોવાથી તથા સાંભળવાથી મન જરૂર અસ્થિર બને છે, ને બહુ જ ચીકણાં કર્મો બંધાય છે, માટે મુનિઓ આચાર, વિચાર, ઉચ્ચાર, શ્રવણ, દાનાદિની સાર્થકતા તરફ બહુ જ કાળજી રાખીને સંયમની સાધના કરે, તે જ સ્વપતારક બની શકે. આ રીતે બીજા લોકવિજય અધ્યયનના પહેલા ઉદેશાને ટૂંક પરિચય જાણો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy