SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી જેમ શ્રી સ્થાનાંગનાં યંત્રો રચ્યાં, તેમ આ શ્રીભગવતીજીનાં પણ યંત્ર બનાવ્યાં છે. આ સૂત્રને અંગે મેં પ્રશ્નોત્તરપ્રબોધમાં જરૂરી બીના આ પ્રમાણે ટૂંકામાં જણાવી છે:-૧ સર્વાનુગામય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ૪૧ શતકે છેબીજા ગ્રંથોના અમુક ભાગનું નામ જેમ અધ્યયન, પ્રકાશ, સર્ગ, અધ્યાય, પ્રતિપત્તિ વગેરે જણાવ્યું છે, તેમ અહીં આ સત્રના ૪૧ શતક એટલે ભાગ જાણવા. તે દરેક શતકમાં અમુક પ્રમાણમાં દ્રવ્યાનુયેગાદિને લગતા પ્રશ્નો વગેરે હકીકત જણાવી છે. ૨. મૂલ સૂત્રના કર્તા શ્રી સુધર્માસ્વામી. તેનું પ્રમાણ ૧૫૭૫ શ્લોક છે. ૩ ચૂણિનું પ્રમાણ ૩૧૧૪ શ્લોક છે. ૪ અવસૂરિની નકલ પાટણના ભંડારમાં છે. તેનું પ્રમાણ જણાવ્યું નથી. ૫ ટકા બે છે, એક ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે પાટણમાં વિ. સં. ૧૧૨૮માં ૧૮૬૧૬ શ્લોક પ્રમાણુ બનાવી. અને બીજી લધુ ટીકા શ્રી દાનશેખરસૂરિ મહારાજે અંદાજે ૯૦૦૦ શ્લોક પ્રમાણ બનાવી. તે બંને ટીકા શ્રીઆગોદય સમિતિ આદિ સંસ્થાઓએ છપાવી છે, જુદા જુદા પ્રસંગે ચારે અનુયાગની બીના આ શ્રી ભગવતી સૂત્રમાં જણાવી છે, માટે તે સર્વાનુગમય ખુશીથી કહી શકાય, છઠ્ઠા શ્રી જ્ઞાતાધમકથાગની ટીકા આદિની બીના છે મૂલ સત્રના કર્તા શ્રીસુધર્માસ્વામી છે. હાલ આ સૂત્રનું પ્રમાણ પ૪૦૦ શ્લોક છે. આ સત્રના બે શ્રતસ્કંધ છે. સુત્રને વિશિષ્ટ વિભાગ શ્રુતસ્કંધ કહેવાય છે. અથવા અધ્યયન-વર્ગાદિને જે સમુદાય તે શ્રુતસ્કંધ કહેવાય. પહેલા મુતસ્કંધમાં ઉક્ષિપ્ત અધ્યયન વગેરે ૧૯ અધ્યયને છે, ને બીજા શ્રુતસ્કંધમાં ૧૦ વર્ગ છે. વર્ગ એટલે અર્થાધિકારના સમૂહરૂપ અધ્યયન એમ ટીકાકારે સ્પષ્ટ ખુલાસે કર્યો છે. પહેલા શ્રુતસ્કંધનાં ૧૯ અધ્યયનમાં પહેલાં દશ અધ્યયનમાં આખ્યાયિકા વગેરે નથી, તેથી “જ્ઞાત કહેવાય છે. બાકીનાં નવ અધ્યયનમાંના દરેક અધ્યયનમાં ૫૪૦-૫૪૦ આખ્યાયિકાઓ છે. એક આખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ હતી. અને એકેક ઉપાખ્યાયિકામાં પ૦૦-૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકાઓ પહેલાં હતી. આ બધાંનો કુલ સરવાળે ૧ અબજ, ર૧ કરોડ, ૫૦ લાખ આખ્યાયિક પાખ્યાયિકાઓ થાય છે. ધર્મકથા નામના બીજા પ્રતસ્કંધના દશ વર્ગોમાંના એકેક વર્ગમાં પહેલાં પાંચ આખ્યાયિકા હતી, ને એકેક આખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપાખ્યાયિકા અને તે દરેક ઉપાખ્યાયિકાઓમાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકપાખ્યાયિકાએ હતી. આ બધી આખ્યાયિકેપાખ્યાયિકાઓની કુલ સંખ્યા એક અબજ, પચીશ કરેહ થાય. પહેલા મુતસ્કંધના અગીઆરમા અધ્યયનથી માંડીને ૧૯ મા અધ્યયન સુધીનાં નવ અધ્યયનમાં જણાવેલા આખ્યાયિકાદિના લક્ષણ સરખાં છે, તેથી એક અબજ પચીશ કરેડમાંથી, એક અબજ સાડી એકવીસ કરેડ બાદ કરીને સાડા ત્રણ કરેહ આખ્યાયિકાઓ જણાવી છે. હાલ ઘણે ભાગ વિષેદ પામે, તેથી હાલ આ સત્રમાં આખ્યાયિકાદ જણાતાં નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy