SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત નાસૂત્રની ને ૧૩૩ મા સૂત્રમાં રાજપ્રશ્નીય ઉપાંગની ભલામણ કરી છે. તે વખતે તે અનુયાગદ્વારાદિ હયાત હતાં. માટે ભગવતીસૂત્રમાં અનુયાગદ્વાર વગેરેનાં નામ વગેરે આવે તે આ રીતે ઘટી શકે છે. શ્રી ભગવતીસૂત્રના નિયુÖક્તિ, ભાષ્ય જાણવામાં નથી, એની ઉપર એક ચૂર્ણિ`રચાચ છે. વૃત્તિ-સૂત્રના અર્શી વિસ્તારથી સમજવા માટે પરમ સાધન વૃત્તિ છે. તેનાં ટીકા, વિવરણ, વ્યાખ્યા વગેરે નામેા પણ સુપ્રસિદ્ધ છે. હાલ વિદ્યમાન ટીકાની પહેલાં શ્રીંગ ધહસ્તિ મહારાજે રચેલી ટીકા વિચ્છેદ્ર પામી. તેથી શ્રીઅભયદેવસૂરિ મહારાજે વિસં ૧૧૨૮માં નવી ટીકા રચી, તેમાં શરૂઆતના ત્રીજા પદ્યમાં ટીકાકાર જણાવે છે કે હું મારી પૂર્વે રચાયેલ ચૂર્ણિ, લઘુ ટીકા, જીવાભિગમસૂત્ર વગેરે આગમાની વૃત્તિ વગેરેના જરૂરી વિભાગાને વિચારીને આ શ્રી ભગવતી સૂત્રની સ્પષ્ટ ટીકા મનાવું છું. તેમજ પ્રશસ્તિમાં કહ્યું છે કે, આ ટીકા બનાવવામાં યશશ્ચંદ્ર ગણિની સહાય છે, અને દ્રોણાચાર્યે આ ટીકા સુધારી છે. પ્રસિદ્ધ ટીકાકાર શ્રી મલયગર મહારાજે આ શ્રી ભગવતી સુત્રના બીજા શતકની ટીકા બનાવી છે. સંભવ છે કે બાકીની ટીકાના ભાગ વિચ્છેદ્ધ પામ્યા હાય. અથવા આયુષ્યના અંત થવા વગેરે કારણેામાંના કોઇ પણ કારણથી વૃત્તિની રચના કદાચ અધૂરી રહી હોય. કારણ કે આવા સરસ્વતીના વરદાનવાળા મહાસમ ટીકાકાર એકલા બીજા શતકની જ ટીકા રચે, ને બીજા શતકાની ટીકા ન ર એવુ અને જ નહિ. તેમણે અહંકલ્પસૂત્રની પીઠિકાની ટીકા મનાવી, તે અધૂરા શેષ ભાગની શ્રીક્ષેમકીતિ સૂરિએ ટીકા (સુખાવષેાધા ટીકા) રચી. આ બાબતમાં કેટલાએક વિદ્વાના માને છે કે કદાચ આયુષ્યના અંત આવવાથી જેમ બૃહ્રકલ્પની ટીકા અધૂરી રહી, તેમ શ્રીભગવતીની ટીકા પણ અધૂરી રહી ગઈ હોય. આ અ ંગસૂત્ર, અભદેસૂરિની ટીકા, રામચંદ્ર ગણિકૃત સંસ્કૃત અનુવાદ, મેઘરાજ કૃત ગુજરાતી ખાલાવબેાધ સાથે વિત સંo ૧૯૩૮માં બાબુ ધનપતસિહ અહાદુરે છપાવ્યું હતું. આગમાય સમિતિએ વૃત્તિ સાથે મૂળના ત્રણ ભાગ, ક્રમસર વિo સં૦ ૧૯૭૪, ૧૯૯૫ ને ૯૦૧૭માં છપાવ્યા હતા. ઋષભદેવ કેશરીમલજીની પેઢી (રતલામ) તરફથી વિ॰ સ૦ ૧૯૯૭માં ૧ થી ૭ શતક સુધીને ભાગ, તેના વિષયાનુક્રમ સાથે છપાયેા છે. તથા આ જ સંસ્થાએ આ શ્રીભગવતી સૂત્રની શ્રીદાનરોખરસૂરિએ રચેલી લઘુ ટીકા, મૂળના પ્રતીક ભાગ ગાઠવીને વિ૰ સ૦ ૧૯૯૧માં છપાવી છે. તથા આ અંગેની અરિની એક પ્રત ભાંડારકર પ્રાવિદ્યા સંશાધન મદિરમાં છે. તે છપાઈ નથી. આ સૂત્રના ગુજરાતી અનુવાદ ચાર ભાગમાં શ્રી જિનાગમ પ્રકાશક સભા તરફથી છપાયા છે. તથા હીરાલાલ હંસરાજ તરફથી પણ પ્રતાકારે છપાયેા છે. શુબ્રિગેDie Jainas Relgionsgesch, Lesebuchમાં આ અંગસૂત્રના અમુક ભાગાના જન ભાષામાં અનુવાદ કર્યાં છે. હ`લે પદમા ગાશાલ શતકના અંગ્રેજી અનુવાદ લખ્યા છે. ર૭ સૂત્રેાના ગુજરાતી આલાવઐાધ રચનાર શ્રી ધર્મસિંહે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy