SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત તીર્થંકરના તીસ્થાપનાકાલે ગણધરો પાતાના આચાર છે, એમ સમજીને દ્વાદશાંગીની રચના જરૂર કરે જ એવા નિયમ છે. ના બારે અંગાની પુરૂષનાં અંગેની સાથે સરખામણી શ્રીદૃષ્ય ગણિજીના શિષ્ય શ્રી દેવવાચક મહારાજે રચેલા શ્રી નંદીસૂત્રની ચૂર્ણિ વગેરેમાં શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગીને પુરૂષનાં અંગાની સાથે આ રીતે સરખાવી છે: ૨૪ શ્રીઆચારાંગસૂત્ર અને શ્રીસૂત્રકૃતાંગસૂત્ર એ શ્રુતરૂપ પુરૂષના પગ છે, અને શ્રીસ્થાનાંગસૂત્ર તથા શ્રીસમવાયાંગસૂત્ર આ છે તેની જ ઘાસ્થાને સમજવાં, પગની ઘુંટીથી ઘુંટણ સુધીના ભાગ જઘા કહેવાય. તથા શ્રીભગવતીસૂત્ર અને જ્ઞાતાધ કથાંગસૂત્ર એ શ્રુતપુરૂષના જાંઘ (ઊરૂ)ને સ્થાને જાણવાં. તેમજ શ્રીઉપાસકદશાંગસૂત્ર અને શ્રી અંતકૃદ્દેશાંગસૂત્ર આ બે પીઠ અને ઉદરસ્થાને જાણવાં. વળી શ્રીઅનુત્તરપપાતિકદશાંગસૂત્ર અને શ્રીપ્રીવ્યાકરણ તે બે હાથ, અને શ્રીવિપાકસૂત્ર ડાક અને બારમું અંગ શ્રીદ્રષ્ટિવાદ એ શ્રુતરૂપ પુરૂષનું મસ્તક સમજવું. આ રીતે શ્રુતપુરૂષની ટૂંક ભીના જણાવી. હવે શ્રી આચારાંગસૂત્ર વગેરે મારે અગાના અર્થને સમજાવનાર નિયુક્તિ વગેરે પ્રાકૃતાદિ ગ્રંથાના પ્રમાણ વગેરેની હકીકત ખાસ જાણવા જેવી હાવાથી ટૂંકામાં જણાવું છું:— ॥ શ્રી આચારાંગસૂત્રની નિયુકિત વગેરેની મીના ॥ ૧ મૂલ સૂત્રમાં મુનિઓના આચારનું વર્ણન વધારે પ્રમાણમાં હોવાથી આચારાંગ કહેવાય. બીજી રીતે એ પણ અથ થઈ શકે કે-આચારને જણાવનાર જે અંગ, તે આચારાંગ કહેવાય. આ જ મુદ્દાથી નિયુક્તિમાં આચારપદના નિક્ષેપા વગેરેની હકીકત જણાવી છે. નિયુક્તિની સયંમનેમઙ્ગો-બડ્ડારસ યસસ્લિમો વેલો દૈ ય સપંચો નટુનટુતરો વયમેળ ।।!! આ અગીઆરસી ગાથામાં લેવ” શબ્દ જણાવ્યા છે. તેથી સમજાય છે કે આચારાંગનું મોજું નામ “વેદ” છે. તત્ત્વજ્ઞાનના પિપાસુ આત્માએ જેથી હેય અને ઉપાય પદાર્થાને જાણે, તે વેદ કહેવાય. ત્યાગ કરવા લાયક વિષય વગેરે હેય કહેવાય, તે ગ્રહણ કરવા લાયક અહિંસા સંયમ તપ વગેરે પદાર્થો ઉપાદેય કહેવાય. તે અને પદાર્થોનુ ં સ્વરૂપ આ સૂત્રમાં હોવાથી “લેવ” નામ પણ ઘટી શકે છે. પહેલા શ્રુતસ્કંધ નવ બ્રહ્મચર્યં અધ્યયન રૂપે છે, તેનાં અઢાર હજાર પા રચના કાલે હતાં. આ સૂત્રની પાંચ ચૂલિકાઓ છે. તે આ પ્રમાણે. ૧ પિંડૈષણા, ૨ શય્યા, ૩ ઇર્ષ્યા, ૪ ભાષાજાત, ૫ વસ્ત્રષણા, ૬ પાત્રૈષણા, ૭ અવગ્રહુપ્રતિમાધ્યયન. આ સાત અધ્યયનાના સમુદાયરૂપ પહેલી ચૂલિકા. ૬ સપ્તસત્રૈકકા (સત્તસત્તિયા) નામની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy