SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિર્ણાવતી ભેદ (જુદી જુદી પ્રરૂપણા) છે જ નહિ. આ જ પ્રણાલિકાના વિરહથી અન્ય દર્શનકારાને નિરૂપાયે કહેવુ પડયું કે— श्रुतिविभिन्ना स्मृतयोऽपि भिन्ना, नौ को मुनिर्यस्य वचः प्रमाणं । धर्मस्य तत्त्वं निहितं गुहायां-महाजनो येन गतः स पन्थाः ॥ १ ॥ અ”—પદ્મા તત્ત્વનું સ્વરૂપ જણાવવામાં શ્રુતિ કંઇ કહે છે. ત્યારે સ્મૃતિ કઈ જુદું જ વર્ણન કરે છે. આ રીતે શ્રુતિ અને સ્મૃતિનાં વચના અલગ અલગ હોવાથી અને જુદાં પડે છે, તેમજ જેનું વચન પ્રમાણભૂત ગણાય, તેવા મુનિ એક પણ દેખાતા નથી. કારણ કે દરેક મુનિનાં વચના જુદાં જુદાં જણાય છે. અરે ! એક મુનિનાં પણ વચના પૂર્વાપવિધિ (એક જ ગ્રંથમાં પહેલાં જે કહ્યું હોય તેનાથી વિરૂદ્ધ) જણાય છે, તેથી એમ માલુમ પડે છે કે, ધર્માનું ખરૂ’રહસ્ય ગુફ્રામાં પેસી ગયુ.. માટે મેટા પુરૂષો જે રસ્તે ચાલ્યા, તે રસ્તે જવું વ્યાજબી છે. ૧૩ કેટલાક સમય વીત્યા બાદ સૂત્રાશયષયક ( સૂત્રાની બાબતમાં) વિસ્મરણ વગેરે કારણેાથી વાચનાભેદ થયા. આ વાત ટૂંકામાં શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયે બનાવેલી શ્રી જમૂદ્રીપપ્રજ્ઞપ્તિ ટીકામાં જણાવી છે. તેમજ પરોપકાર રીણ આચાર્ય શ્રીમલયગિરિ મહારાજાએ પણ શ્રી જ્યાતિષ્કર’ડક નામના પ્રકીર્ણાંકની વૃત્તિમાં કહ્યુ છે કે જેનેન્દ્ર શાસનભાવી શ્રી સ્કલિાચા ના સમયમાં પાંચમા દુ:ષમ આરાના પ્રતાપે દુભિક્ષકાલ પ્રવાઁ, તેથી સાધુસમુદાયમાં સિદ્ધાંતવાચનાદિ પ્રવૃત્તિ મંદ થવા લાગી, દુષ્કાલ વીત્યા માદ સુભિક્ષકાલ સમયે ( સુકાળમાં ) ૧ વલ્લભીપુર (વળા) તથા ૨ મથુરા આ બે સ્થલે સંઘ ભેગા થયા. તેમાં સૂત્રાની સખ્યાજનાના સમયે અતીત દુષ્કાલના પ્રતાપે સૂત્રાની વિસ્મૃતિ થએલી હાવાથી વાચનાભેદ થયા. એટલે વલ્લભી વાચના અને માધુરી વાચના શરૂ થઈ. તે અવસરે સંસારમાં અનંતકાલ સુધી ભ્રમણ કરાવનારી શ્રીપ્રવચનની આશાતનાથી ભય પામનાર કદાગ્રહરહિત તથા અવધિજ્ઞાનાદિ પ્રત્યક્ષ જ્ઞાનરહિત અને તે જ હેતુથી અમુક જ વાચનાપાઠ સાચા છે એવા નિશ્ચય કરવા અશકય જાણનાર સ’ઘનાયક પૂજ્યપાદ શ્રી ધ્રુવ ર્માણ-ક્ષમાશ્રમણ મહારાજા વગેરે આચાર્ય મહારાજાઆએ તે વાચનાઓના પાઠો પરસ્પર વિસંવાદપણે મરણને અનુસારે તદવસ્થ જ ( જેવા પાઠ યાદ હતા તેવા ) પુસ્તકારૂઢ કર્યાં. તેથી આજ સુધી પણ તે જ પદ્ધતિ તવસ્થ ભાવે ( તેવાજ રૂપમાં) દેખાય છે. તેમાં છેવટે “આ એ અમાં સાચા અથ કર્યા ? તે કેવલી ભગવંતા જાણે ” એવા ઉલ્લેખ (નિર્દેશ) ક્રૅખાય છે. ( આ શ્રીજિનેશ્વરદેવે કહેલાં પ્રવચનામાં અશ્વની અપેક્ષાએ પ્રાયે ફેરફાર કે જુદાઈ હોય જ નહિ. પણ શબ્દરચના તા જૂદી જૂદી હોય જ. કારણ કે દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy