SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપરસૂરીશ્વરકૃત પસાયથી મારું આ કાર્ય સંપૂર્ણ થયું, તે શ્રી સૂરિમંત્રાદિ સહિત શ્રી સિદ્ધચક, ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ વગેરે બધા ઈષ્ટદેવો, તથા જિનવાણી અને શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા શ્રી શ્રુતદેવી, વિમલેશ્વરદેવ, તથા ચક્રેશ્વરીદેવી વગેરેનો સમુદાય જયવંતો વર્તો, તેમજ ત્રણ ભુવનમાં શ્રી જિનશાસન વિજય પામે ને તમામ જીવો સુખી થાવા અંતે હું આ શ્રી જૈન પ્રવચન કિરણાવલીની રચના કરવાથી પ્રાપ્ત કરેલ પુણ્યાનુબંધી પુણ્યના ફલરૂપે એ જ ચાહું છું કે તમામ જીવો શ્રી જૈનેન્દ્ર આગમોની પરમ ઉલાસથી સાત્વિકી આરાધના કરીને પરિણામે મોક્ષમાર્ગને સાત્વિક ભાવે આરાધીને સિદ્ધિપદને પામે. ર૪૪. સ્પષ્ટાર્થ:- છેદસૂત્રોનું મૂલ સ્થાન દષ્ટિવાદ છે. જેમ વ્યવહારમાં રાજા રાજ્યને ટકાવવા માટે જુદા જુદા પ્રજનાદિને લક્ષ્યમાં રાખીને પહેલાં મુખ્ય મુખ્ય કાયદાઓ ઘડે છે. અને તે દરેક કાયદાને પણ મજબૂત કરવા માટે દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીને નાના નિયમો ઘડે છે. અને મંત્રી વગેરેની મારફત તે કાયદા વગેરેને અનુસારે પ્રજાને વર્તવાની ફરજ જણાવે છે. ને કહેવરાવે છે કે “જેઓ આ પ્રમાણે વર્તશે, તેઓ રાજા તરફથી શિક્ષાને પામશે નહીં, ને શાંતિમય જીવન ગુજારશે. જેઓ બેદરકારી, લેભ વગેરેને વશ થઈને રાજ્યને ગૂને કરશે, તેઓ રાજાના ગુનેગાર હોવાથી શિક્ષાપાત્ર બનશે એટલે તેમને રાજાએ ફરમાવેલી શિક્ષા સહન કરવી પડશે.” તેમ અહીં શ્રી જૈનન્દ્રશાસનમાં શ્રી તીર્થંકરદેવ રાજા જેવા છે, અને તેમને શ્રી ગણધર વગેરે શિષ્ય પ્રશિષ્યાદિ વગે એ પ્રધાન મંડળ છે, તથા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓના સમુદાયરૂપ ચતુર્વિધ સંઘ એ પ્રજા જેવો છે. તેમજ રાજ્યના મુખ્ય કાયદાના જેવી મૂલ ગુણેની આરાધના છે, અને તે દરેક મૂલ ગુણને ટકાવનારી ઉત્તર ગુણાની જે આરાધના એ રાજ્યની લઘુ નિયમાવલી જેવી છે. મોક્ષ માર્ગના સારિક આરાધક પૂજ્ય શ્રી તીર્થંકરાદિ મહાપુરુષો ચતુર્વિધ સંઘ વગેરે ભવ્યને મોક્ષ માર્ગની સાત્તિવકી આરાધના કરાવવા રૂપ રાજ્ય ચલાવે છે. જેમાં રાજા પ્રજાને પુત્રના જેવી ગણીને સામ દામ વગેરે સાધનોના ઉપયોગથી પ્રજાને સત્ય-નીતિ અને દયાના માર્ગે દોરે છે, તે જ પ્રમાણે શ્રીજિનશાસનમાં પણ પરમકૃપાળુ શ્રી તીર્થકદ અને ગણધરાદિ મહાપુરુષે પણ ચતુર્વિધ સંઘને પુત્રાદિ જેવા ગણીને ગ અને ક્ષેમ કરવાપૂર્વક મેક્ષના માર્ગે દોરે છે, ને અજ્ઞાન-પ્રમાદાદિ કારણેમાંનાં કઈ પણ કારણથી સંઘમાંના કેઈ પણ ભવ્ય જીવ ભૂલ કરે, તો તેને અંગે દ્રવ્ય-ક્ષેત્રભાવ વગેરેને જાણીને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યોગ્ય પ્રાયશ્ચિત્ત આપીને તે ભૂલ કરનાર છવને શુદ્ધ કરી પાછો મોક્ષના માર્ગે જોડે છે. તેને હિતશિક્ષા આપે છે કે “હે ભવ્ય જીવ! હવે આવી ભૂલ કરીશ નહીં? તે સાંભળી આસન્નસિદ્ધિક ભવ્ય છે તે પ્રમાણે નિ:સ્પૃહી પૂજ્યપુરુષોની હિતશિક્ષા પ્રમાણે ચાલે છે ને ફરીથી ભૂલ કરતા જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy