SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી (શ્રી દસૂત્રોનો સંક્ષિપ્ત પરિચય) ૬૬૫ જિનવિજયગણી, (૮) ૫૦ ઉત્તમવિજયગણી, (૯) પં. પવિજયગણું (પદ્ધકહ), (૧૦) ૫૦ ઉત્તમવિજયગણી, (૧૧) પં. કીર્તિવિજ્યગણી, (૧૨) પં. કસ્તૂરવિજયગણી, (૧૩) પંન્યાસ શ્રીમણિવિજય ગણું (દાદા), (૧૪) શ્રીબુદ્ધિવિજયજી (બોટેરાયજી) મહારાજ, (૧૫) પરમપૂજ્ય શ્રીવૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્રજી) મહારાજ, (૧૬) તેમના શિષ્ય પરમપૂજ્ય પરમોપકારી શ્રી ગુરુમહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ થયા. ર૩૪-૩૬. તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય જેવા શ્રેષ્ઠ ગુરુ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય અને ઘણાં પ્રાકૃત-સંસ્કૃત-ગુજરાતી ગ્રંથોના બનાવનાર તથા ગુણગ્રાહી આચાર્ય શ્રીવિજયપધસૂરીએ રાજનગર (અમદાવાદ) ના શ્રી સંઘે વિનયથી કરેલી વિનંતીને ધ્યાનમાં લઈને રતનની ખાણ જેવા શ્રી ચતુર્વિધ સંઘના ઉપકારને માટે વિક્રમ સંવત ૨૦૦૬માં શ્રીગૌતમસ્વામી ગણધરને કેવલજ્ઞાન થવાના દિવસે (કાર્તિક સુદ એકમે) જૈનપુરી શ્રી અમદાવાદમાં શ્રીજૈન સિદ્ધાંતાદિ અનેક શાસ્ત્રોના આધારે શ્રુતજ્ઞાનને આપનારી પણ સ્પષ્ટાર્થાદિ સહિત પ્રાકૃત શ્રી જૈન પ્રવચન (ભાનુ) કિરણાવતીની રચના કરી છે. આ ગ્રંથની રચના કરતાં અનુપયોગાદિ કારણેથી જે કંઈ મેં સૂત્રવિરુદ્ધ કહ્યું હોય, તે હું શુભભાવથી ખમાવું છું. ર૩૭-ર૩૮-૩૯-ર૪૦, હું એમ ચાહું છું કે શ્રમણ ભગવંત પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનના અંત સુધી આ શ્રીજૈન-પ્રવચન-કિરણાવલી વિજયવંતી રહે, તથા શ્રી ચતુર્વિધ સંઘ વગેરે ભવ્ય વિધિપૂર્વક આ શ્રી જૈન પ્રવચન કિરણાલીને વાંચે અને વંચાવે, તથા સાળળે અને સંભળાવે તેમજ પરિણામે (છેવટે ) નિર્મલ જ્ઞાન ક્રિયાની આરાધના રૂપ મોક્ષમાર્ગને સાધીને સિદ્ધિપદને પામે. ૨૪૧. તથા હું ચાહું છું કે જે બે પરમોપકારી નિઃસ્પૃહી મહાપુરુષોની મોટી મહેરબાનીથી (જે બંનેના પ્રતાપે ) મેં શ્રી ગુરુમહારાજના હાથેજ ૪૫ આગમોના વિનયાદિ વિધિસહિત યોગોદ્ધહનની પવિત્ર ક્રિયા કરીને નિયુંક્તિ વગેરે સાધન સહિત તમામ આગમોનું વિજ્ઞાન મેળવ્યું તે પરોપકારી પૂજ્યપાદ પ્રાત:સરણીય શ્રી ગુરુ મહારાજ સૂરિચક્રચક્રવતિ, તપગચ્છાધિપતિ જગદગુરુ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને મારા મોટા ગુરુબંધુ (ગુરુભાઈ), વિદ્યાગુરુ સિદ્ધાંતવાચસ્પતિ ન્યાયવિશારદ પરમોકારી આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજ ભવભવ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસનને પામે, ને અંતે સિદ્ધ પદને પામે. એ જ પ્રમાણે માર ગ્રંથરચનાદિ કાર્યોમાં ને મેક્ષમાર્ગની આરાધનામાં જે જે ભવ્ય છો મદદગાર થયા છે, થાય છે, ને થશે તે તમામ ભવ્ય જીત પરમ પ્રભાવશાલી શ્રી જિનધર્મને આરાધીને સિદ્ધિપદને પામે. ૨૪ર-ર૪૩. મને પરમ પુણોદયે આ શ્રીજૈન પ્રવચન કિરણાવેલી ગ્રંથની રચના કરવા રૂપે શ્રી જેનાગામની સેવા કરવાને અપૂર્વ અવસર મળ્યો, તેથી હું મારા આત્માને ધન્ય-કૃતાર્થ માનું છું. ને ચાહું છું કે જેમના Vain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy