SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત આપીને સમજાવ્યુ` છે, તથા ‘નાઆગમથી ’ દ્રવ્યાવશ્યકના ત્રણ ભેદે જણાવતાં (૧) શય્યાદિમાં રહેલ આવશ્યક સૂત્રના અર્થને જાણનાર જીવનું જે મૃતક (જીવ રહિત) શરીર તે જ્ઞ શરીર દ્રવ્યાયક કહેવાય, જેમ ઘીના ઘડામાંથી ઘી ઠલવીને ઘડા ખાલી કર્યાં હોય, તેા પણ તે દ્રવ્યથી ‘ઘીના ઘડા' કહી શકાય. કારણ કે પહેલાં શ્રી ભ હતુ, તેમ આ મૃતક શરીરમાં રહેલાં જીવે પહેલાં આવશ્યક સૂત્રના અર્થ જાણ્યા હતા. (૨) જે જીવ ભવિષ્યમાં આવશ્યક સૂત્રના અ` જાણશે તે ભવ્યશરીર-દ્રવ્યાવશ્યક કહેવાય. જેમ ભવિષ્યમાં રાજા થનાર ચુવરાજને લેાકા રાજા કહે છે, તેમ અહી' પણ સમજવું, (૩) તદ્નયતિરિક્ત દ્રવ્યાવશ્યકના ત્રણ ભેઢાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે ૧. રાજા-પ્રજા વગેરે લાક સવારે સૂર્યચે દાતણ કરવું વગેરે અવશ્યકરણી કરે તે લૌકિક દ્રવ્યાવશ્યક કહેવાય. (૨) પરિવ્રાજક વગેરે યક્ષાદ્રિના મંદિરમાં ધૂપ-દીપ વગેરે અવશ્ય કરણી કરે, તે કુંપ્રાવચનક દ્રવ્યાવશ્યક કહેવાય. (૩) જે મુનિ સાધુના ગુણાથી રહિત હોય ને હિંસાદિ કરીને પશ્ચાત્તાપાદ્ધિ કરે નહીં, તે ( મુનિ) જે આવશ્યક ક્રિયા કરે, તે લેાકાત્તર-દ્રવ્યાવશ્યક કહેવાય. આ પ્રસંગે અસવિગ્નનું દૃષ્ટાંત પણ જણાવ્યુ છે. પછી આગમથી અને નેઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ જણાવતાં ભાવનું લક્ષણુ સમજાવીને કહ્યું છે કે જે જીવ આવશ્યકસૂત્રના અને જાણે ને તેની વિચારણા ઉપયોગપૂર્વક કરે તે (જીવ) આગમથી ભાવાવશ્યક કહેવાય. અને નાગમથી ભાવાવશ્યકના (૧) લૌકિક ભાવાવશ્યક, (૨) કૃપ્રાવચનિક ભાવાવશ્યક (૩) લેાકારક ભાવાવશ્યક. આ રીતે ત્રણ ભેદે છે. તેમાં (૧) લેાકો પાતાના ધર્મોના રીવાજ મુજબ અવશ્ય કરણી ( જરૂર કરવા લાયક કાય`)સમજીને ઉપયાગપૂર્વક સવારે મહાભારતને વાંચે ને સાંજે રામાયણને વાંચે તે લૌકિક ભાવાવશ્યક કહેવાય, (૨) પરિવ્રાજક વગેરે ઉપયોગપૂર્ણાંક હામ વગેરે અવશ્યકરણી કરે તે કુંપ્રાવનિક-ભાવાવશ્યક કહેવાય. (૩) રત્નાની ખાણ જેવા ચતુવિધ સંઘ જે ઉપયાગપૂર્ણાંક ૬ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરે તે લેાકેારિક ભાવાવશ્યક કહેવાય. અહીં ‘ના' શબ્દ ત્રણ અર્થાને જણાવે છે, તે આ પ્રમાણે-(૧) સનિષેધરૂપ અર્થ, (૨) દૈનિષેધરૂપ અર્થ, (૩) મિશ્ર એટલે દેશનિષેધ-સનિષેધરૂપ અર્થ, તેમાંથી અહીં ચાલુ પ્રસંગે ક્રિયારૂપ અંશ આગમરૂપ નથી. સૂત્રના શબ્દોને એલવારૂપ આગમ છે, તેથી નાશબ્દ મિશ્ર ( દેશનિષેધરૂપ ને સર્વાનિષેધરૂપ અર્થના ) વાચક સમજવા. તથા આવશ્યક શબ્દના આવશ્યક, આવશ્યકરણીય, વિશેાધિ વગેરે ૮ પર્યાયવાચક શબ્દો જાવા, જેમ આવશ્યક શબ્દના નિક્ષેપાની બીના કહી, તે જ પ્રમાણે શ્રુતશબ્દના ૪ નિક્ષેપાનું વર્ણન કરતાં અનુક્રમે નામશ્રત, સ્થાપનાશ્રુત, અને આગમથી તે નાઆગમથી દ્રવ્યશ્રુતના બે ભેદા, તેમાં જ્ઞ શરીર દ્રવ્યશ્રુત અને ભવ્ય શરીર દ્રવ્યશ્રુત તથા તદ્રુતિરિક્ત દ્રવ્યશ્રુતનું સ્વરૂપ જણાવતાં પત્રક (શાસ્ત્રના પાનાં) વગેરેની મીના અને સુત્ત ” શબ્દના બીજો અર્થ ‘સૂતર્’ કરીને અંડજ વગેરેની મીના પણ સ્પષ્ટ સમજાવી છે. ( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy