SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી અનુયાગદ્વાર સૂત્રો સંક્ષિપ્ત પરિચય) ૬૫ પછી આગમથી ને આગમથી ભાવકૃતનું વર્ણન કરતાં આગમથી ભાવકૃતનું સ્વરૂપ કહીને નોઆગામથી ભાવAતના બે ભેદના વર્ણનમાં મહાભારત વગેરે લૌકિક ગ્રંથોને લૌકિક દ્રવ્યશ્રત તરીકે જણાવ્યા છે ને શ્રીઆચારાંગાદિને લકત્તર દ્રવ્યશ્રત તરીકે જણાવ્યા છે. છેવટે શ્રુતજ્ઞાનના પર્યાયવાચક શબ્દો કહીને શ્રતના નિક્ષેપાનું વર્ણન પૂર્ણ કરીને તે જ પ્રમાણે “સ્કધના નિક્ષેપ પણ જણાવ્યા છે. તેમાં કહ્યું છે કે નામસ્કંધ, સ્થાપના-સ્કંધની બીના શ્રતની માફક જાણવી. આગમથી તથા આગમથી દ્રવ્યસ્કંધના વર્ણનમાં તયતિરિક્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ સચિત્ત, અચિત્ત અને મિશ્ર રૂપ ત્રણ ભેદ સમજાવ્યું છે. આ પ્રસંગે તે સચિત્તાદિ ત્રિવિધ કંધોનું અને કૃ, અકૃત્ન અનેક દ્રવ્યસ્ક ધોનું પણ સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. પછી આગમથી ને નોઆગમથી ભાવસ્કધનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જે વસ્કંધ શબ્દના અર્થને જાણે, ને તે અર્થને ઉપયોગપૂર્વક વિચારે તે (જીવ) આગમથી ભાવસ્કંધ કહેવાય, ને આગમથી ભાવસ્કંધ તરીકે આ શ્રીઆવશ્યક શ્રુતસ્કંધને જાણવો. છેવટે સ્કંધ શબ્દના પર્યાયવાચક શબ્દો જણાવીને કંધ શબ્દના નિક્ષેપાનું વર્ણન પૂરું કર્યું છે. પછી અનુક્રમે આવશ્યકનાં ૬ અધ્યયનમાં કહેલી બીના ટૂંકામાં જણાવી છે. નામ-સ્થાપના–દ્રવ્ય અને ભાવ નિક્ષેપાનું પ્રશ્નોત્તરરૂપે સંક્ષિપ્ત વર્ણન પ્રશ્ન : અત્યાર સુધીમાં આવશ્યકાદિ ત્રણ શબ્દોમાં નામ વગેરે ચાર નિક્ષેપ ઘટાવ્યા, અને આગળ પણ ઉપક્રમના વર્ણનમાં તે ઘટાવવાના છે, તો કૃપા કરીને એ ચારે નિક્ષેપાની ટૂંકી વ્યાખ્યા સમજાવે, ઉત્તર : જેને અસલી ચીજના પર્યાય (સરખા અર્થવાળા શબ્દો)થી વ્યવહાર થઈ શકે નહિ, અને જે મૂળ શબ્દના અર્થથી બીજા અર્થમાં રહેલ હોય, અને એ જ કારણથી જે મૂલ અર્થ-નિરપેક્ષ હોય, એટલે મૂલ (મુખ્ય) અર્થની સાથે જેને સંબંધ ન હોય, તથા ઘણું કરીને જ્યાં સુધી (નામવાળું અથવા જેનું નામ પાડીએ તે) દ્રવ્ય રહે ત્યાં સુધી જે રહે, એવું મરજી પ્રમાણે જે સ્થાપીએ, તે નામ કહેવાય. આ બાબતમાં શ્રી વિશેષાવશ્યક પુરા આ પ્રમાણે છે: पज्जायाणभिधेयं-ठिअमण्णत्थे तयत्यणिरविक्खं । जाइच्छियं च णामं, जाव दव्वं च पाएणं ॥ १॥ સ્પષ્ટાર્થ : જેમ કેઈનું “જ્ઞાન” એવું નામ પાડીએ, તે નામ-જ્ઞાન કહેવાય, એમ જેનું ઇંદ્ર નામ હોય, તે નામેન્દ્ર કહેવાય. આ નામજ્ઞાન અથવા નામઇદ્ર તેના પર્યાયવાચક શબ્દોથી કહી શકાતો નથી, ખરી વસ્તુસ્થિતિ એ છે કે તે તે નામવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy