SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ઉત્તમ જ્ઞાન સહિત ક્રિયાની આરાધના કરવાથી જે આનંદ થાય તેના ધોધપ્રવાહથી ભરેલું છે. આવા ભાવ સંપત્તિને દેનારા શ્રી જૈનેંદ્ર શાસનમાં ઉત્તમ જ્ઞાન અને ક્રિયાની યથાર્થ (ખરી નિર્મલ) આરાધના કરીએ તો મોક્ષના સુખ પામીએ એમ ટૂંકમાં કહી શકાય. અને આ વચનને જ વિસ્તારીને ઉત્તમ દર્શન, જ્ઞાન, અને ચારિત્ર એ ત્રણની સાધના કરવાથી મુક્તિપદ મળે, એમ કહી શકાય. આ બાબતમાં અનુક્રમે પુરાવા આ પ્રમાણે જાણવા કરેમિ ભંતે (શ્રીસામયિકસૂત્ર)ના વિવરણરૂપ શ્રીવિશેષાવશ્યક સૂત્રમાં કહ્યું છે કે “જ્ઞાનગિયાખ્યાં મોક્ષ ” અને શ્રીતત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે, કે “સવનજ્ઞાનવાત્રિાળ मोक्षमार्गः" પ્રશ્ન: ઉપરના સૂત્રોમાં ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું, તેનું શું કારણ? ઉત્તર : જ્ઞાન હોય તો જ ક્રિયાની નિર્દોષ આરાધના થઈ શકે, આ ઇરાદાથી સૂત્રકારે ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું છે. જેમ ત્રિફળાં (હરડાં, બેડાં, આમળાં) પાણીને સાફ કરે છે, તેમ આત્મામાં રહેલાં જૂનાં કર્મોરૂપી કચરો સાફ કરવાને સમર્થ હોય, તો તે એક નિયાણુરહિત, વિધિને જાણીને તે પ્રમાણે કરેલી તપશ્ચર્યા જ છે. અને જે નવાં કર્મો આવે, તે કર્મોને સંયમ રોકી શકે છે. આ સંયમ અને તપની સાધનાનો વિધિ જ્ઞાન દ્વારા સમજી શકાય છે, માટે શરૂઆતમાં જ્ઞાન એ પ્રકાશક છે એમ કહ્યું. આ ત્રણેની સાધનાથી મુક્તિપદ પામી શકાય. અહીં જેમ જ્ઞાનને પહેલું કહ્યું એમ છએ જવનિકાયનું સ્વરૂપ, સંયમની દુલભતા વગેરે ઉત્તમ આચારને જણાવનાર શ્રી દશવૈકાલિક સૂત્રના ચેથા પછવનિકા નામના અધ્યયનમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીયંભવસૂરિ મહારાજે પણ જ્ઞાનને પહેલું કહ્યું છે તે મુદ્દો એ છે કે “ શ્રીજૈનધર્મનું મૂલ (પા ) દયા છે, જીવ-અજીવ વગેરેની સમજણ હોય તો જ જીવને બચાવી શકાય. નહિ તે એવું બને કે અજીવને બચાવે અને જીવને હણે, તેમજ જ્ઞાન હોય, તે જ મારું કલ્યાણ શાથી થશે? કયાં કયાં પાપનાં કારણે મારે છોડવા જોઈએ? આ બધું જીવ જાણી શકે છે. ” તે પાઠ આ પ્રમાણે જાણો– पढमं नाणं तओ दया, एवं चिटइ सव्वसंजए । #writ દિ , જ રા જારી છેયurat | આવી જ્ઞાનની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બીજા અનેક ગ્રંથોમાં કહ્યું છે કે (૧) જ્ઞાન એ ત્રીજી આંખની જેવું છે. કારણ કે તે દ્વારા અતીન્દ્રિય પદાર્થોની પણ ૧. આ સૂરિજી મહારાજનો જન્મ વિ. સં. ૬માં, અને વીસં. ૬૪માં ૨૮ વર્ષની ઉંમરે દીક્ષા, તથા વી. સંજે ૭૫માં યુગપ્રધાન થયા. સંભવ છે કે તેમણે વી. સં. ૮૪ અને ૯૪ની વચ્ચેના કાલમાં દશવૈકાલિક બનાવ્યું છે. અને મનક મુનિને સ્વર્ગવાસ પણ તેજ અરસામાં સંભવે છે. તથા વીર સં. ૮૮માં તેમને વર્ગવાસ થા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy