SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ શ્રી વિજયદ્રસૂરીશ્વરકૃત વર્ણનમાં દર્શન અને ચારિત્રનું પણ વર્ણન કર્યું છે. ૨૦૬. અહીં અનુક્રમે શ્રીતીર્થકરવાની અને ગણધરની આવલિકાનું વર્ણન તથા શ્રીજિનશાસનની સ્તવના તેમજ વિરાવલીનું વર્ણન કર્યું છે. પછી અનુક્રમે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. ૨૦૭. અહીં ટીકાકારે શરૂઆતમાં તીર્થકર દેવોની સ્તુતિનું વર્ણન કરતાં અનુમાનાદિ પ્રમાણેથી જીવની અને અને શાબ્દબોધની સાબિતી કરીને ભવિમોચન નામના મતનું ખંડન પણ કર્યું છે. અને વર્તમાન શાસનના નાયક પ્રભુશ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરવાની બીના જણાવનારી ગાથાના વિવરણમાં વેદાંતીઓ જ વેદને અપૌરુષેય માને છે તે મતનું ખંડન કર્યું છે. ૨૦૮. તથા શ્રી મહાવીર પરમાત્માની તેમના અતિશના વર્ણન કરવા દ્વારા સ્તુતિ કરવાના પ્રસંગે અનુક્રમે સર્વાવાદ, રાગાદિનો આત્યંતિક ક્ષય, નૈરાગ્યવાદનું અને સાંખ્ય દશને માનેલી મુક્તિનું ખંડન, તથા ભેદભેદની સિદ્ધિ વગેરે હકીતોને વિસ્તારથી સમજાવી છે, તેમજ શ્રીસંઘમાં નગર વગેરે આઠ પદાર્થોની ઉપમાઓ ઘટાવીને તેની (શ્રીસંઘની) સ્તુતિ કરી છે. ર૦૯. તથા ચોથા મન:પર્યવ જ્ઞાનના વર્ણન કરવાના પ્રસંગે પ૬ અંતરદ્વીપનું, ૬ પર્યાતિનું ને ચારણુ મુનિઓનું સ્વરૂપ જણાવ્યું છે. તેમજ બે ક્ષુલ્લક પ્રતની બીના સમજાવી છે. અને અનંતર સિદ્ધના ભેદ જણાવતાં સ્વયં બુદ્ધોમાં ને પ્રત્યેકબુદ્ધોમાં તફાવત તથા “સ્ત્રી સિદ્ધિ પદને જરૂર પામે છે. એમ સાબિત કરીને દિગંબરેના મત (સ્ત્રી મોક્ષે જાય જ નહિ આવી માન્યતા) ખંડન કર્યું છે. તેમજ પરંપરસિદ્ધના વર્ણનમાં “કેવલિને એક સમયે એક જ ઉપયોગ હોય, પણ બે ઉપગ ન હોય? આ સૈદ્ધાંતિક મતને સાબિત કરીને બે ઉપયોગને કહેનારા શ્રીસિદ્ધિસેન-દિવાકરના મતનું ખંડન કર્યું છે. ર૧૦. અને સંશિકતાદિના વણનમાં દીર્ધકાલિકી સંજ્ઞા વગેરે ત્રણ સંજ્ઞાઓનું સ્વરૂપ જણાવ્યું છે. તથા સમ્યકુ શ્રતાદિના વર્ણનમાં કાલચક્રનું સ્વરૂપ જણાવ્યું છે. તેમજ અંગપ્રવિષ્ટ શ્રતના વર્ણનમાં પાખંડીઓના મતોનું ખંડન કર્યું છે. આ રીતે ટૂંકામાં શ્રીનંદીસૂત્રનું વર્ણન જાણવું. ૧૨૧. આ શ્રીનંદીસૂત્રના યથાર્થ રહસ્યને ઓછા વધતા પ્રમાણમાં સમજવાના પ્રાકત-સંસ્કૃત સાધને ચાર છે. તેમાં (૧) શ્રીજિનદાસ ગણિમહત્તરે વિ. સં. ૭૩૩માં (ટીચણિની રચના કરી છે. કેટલાએક એતિહાસિક વિદ્વાનો માને છે કે શ્રીનદીસત્રની રચના ઇ૦ સ0ના ત્રીજા સૈકાથી માંડીને પાંચમા સૈકામાં થઈ હય, તેમાં પ્રમાણ તરીકે અહીં જણાવેલા જૈન આગમ વગેરેનાં નામ છે. તેની પછી ચૂર્ણિની રચના થઈ છે. આ ચણિની કેટલીક પ્રતામાં શક સંવત ૨૯૮ જણાવ્યું છે, તે પણ વ્યાજબી છે. કારણ કે શક સંવતમાં ને વિક્રમ સંવતમાં ૧૩૫ વર્ષોને ફરક હોવાથી ૭૩૩માંથી ૧૩૫ બાદ કરતાં ૫૯૮ આવે છે. આ પ૯૮મા વર્ષને કેટલાક વિદ્વાનો ચૂણિના લિપિકાળ તરીકે માને છે. જૈન મહારાકી પ્રાકૃત ભાષામાં રચાયેલી આ ચૂર્ણિમાં પ્રાકત વિભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy