SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો સંક્ષિપ્ત પરિચય) દર૭ ૩૬. છત્રીશમા જીવાજીવ વિભક્તિ નામના અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં ઉપક્રમ, નિક્ષેપ વગેરેની બીનાને જણાવતાં ક્રમસર જીવ, અવ, અને વિભક્તિ શબ્દના નિક્ષેપાની બીના, અને આ અધ્યયનનો ઉપદ્યાત, તથા સંયમ અને તેનું ફલ, તેમજ લોકનું અને અલકનું લક્ષણ વગેરે બીનાઓ વિસ્તારથી જણાવી છે. પછી અનુક્રમે લોકના દ્રવ્યાદિથી ચાર ભેદોનું (દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાલલોક, ને ભાવલોકનું) સ્વરૂપ, અને રૂપી અજીવના ભેદો તથા અરૂપી અજીવના ભેદ, તેમજ અરૂપી અજીવના ક્ષેત્રની ને કાલની હકીકત વગેરે વિસ્તાથી સમજાવીને રૂપી અજીવના ભેદ, ક્ષેત્ર, અને કાલનું તથા ભાવનું (વર્ણાદિનું) સ્વરૂપ સમજાવ્યું છે. આ રીતે અજીવનું વર્ણન પૂરું કરીને જીવનું વર્ણન શરૂ કરતાં અનુક્રમે સિદ્ધના ભેદો જણાવતાં ટીકાકારે વિસ્તારથી દિગંબર મતનું ખંડન કરીને સાબિત કર્યું છે કે પુરુષની માફક સ્ત્રીઓ પણ જરૂર મુક્તિને પામે છે. પછી અનુક્રમે એક સમયે સિદ્ધિપદને પામેલા સ્ત્રીલિંગ સિદ્ધાદિની સંખ્યા અને સિદ્ધને ઊંચે જતાં કયાં અટકવું પડે છે વગેરે પ્રશ્નોના ઉત્તરે, તથા સિદ્ધશિલાનું તથા લોકાંત (લોકના છેડા)નું સ્વરૂપ વગેરે હકીકતને વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર સિદ્ધોની અવગાહના અને તેમનું સ્વરૂપ, તથા એક જ સ્થલે અનંતા સિદ્ધોનું રહેવું તેમજ તેમના અનંતજ્ઞાનાદિ ગણાનું સ્વરૂપ વગેરે હકીકતોને વિસ્તારથી સમજાવીને સિદ્ધનું વર્ણન પૂરું કર્યું છે. પછી સંસારી જીના વર્ણનમાં અનુક્રમે જીવના ત્રસ અને સ્થાવર રૂપ બે ભેદે, અને સ્થાવરને પૃથ્વી, જલ, અને વનસ્પતિ રૂપ ત્રણ ભેદ, તે દરેકના સૂક્ષ્મ-આદર–પર્યાપ્ત અપર્યાપ્ત ભેદો, તેમજ બાદર પૃથ્વીના ગ્લણ અને ખર પૃથ્વીરૂપ બે ભેદો વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. પછી અનુક્રમે સર્વે લેકમાં ફેલાઈને રહેનારા સમ જીવોની બીના જણાવીને કહ્યું છે કે બાદર પૃથ્વી વગેરે સ્થાવર લેકના એક દેશમાં રહે છે. પછી પૃથ્વીકાયના વર્ણાદિની અપેક્ષાએ થતા ભેદો અને આયુષ્યાદિનું વર્ણન કરીને એ જ પ્રમાણે (પૃથ્વીકાયમાં જેવું કહ્યું તેવું) અકાયના વર્ણનમાં પણ તેના ભેદ, કાયસ્થિતિ, આયુષ્ય વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી અનુક્રમે વનસ્પતિના પ્રત્યેક અને સાધારણ રૂપ બે ભેદો, તથા તે દરેકના ભેદો, તેમજ સૂક્ષ્મ વનસ્પતિનું સ્વરૂપ જણાવીને તેનાં (વનસ્પતિના) કાયસ્થિતિ, આયુષ્ય, વર્ણાદિથી થતા ભેદ વગેરેની હકીકતોને વિસ્તારથી સમજાવી છે. અહીં સ્થાવર બીના પૂરી થાય છે ને ત્રસની બીના શરૂ થાય છે. તેમાં તેઉકાય અને વાયુકાયને ગતિગ્રસ તરીકે અને બેઈદ્રિય, તેઇધિય. ચરિંદ્રિય અને પંચેન્દ્રિયને ઉદાસત્રસ તરીકે ઓળખાવ્યા છે. અને દેવ-નરક-મનષ્યતિયાને પંચેન્દ્રિયના ૪ ભેદ તરીકે જણાવ્યા છે. આ બંને પ્રકારના ત્રસ જીવોના કમસર ભેદ, આયુષ્ય, કાયસ્થિતિ વગેરેની સ્પષ્ટ બીના સમજાવીને હિતશિક્ષા આપી છે કે મનિવએ આ રીતે જીવાદિનું સ્વરૂપ સાંભળીને સમ્યગ્દર્શનને નિમલ કરવાપર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy