SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૬૧૩ છે, તે પરમ સુખના ભંડાર જેવા સિદ્ધિસ્થાનમાં માક્ષમાના સાધક મહાપુરુષા જઈને કાયમ રહે છે, તેમને અહીં ફરી આવવુ પડતું નથી. આ રીતે સાષકારક ઉત્તર સાંભળીને શ્રીકેશી ગણધર પ્રભુશ્રીમહાવીરના પંચ મહાવ્રતરૂપ શ્રમણ ધર્મોને સ્વીકારીને, તેની પરમ ઉલ્લાસથી આરાધના કરવા લાગ્યા. આ પ્રસંગે આવેલા બીજા જીવા પણ આ પ્રશ્નોત્તરી આદિ સ્વરૂપ ઉપદેશને સાંભળીને શ્રીજિનશાસનની આરાધના કરવા લાગ્યા. આ ૨૩મા અધ્યયનમાં જે પ્રશ્નોત્તરશ વિસ્તારથી જણાવ્યા છે, તે શ્રીના ટૂંકામાં અહીં સમજાવી છે. ' ૨૪. ચાવીશમા શ્રીપ્રવચન માતૃ નામના અધ્યયનના ટ્રંક પરિચય 6 અહીં શરૂઆતમાં ‘પ્રવચન ’શબ્દના ચાર નિક્ષેપાતુ વર્ણન કરીને અધ્યયનનુ પ્રવચન ભા” નામ રાખવાનું કારણું જણાવ્યું છે. પછી ક્રમસર પાંચ સમિતિનુ સ્વરૂપ જણાવતાં સમિતિના આલંબન વગેરેનું વર્ણન કરીને કહ્યું છે કે ખાસ કારણે ઉપયાગપૂર્વક જે ચાલવું તે ઈર્ષ્યાસતિ કહેવાય. અસત્યનાં ક્રોધાદિ કારણેાને તજીને નિર્દોષ હિત-મિત–પ્રિય વચને ખેાલવાં તે ભાષામિતિ કહેવાય, ઉપયાગપૂર્વક શુદ્ધ ભિક્ષા વગેરે વાપરવા તે અષણાસમિતિ કહેવાય, તેમજ ઉપકરણાદિને ઉપયાગપૂર્વક લેવાં કે મૂકવાં તે આદાન-ભડ-માત્ર-નિક્ષેપણાસિમિત કહેવાય. પઠવવા લાયક ઉચ્ચાર (લ્લો) વગેરેને નિર્દાષ સ્થાને જે પરવવા તે પાòિાપનિકાસમિતિ કહેવાય. આ તમામ મીના વિસ્તારથી સમજાવીને ગુપ્તિનું વર્ણન કરતાં કહ્યુ છે કે જે અશુભ વિચારોને કરતા એવા મનને અટકાવવુ તે મને ચુસિ કહેવાય, ખરામ વચના ન ખેલવાં એ વચન ગુપ્તિ કહેવાય. કાયાથી થતી અશુભ ક્રિયાઓને ન થવા દેવી તે કાયગુપ્તિ કહેવાય. આ પ્રસંગે સભાદિ ત્રણ હિંસક ક્રિયાનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું છે : હિંસાદિને કરવાના જે આવેશ, (દૃઢ નિશ્ચય) તે સર્ભ કહેવાય, જે હિંસાનાં સાધના એકઠાં કરવાં તે સમારભ કહેવાય, તથા જે હિંસાદિ ક્રિયા કરવી તે આરંભ કહેવાય. હ્રસાદિને ફરવાના વિચારથી માંડીને તે વિક્ષિત કાર્ય પૂરુ થતાં સુધીમાં અનુક્રમે આ સર્ભ વગેરે ત્રણે ક્રિયાઓ ઘટાવવી જોઇએ. અંતે સમિતિમાં અને ગુપ્તિમાં ફરક અને તેનું ફૂલ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આના સાર એ છે શુભ પ્રવૃત્તિરૂપ ર્સ્પતિ છે તે શુભમાં પ્રવૃત્તિ ને અશુભથી નિવૃત્તિરૂપ ગુપ્તિ છે, જેમ માતા પુત્ર પર પ્રેમભાવ રાખીને તેનુ કલ્યાણ ચાહે, તેમ સમિતિ-ગુપ્તિરૂપ આઠ પ્રવચનમાતા શ્રમણરૂપ બાલકનું જરૂર કલ્યાણ કરે છે, માટે તે ‘પ્રવચન માતા’કહેવાય છે. આ આઠે માતાઓમાં દ્વાદશાંગીનેા સમાવેશ થયા છે એમ સમજવું. કારણ કે દ્વાદશાંગીમાં ઊંચી કોટીના આચાર, વિચાર અને ઉચ્ચારાનાં સાધના પણ કહ્યાં છે, તે આચાર િત્રણેની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy