SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત જાળને છેદીને હું શાંતિથી વિચરું છું. અહીં કમરૂપી જાળને તોડીને અને પૂર્વે કહેલા રાગાદિ રૂપ બંધનને છેદીને પરમ શાંતિથી વિચરું છું, આ રીતે પણ ઉત્તર આપી શકાય, પ–સંસારમાં રખડાવનારી “ભગતૃષ્ણા રૂપી વિષવેલ (ઝેરી વેલડી) છે. તેને ઊગવાનું સ્થાન “હૃદય છે. જન્મ, જરા, અને મરણ વગેરે તેના ઝેરી ફલે જાણવાં. તે વિષવેલને ઉખેડીને એટલે ભગતૃષ્ણાને તજીને હું શાંતિથી શ્રી જિનશાસનને આરાધું છું. ૬-શરીર, મન વગેરેને બાળનાર કષાયરૂપ અગ્નિ છે. પરમ કૃપાળુ શ્રી તીર્થકર દેવ રૂપી મેઘમાંથી વરસેલી દન-જ્ઞાન-ચારિત્ર ને તારૂપી પાણુની ધારાઓથી તે કષાય રૂપી અગ્નિને ઠારી દઉં છું. તેથી તે કષાયોનું કંઈ પણ બળ ચાલતું નથી. આ રીતે ક્ષમાદિ ગુણાને ધારણ કરીને પરમ પુણ્યોદયે મળેલા શ્રી જિનશાસનને આનંદથી આરાધું છું, ૭–મનરૂપી સાહસિક ભયંકર દુષ્ટ ઘોડે છે. તે ઘોડા શબ્દાદિ વિષયના સેવન રૂપ ઉમા દોડી રહ્યો છે. તેને શ્રી તીર્થંકરદેવનાં હિતકારી વચનરૂપી લગામથી વશ કરીને પરમ સ્થિરતાથી શ્રમણધર્મને આરાધું છું, ૮–પાખંડીઓ પિોતાની બુદ્ધિ પ્રમાણે જે તદ્દન ખોટા માર્ગો કાઢીને બીજા જીવોને તે રસ્તે દોરી રહ્યા છે. તે બધા અસત્ય પંથને જાણીને હું શ્રીતીર્થકર દેવે કહેલા સાચા આત્મહિતકર મોક્ષમાર્ગે ચાલું છું, હ–જન્મ–જરા-મરણરૂપી જલપ્રવાહના વિગમાં સંસારી જીવ તણાઈ રહ્યા છે. તેમને બચાવનારું ખરું સ્થાન, ખરું શરણ અને બચાવનાર ખર દ્વીપ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રીજિન ધર્મ જ છે, તેની પરમ ઉલ્લાસથી હું આરાધના કરું છું. તેથી તે જલપ્રવાહના વેગથી બચ્યો છું. ૧૦–જવરૂપી ખલાસી સંસારરૂપી સમુદ્રમાં શરીરરૂપી હોડી મોક્ષમાર્ગની આરાધનારૂપ અનુકૂલ પવનમાં ચલાવીને ભવસમુદ્રને તરી જાય છે. અહીં શરીરરૂપી હાડી કોઈપણ બાજુથી ભેદાય નહિ, એટલે તેમાં છિદ્રો ન પડે તે રીતે જીવે બહુજ કાળજી રાખીને શરીર દ્વારા મોક્ષમાર્ગની સાધના કરવી જોઈએ. ૧૧–સંસારમાં અજ્ઞાનરૂપી અંધકાર બહુ જ ફેલાય છે, તેથી સંસારી જીવો આમ તેમ ગોથાં ખાઈને ભટકી રહ્યા છે. અહીં તેવા અંધકારને દૂર કરનાર શ્રી સર્વજ્ઞ પ્રભુ શ્રીતીર્થકર દેવરૂપી સૂર્ય છે, તેમની સેવા કરીને હું અને બીજા ઘણા જીવો સમ્યજ્ઞાનરૂપી પ્રકાશને પામ્યા છીએ, પામીએ છીએ અને પામીશું.. ૧ર -- જ્યાં જનમ-જરા-મરણાદિની પીડા લગાર પણ નથી, જે લોકની ટોચે રહેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy