SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ શ્રીવિજયપક્વસૂરીશ્વરકૃત અપૂર્વ આનંદને અનુભવે. (૩) ગૃહસ્થાદિની પાસે સાવદ્ય સ્વરોની બીના અને ભૌમ (ભૂમિ સંબંધી) વગેરે નિમિત્તાદિ શાસ્ત્રોની બીના બોલે નહીં. (૪) મંત્રપ્રયોગ વશીકરણ કામણુટુમ્મણાદિ કરે નહીં. (૫) ક્ષત્રિયાદિની પ્રશંસા (વખાણ કરવા) પરિચય વગેરે દૂષિત પ્રવૃત્તિઓને કરે નહીં. (૬) અદત્ત (વસ્તુના માલિકે નહિ આપેલી) ચીજને કે નહીં. (૭) નિર્દોષ આહારદિને તેના (આહારાદિના) વખાણ કે નિંદા કર્યા વિના વાપરે, (૮) ભયના કારણેથી અલગ રહે. (૯) સમ્યકત્વાદિ ગુણેને સ્થિર મને આરાધે. (૧૦) સાવઘ શિ૯પાદિની બીના લોકની આગળ કહીને પેટ ભરવું વગેરે સાધુમર્યાદાથી વિરુદ્ધ આચાર, વિચાર કે ઉચ્ચાર (ભાષા) રૂ૫ પ્રવૃત્તિ કરે જ નહીં. (૧૧) શીલ, સમતા, સંતોષ, સાદાઈ, સરલતા વગેરે ગુણેને ધારણ કરીને ને પરનિંદાદિ દોષોને ઈડીને, મોક્ષમાર્ગની સાત્વિકી આરાધના કરવામાં લીન રહે, તે સાધુ-સાધ્વીઓ સાચા ભિક્ષુક ને ભિક્ષણ કહેવાય છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. ૧. લેકવ્યાપારથી રહિત મુનિવરોને જે સુખ આનંદ હોય છે, તેવા સુખ અને આનંદ વિષય-કવાયના ગુલામ બનેલા ઈન્દ્રને કે ચક્રવતીને હોતા જ નથી. વ્યવહાર દ્રષ્ટિએ લોકે જેમને પરમ સુખી માને છે, તે ઇદ્રો અને ભેગાસક્ત ચક્રવતી તસ્વષ્ટિએ પરમ દુ:ખી જ છે. શ્રી ભરત ચક્રવતી જેવા છે તે વિરલા જ હોય છે. શું દરેક દુકાને હીરાઓ વેચાય છે? શું ઠેકાણે ઠેકાણે સેનાના પહાડો હોય છે? શું દરેક જંગલમાં સિંહનાં ટોળેટોળાં હોય છે? જેમ આ ત્રણ વાનાંમાંનું એક પણ હોય નહિ, તેમ ખરું સુખ અને ખરે આનંદ તે બંનેને (ઇંદ્રને કે ચક્રવતીને) હોય જ નહીં. પ્રબલ પુણ્યોદયે સાધુજીવનને પામીને પણ યથાર્થ સ્વરૂપે જીવનારા જીવો બહુ જ ઓછા (વિરલા ) હેય છે. જે મહાત્માઓ મદ (અહંકાર)નો ને મદન (ભેગણું)નો સર્વથા ત્યાગ કરે છે એટલે નમ્ર બનીને મન-વચન-કાયાથી નિર્દોષ બ્રહ્મચર્યાદિ ગુણેને આરાધે છે, અને જેમના મનમાં, વચનમાં કે કાયામાં તલભાર પણ વિકારોના અંકુરા પણ પ્રકટ થતા નથી, તથા જેઓ પર વસ્તુઓની ચાહના પણ કરતા નથી, તેવા મુનિવરે અહીં જ મોક્ષના સુખને આંશિક (દેશથી) અનુભવ કરે છે. જેટલે અંશે પુદગલ રમણતા ઘટે તેટલે જ અંશે નિજગુણ રમણતા વધે છે. એમ સમજીને જે મુનિવરે પેલે પલે સાવચેત રહીને કર્મનિર્જરાનાં કારણેને સેવે, તેઓ થોડા કાલમાં જરૂર સિદ્ધિપદને પામે છે. ૧૬. ઉત્તરાના સેલમા શ્રી બ્રહ્મચર્ય સમાધિ નામના અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં એક (એકડા) શબ્દના ૭ નિક્ષેપા ને દશક (દશ) શબ્દના ૬ નિક્ષેપાની બીના અને જીવના તથા અજીવના પર્યાય તેમજ બ્રહ્મ શબ્દના ૪ નિક્ષેપાના વર્ણનમાં સ્થાપના બ્રહ્મનું સ્વરૂપ જણાવતાં બ્રાહ્મણોની ઉત્પત્તિ વગેરે બીનાઓ પણ વિસ્તારથી વર્ણવી છે. આ પ્રસંગે કહ્યું છે કે અજ્ઞાની જીવને દ્રવ્યબ્રહ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy