SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન પ્રવચન કરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૬૦૫ હોય ને સાધુને ભાવથી બ્રહ્મ હોય. આ બ્રહ્મ (આત્મા)ની રક્ષા કરવા માટે જ અહીં ૧૦ સ્થાનો જણાવ્યાં છે. તે જણાવ્યા પહેલાં અનુક્રમે ચરણ શબ્દના ૬ નિક્ષેપા, સમાધિ શબ્દના જ નિક્ષેપ અને સ્થાન શબ્દના ૪ (૧૪) નિક્ષેપા કહીને આ પ્રમાણે બ્રહ્મચર્ય સમાધિનાં ૧૦ સ્થાનકે કહ્યાં છે–(૧) જ્યાં સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકે ન રહેતાં હોય, ત્યાં મુનિએ સ્થાન-શયન વગેરે ક્રિયાઓ કરવી જોઈએ. તેમ ન કરે તો શીલ દૂષિત બને. (૨) સ્ત્રીઓની સાથે વાતચીત કરવી નહીં. (૩) જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં મુનિ બેસે નહીં. (૪) રાગદષ્ટિથી સ્ત્રીઓની ઇન્દ્રિયો એટલે અંગોપાંગ વગેરે જોવાં નહીં. (૫) જ્યાં ભીતના આંતરે સ્ત્રી વગેરે સૂતાં હોય, ત્યાં મુનિએ રહેવું નહીં, ભીતની પાછળ ઊભા રહી સ્ત્રીના શબ્દો સાંભળવા નહીં. (૬) પહેલાં સંસારીપણામાં ભેગવેલા કામોને યાદ કરવા નહીં. (૭) ખાસ કારણ વિના સ્નિગ્ધ (ચીકણે) આહાર વાપરવો નહીં. (૮) ગજા ઉપરાંત આહારાદિ વાપરવાં નહીં, (૯) શરીરની શોભા કરવી નહીં. (૧૦) ઇંદ્રિયોના સારા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં રાગ કરવો નહીં ને ખરાબ શબ્દોમાં દ્વેષ કરે નહીં એટલે શબ્દાદિ કામ ભેગનાં સાધનોનો વિચાર પણ કરે નહીં. આ તમામ બીનાએ સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે તાલપુટ ઝેર જેવાં સ્ત્રી આદિના સહેવાસવાળાં સ્થાને છે એમ જાણીને બ્રહ્મચારી મુનિવરેએ નિર્દોષ સ્થાન વગેરેમાં રહીને પરમ ઉલ્લાસથી સંયમધર્મની આરાધનામાં તત્પર થવું જોઈએ. ૧૭. ઉત્તરાના સત્તરમા શ્રીપાશ્રમણ નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં “પાપ” શબ્દના ૬ નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે નરકસ્થાનો એ ક્ષેત્ર પાપ કહેવાય અને કાલથી પાપ છઠ્ઠો આરો કહેવાય. પછી શ્રમણ શબ્દના 8 નિક્ષેપાની બીના જણાવતાં કહ્યું છે કે જ્ઞાન અને સંયમનો સાધક આત્મા તે ભાવ શ્રમણ કહેવાય, મુનિ ધર્મને ન છાજે તેવાં અકર્તવ્યોને જે સેવે, તે પાપભ્રમણ કહેવાય. તેવાં અકર્તવ્યોને તજીને મેક્ષમાગને આરાધનાર જીવ સિદ્ધિપદને પામે છે. તેમજ જે મુનિ દીક્ષા લઈને વસતિ આદિમાં રાગી થઈને સુખશીલ (સુખશીલિયો, પુદ્ગલાનંદી) બને, તે પાપભ્રમણ કહેવાય. અને જે મુનિ આચાર્યાદિની નિંદા કરે, પ્રાણભૂત સત્વજીવોને હણે, તથા પડિલેહણ-માર્જના કર્યા વગર સંથારા વગેરેને વાપરે, તેમજ નીચે જીવજંતુને જોયા વિના બહુ જ જલદી ચાલે, પ્રમાદી થઈ પડિલેહણાદિ કરે નહીં, ગુરુને તરછોડે, તેમજ ઘણી વાર માયા-પ્રપંચને કરે, નવા ઝઘડાને કરાવે, (નારદવિદ્યા કરે) તથા પિતાનું આસન તજીને જ્યાં ત્યાં ખાસ કારણ વિના પણ ફરતો ફરે, તેમજ સચિત્ત ધૂળ વગેરેથી ભરેલા પાટ પાટલા વગેરેને વાપરે, ખાસ કારણ વિના ને ગુરુની આજ્ઞા લીધા સિવાય વિકૃતિ (ઘી વગેરે) વાપરે, તથા સૂર્ય દેખાય. ત્યાં સુધી આહારપદને વાપરે, આચાર્યાદિ વડીલેની પાસે રહે નહીં, જ્યાં ત્યાં ગુરુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy