SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી ( શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૯૫ પ્રવજ્યા કહેવાય, ને વૈરાગ્યથી સર્વથા આરંભ-પરિગ્રહાદિનો જે ત્યાગ કરવો તે ભાવપ્રવજ્યા કહેવાય. પછી ચાર પ્રત્યેક બુદ્ધના વર્ણનમાં તેમના દેશ અને બેધિનાં (વૈરાગ્ય થવાનાં) કારણે તથા એક જ સમયે તે ચારે (પ્રત્યેકબુદ્ધના) નું દેવલોકમાંથી સ્થવવું ને મોક્ષે જવું વગેરે હકીકતો સ્પષ્ટ જણાવીને કહ્યું છે કે કલિંગ દેશના રાજાને બળદને જોઈને વૈરાગ્ય થતાં તેણે દીક્ષા લીધી, ને પંચાલ દેશના રાજાને ઇંદ્રકેતુ (ઇંદ્રવજ) ના નિમિત્તે (તેને જોઈને) અનિત્યભાવના ભાવતાં દીક્ષાની ઇરછા થઈ. તેથી તેણે દીક્ષા લીધી. તથા નમરાજાએ પોતાની રાણુઓએ પહેરેલા વલયના શબ્દોને સાંભળતાં વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી. તેમજ ગંધાર દેશના રાજાએ આંબાને જોઈને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આ તમામ બીનાએ સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે સાચા ત્યાગીને સંચય (ધનાદિનું એકઠું કરવું) હોય જ નહીં, વગેરે બીના જણાવીને ૪ પ્રત્યેકબુદ્ધોની કથા જણાવતાં કરકડ આદિ ત્રણની કથા કહીને નમિરાજાનું પાછલા દેવભવમાંથી ચ્યવન, અને તેને થયેલ જાતિસ્મરણ, તથા તેણે પુત્રને રાજ્ય ભળાવીને જ્યારે દીક્ષા લીધી, ત્યારે નગરીમાં બહુ જ કેલાહલ પ્રવર્યો. આ અવસરે બ્રાહ્મણનું રૂપ લઈને આવેલા ઇ નમિરાજાને પૂછેલા પ્રશ્નોના જે જે ઉત્તર તેણે આપ્યા, તેને સાર આ પ્રમાણે જાણવો. અહીં નમિએ ઇંદ્રના પ્રશ્નોના જે ઉત્તરે આયા તે જ જણાવું છું. (૧) આ લોકમાં સગાં વગેરેનો મેળો, એ ઝાડ પર બેઠેલાં પંખીઓના મેળા જે સમજવો, સૌ કઈ પોતાના સ્વાર્થની દોરી તૂટી જવાથી એટલે પિતાની સ્વાર્થની સિદ્ધિ થતી અટકી જવાથી પોતપોતાના રોદણાં રૂવે છે. (૨) મેં કંચન કામિનીને સર્વથા ત્યાગ કર્યો છે, તેથી નગરી બળે, તેમાં મારા જ્ઞાનાદિ ગુણેમાંથી કંઈ પણ મળતું નથી. જે મારું છે, તે મારી પાસે જ છે. સ્વચિંતા તજી તે પરની ચિતા શા માટે કરવી જોઈએ? (૩) મેં પુત્ર-સ્ત્રી વગેરેને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો છે, તેથી મારે મન કોઈ પ્રિય (હાલું) કે અપ્રિય છે જ નહીં. હું એકલો જ જો છું ને એકલો જ મરવાનો છું. હું કેઈનો નથી, ને કેઈમારું નથી. (૪) મારે મહેલ વગેરેની ચિંતા કરવી જ ન જોઈએ, હું તો શ્રદ્ધા, તપ, સંયમાદને આરાધવાના જ વિચારે કરું છું. (૫) હું શાશ્વત સ્થાને (મોક્ષમાં) જવા ચાહું છું. તેથી વિનધર પદાર્થોની ચિંતા કરતો નથી. (૬) જે આત્માને જીતે તે જ સાચો જય છે, ઇંદ્રિયોને વશ કરવાથી ને કષાયોને જીતવાથી આત્માને જ કહેવાય. આવા જ આત્માઓ ખરા સુખને અનુભવે છે. (૭) દશ લાખ ગાયના દાનથી પણ ચઢી જાય એ સંયમ છે, તેને સાવધાની તીવ્ર ઇચ્છાવાળા એવા મારે યજ્ઞ કરવાની કે બ્રાહ્મણને જમાડવાની ચિંતા પણ શા માટે કરવી જોઈએ? અર્થાત ન જ કરવી જોઈએ. (૮) ઘણાં સોનૈયા વગેરે લક્ષ્મી કે રાજ્યાદિ મળે, તે પણ આ જીવને સંતોષ થતું જ નથી. (૯) કામગ એ શલ્ય જેવા છે, ઝેર અને સર્ષની જેવા ભયંકર દુર્ગતિનાં પણ દુ:ખોને દેનારા છે. ક્રોધાદિકષાયો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy