SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રીવિજયપઠાસૂરીશ્વરકૃત નરકાદિ દુર્ગતિનાં દુ:ખે પમાડે છે. આ પ્રમાણે શ્રી નમિરાજાનાં વચને સાંભળીને રાજી થયેલા ઇંદ્ર પોતાનું સ્વરૂપ પ્રકટ કરી તેમની સ્તુતિ, પ્રદક્ષિણ, વંદનાદિ કર્યા. પછી તે સ્વર્ગે ગયા. નમિ રાજર્ષિ આવા પ્રસંગે પણ અહંકાર તજીને પરમ ઉલાસથી ચારિત્રની સાત્વિકી આરાધના કરે છે. આ અધ્યયનનું ખરું રહસ્ય એ છે કે નમિ રાજર્ષિની માફક ભેગાસક્તિને ને કષાયોનો ત્યાગ કરવાથી જ નિજ ગુણ રમણતાના ખરા આનંદનો અનુભવ થાય છે. નમિ રાજર્ષિનું જીવન અપૂર્વ બેધદાયક છે, સાચા ત્યાગને સમજાવનારું છે. માટે મુમુક્ષુ આત્માઓએ વારંવાર વિચારવું જોઈએ. આ બીના અહીં વિસ્તારથી સમજાવી છે. મેં તો ગ્રંથ મોટો થઈ જાય એ બીકથી બહુ જ ટૂંકામાં જણાવી છે. ૧૦. ઉત્તરાના દશમા દ્રુમપત્રક નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં કુમ (ઝાડ) શબ્દના નિક્ષેપ વગેરેની બીના જણાવીને ઝાડના પાંદડાંની ઉપમા સ્થિતિ વગેરેની અપેક્ષાએ ઘટાવી છે. જેમ ઝાડનું પાંદડું કાલક્રમે ખરી જાય છે, એટલે આમાથી અલગ થાય છે. તેમ મનુષ્યનું ઔદારિક શરીર પણ ઝાડના પાંદડાની જેવું જ સમજવું. આ બીના સ્પષ્ટ સમજાવીને ક્રમસર શાલ મહાશાલ અને ગાગિલની દીક્ષાની બીના જણાવીને કહ્યું છે કે “સ્વલબ્ધિથી અષ્ટાપદ પર્વતની ઉપર જઈને ત્યાં રહેલી જિનપ્રતિમાઓને જે વંદના કરે, તે જીવ નિશ્ચયે તે ભવ (ચાલુ ભવ) માં જ મોક્ષે જાય, પ્રભુએ કહેલી આ બીના દેવોની પાસે સાંભળીને શ્રી ગૌતમસ્વામી સ્વલબ્ધિથી અષ્ટાપદ પર્વતની ઉપર ગયા, યાત્રા કરીને ઝાડની નીચે બેઠા, ત્યાં તેમણે (શ્રી ગૌતમસ્વામીએ) શ્રી વજસ્વામીના જવા વૈશ્રમણદેવની આગળ શ્રી પુંડરીક અધ્યયનની દેશના આપી. ” આ બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે કૌડિન્ય વગેરે દીક્ષા લઈને કેવલી થયા. “હે ગૌતમ! તું મારો લાંબા કાળને પરિચિત હોવાથી તેને મારી ઉપર બહુ રાગ રહ્યો છે તેથી તેને કેવલજ્ઞાન થતું નથી. જ્યારે એ રાગનો નાશ થશે, તે જ સમયે તને જરૂર કેવલજ્ઞાન થશે. આ ભવમાં તું જરૂર સિદ્ધિપદને પામીશ.' એમ કહીને પ્રભુ શ્રી મહાવીરે શ્રી ગૌતમસ્વામીને આશ્વાસન આપ્યું. આ તમામ બીનાઓ સ્પષ્ટ સમજાવીને પ્રભુએ શ્રીગૌતમસ્વામીને ઉદ્દેશીને બીજા શિષ્યને હિતોપદેશ આપે છે, તેમાં કહ્યું છે કે મનુષ્પોનું આયુષ્ય ઝાડના ઘેળા પાંદડા જેવું ક્ષણભંગુર છે. એમ કહીને ઝાડની સાથે સંબદ્ધ પાંદડાનો ને ઝાડ ઉપરથી નીચે પડતા પાંદડાંને સંવાદ કહ્યો છે. તેનો સાર એ છે કે “ લીલાં પાંદડાં અહંકારથી પીળાં પાંદડાંની હાંસી કરે છે કે તમારી આવી હાલત કેમ થઈ? ત્યારે પીળાં પાંદડાં તેમને (લીલાં પાંદડાને) કહે છે કે તમે હાલ તો લીલાંછમ દેખાઓ છે, પણ ભવિષ્યમાં અમારા જેવી હાલત તમારી જરૂર થવાની છે, માટે તમે ગર્વ કરશે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy