SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વગેરે પદાર્થાનું સ્વરૂપ સમજાવીને જડ પદાર્થાંની હકીકત કહી છે. પછી કર્મીની જીવ ઉપર થતી અસર અને મણ કાલની શુભાશુભ ભાવના વગેરે પદાર્થાનુ જે વિસ્તારથી વર્ણન, તે જ આ છેલ્લા અધ્યયનના સાર સમજવા. પ્રભુ શ્રીમહાવીરદૈવે અતિમ સમયે આ ૩૬ અધ્યયના કહ્યાં હતાં, એમ અહીં ર૬૬ મી ગાથામાં કહ્યુ છે. ૨૦૫. સ્પષ્ટા :-પ્રભુ શ્રી મહાવીરદેવે અંતિમ સમયે કોઇએ પણ નહિ પૂછેલા પ્રશ્નોના જે ઉત્તર આપ્યા, તે ઉત્તરાના સગ્રહરૂપ આ શ્રીઉત્તરાધ્યયન સૂત્ર છે, એમ આ સૂત્રની કેટલીએક ટીકા વગેરેમાં કહ્યું છે, અને આની નિયુક્તિની ચાથી ગાથામાં શ્રીભહુસ્વામી મહારાજે કહ્યું છે કે અંગસૂત્રેામાંથી આ સૂત્રનાં ૩૬ અધ્યયનેામાંનાં કેટલાએક અધ્યયનાની ઉત્પત્તિ થઈ છે ને કેટલાંક અધ્યયને જિનભાષિત છે. કેટલાંક અધ્યયના પ્રત્યેકબુદ્ધાદિના સંવાદાદિરૂપ છે. તથા વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજે આની પાતે રચેલી મેાટી ટીકામાં કહ્યું છે કે “ બીજા પરીષહુ અધ્યયનના ઉદ્ધાર દૃષ્ટિવાદમાંથી થયા છે, અને કુમપત્રક અધ્યયનના અની અપેક્ષાએ ઉપદેશક પ્રભુ શ્રીમહાવીરદેવ છે. તથા પ્રત્યેકબુદ્ધે કાપલીય અધ્યયનની રચના કરી છે; તેમજ કેશી ગણધર અને શ્રીગૌતમ સ્વામીના સંવાદરૂપ શ્રીકેશી ગૌતમીય નામનું અધ્યયન છે, આ આ સૂત્રમાં કુલ ૧૬૪૩ શ્લાકો સિવાયને થાડા ભાગ ગદ્ય પણ છે. પદ્ય વિભાગમાં આર્યાં, અનુષ્ટુપ, ઉપતિ વગેરે છઠ્ઠા વપરાયા છે. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થયા પહેલાંના સમયમાં શિષ્યાને આચારાંગ સૂત્રને ભણાવ્યા પછી આ સૂત્રને ભણાવાતું હતું, કારણ કે શ્રીઆચારાંગમાં જણાવેલ છે. નિકાયાની હકીકતને જાણ્યા માદ નવીન શિષ્યાને વડીદીક્ષા અપાતી હતી. આ રીતે શ્રીઆચારાંગની ઉત્તર એટલે પછી ભણાવવા લાયક જે અધ્યયના તે ઉત્તરાધ્યયન કહેવય. એમ શ્રીવ્યવહાર ભાખ્યાદિમાં કહ્યું છે. પણ શ્રીશય્યંભવસૂરિ મહારાજે શ્રીદશવૈકાલિકની રચના કરી તે સમયથી નવીન શિષ્યાને અનુક્રમે આવશ્યકસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર ને આચારાંગસૂત્ર ભણાવાય છે. માટે જ ૬ નિકાાની બીના શ્રી દશવૈકાલિક સૂત્રના ચાથા અધ્યયનથી ભણાવીને શિષ્યાને વડીદીક્ષા અપાય છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના યેાગા હન કરીને વિનયાદિ ગુણાને ધારણ કરનાર શિષ્યા વિધિપૂર્વક ભણવાથી નિશ્ચયે કરીને ભવ્ય કહેવાય છે એમ નિયુક્તિકારાદિ મહાપુરુષાના વચનથી જણાય છે. આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચતુર્વિધ સંઘને બહુ જ ઉપકાર કરનાર છે. કારણકે તેમાં જણાવેલી વિવિધ પ્રકારની બીનાએ ભવ્ય જીવાતે નિજગુણ-રમણતાના માગે પ્રયાણ કરાવે છે તે પુદ્ગલ-રમતા જરૂર ઘટાડે છે, આત્માના ખરા શત્રુઆને આળખાવીને તેમના પંજામાં હું સપડાવા માટે સાવધાન મનાવે છે તથા હિતશિક્ષા આપે છે કે હે ભવ્ય વા ! વિનયાદિ ગુણાને ધારણ કરશે. અવિનય, દે, માહ, કરાય, પ્રમાદ વગેરે દાષાને દુષ્કૃતિનાં ભયંકર દુ:ખાને ફ્રેનારા સમજીને જરૂર ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy