SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ર શ્રીવિજયપધસૂરીશ્વરકૃત વગેરે કરે નહિ, તેમજ સંગને અને સમૃદ્ધિને તજે, ઋદ્ધિ આદિમાં નિ:સ્પૃહ હોય બીજાને તરછોડે નહીં તે ભિક્ષુ (સાધુ) કહેવાય. તેવા સાધુઓ જરૂર મોક્ષને પામે છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. શ્રી રતિવાક્ય ચૂલિકાને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં ચૂલિકા શબ્દના નિક્ષેપનું વર્ણન કરતાં કુકડા વગેરેની ચૂડાને અનુક્રમે સચિત્તાદિ દ્રવ્ય-ચૂલિકા જણાવી છે. અને લોકનિકૂટાદિને ક્ષેત્ર-ચૂલિકા કહી છે. તથા અધિક માસાદિને કાલ-ચૂલિકા, તેમજ આ રતિવાકય ચૂલિકાને ભાવચૂલિકા તરીકે વર્ણવી છે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને “રતિવાકય’ શબ્દને અર્થ કહીને જણાવ્યું છે કે જેમ રોગી માણસને સીવવું, છેદવું વગેરે કરવું રુચે નહિ, તેમ કમરેગથી પીડાએલા જીવને ધર્મ કરવાની રુચિ થતી નથી. જે મુનિને સ્વાધ્યાયાદિ કરવા ગમે ને અસંયમને પોષનારી પ્રવૃત્તિ કરવી ગમે નહીં, તે મુનિ જરૂર સિદ્ધિપદને પામે છે. તેથી ધર્મારાધનમાં લાગણી ટકાવનારાં સ્થાનેનું ને અધર્મનાં કાર્યોમાં અરુચિ કરાવનાર સ્થાનોનું વર્ણન અહીં કર્યું છે. પ્રાયે મનુષ્યો કપટી હોય છે ને કામગનાં સાધનો ક્ષણવારમાં નાશ પામે છે. તથા પરમ શાંતિમય મુક્તિના પરમ સાધન એવા સંયમજીવનને તજીને ભેગની ઇચ્છાથી ગ્રહવાસને સેવનારા છો દુર્ગતિનાં ભયંકર દુ:ખોને લાંબા કાળ સુધી રીબાઈ રીબાઈને ભેગવે છે. ત્યાં ગ્રહવાસમાં પણ તેઓ અનેક આધિ-વ્યાધિ ને ઉપાધિ રૂપી કરોળિયાની જાળમાં ગૂંથાય છે, તેથી ધર્મની આરાધના કરી શકતા નથી. કામ એ શલ્યની જેમ દુઃખને નારા છે. આયુષ્યનો ભરોસો નથી એમ સમજીને મનને સ્થિર કરી સંયમાદિની આરાધના કરીને સંસાર સમુદ્રને તરી જ, એ જ સમજુ મુનિનું ખરું કર્તવ્ય છે. આ તમામ હકીકત અહીં વિસ્તારથી સમજાવી છે. દુર્ગતિના અસાધારણ કારણ વિષય અને કષાય છે. તેને તજીને પરમ શાંતિમાં આત્મ હિતને સાધવાનું કારણ સાધુજીવન છે. અને ગૃહસ્થ જીવન તેથી વિપરીત છે. પરમ-અશાંતિનું કારણ છે, આ વાત ચાલુ પરિસ્થિતિને પણ લક્ષ્યમાં લેનારા સમજુ છો જરૂર સમજે છે. માટે પ્રબલ પુણે સાધુ જીવનને પામેલા સાધુ-સાધ્વીઓએ હંમેશાં સારાં નિમિત્તાની સેવાના કરવી જોઈએ. ૧. સ્વાધ્યાય-તપ-સંયમ ને વૈયાવચ્ચને સાધવામાં અપ્રમત્ત થવું જોઈએ. ૨. મુનિવરોએ મોહના પ્રબલ સાધન સ્ત્રીની સાથે લગાર પણ પરિચય કરવો ન જોઈએ. તેના સામું જોવું નહીં. પચ્ચખાણ દેવાનું હોય, કે ગોચરી વહોરવાની હોય તેવા પ્રસંગે તેના સામું જેઈને પચ્ચખાણ અપાય નહિ ને ગોચરી વહેવાય નહીં. નીચે પાત્રા તરફ નજર રાખી વહોરવું જોઈએ. એ પ્રમાણે તમામ મુનિધર્મની પ્રવૃત્તિઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy