SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પ૭૧ કહેવાય. અને જે જીવ ભિક્ષુ શબ્દના અર્થને જાણે ને તે અર્થની વિચારણામાં ઉપયોગવાલો હેય તથા પાંચ મહાવ્રતની આરાધના વગેરે ગુણેને ધારણ કરે તે જીવ ભાવભિક્ષુક કહેવાય. તે જ જ્ઞાની ભાવભિક્ષુક અહીં કર્મરૂપી પાંજરાને ભેદનાર છે એમ સમજવું, તે કર્મરૂપી પાંજરાંને ભેદવાનું સાધન તપશ્ચર્યા છે. તેમજ તે તપથી ભેદવાને લાયક કર્મ છે, એમ યાદ રાખવું. અહીં ભિક્ષુ શબ્દને બીજો અર્થ એ પણ જણાવ્યું છે કે જે ભૂખને ભેદે એટલે સુધા પરિષહને સહન કરે તે ભિક્ષુ કહેવાય. જે જયણા પાલે તે યતિ કહેવાય, અને જે સંયમને ચરે એટલે સેવે તે ચરક કહેવાય. તથા જે સંસારને ખપાવે એટલે ભવસમુદ્રને તરી જાય, તે ક્ષપક કહેવાય. તેમજ જે સંસારનો અંત એટલે નાશ કરે તે ભદંત કહેવાય. જે નિર્દોષ ભિક્ષા લેવા માટે વિધિપૂર્વક વિચરે (ફરે) તે ભિક્ષ કહેવાય. જે તપ અને સંયમને સાધે તે તપસ્વી કહેવાય. આ રીતે નિગ્રંથ શબ્દના ૨૮ પર્યાય વાચક શબ્દોનું સ્વરૂપ અને મુનિને ઓળખવાના સાધનભૂત ૧૭ ચિલો (લિંગ)ની બીના જણાવી છે. પછી “જે આ દશમા અધ્યયનમાં કહેલા ગુણેને ધારણ કરે, તે જ સાધુ કહેવાય, પણ બીજે નહીં, ” આ બાબતને અનુમાનથી સિદ્ધ કરવાના પ્રસંગે સેનાના આઠ ગુણેની બીના વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવી છે. પછી કહ્યું છે કે જે ઉદ્દિષ્ટાદિ ભેજન કરે, ૬ કાયની હિંસા કરે, ઘર વગેરેને બનાવે, ને સચિત્ત પાણી પીવે, તેને સાધુ કેમ કહેવાય? અર્થાત ન જ કહેવાય. જે મુનિ સ્વસ્થ ચિત્તવાળા હોય, સ્ત્રીને વશ ન થાય અને ત્યાગ કરેલા ભાગના સાધનાને મનથી પણ ચાહે નહીં, તથા છ છવ નિકાયના રક્ષક હોય, તેમજ સચિત્ત પદાર્થોને સેવે નહિ, દૂષિત આહારદિને વાપરે નહીં, અને રાંધે નહિ, રંધાવે નહીં, તથા છ જીવનિકાયના જીવોને પિતાની જેવા માને, તેમ જ પંચ મહાવ્રતાદિને આરાધે, આવોને રાકે. અને કષાય કરે નહીં, પ્રતિલેખના વગેરે ચક્રવાલ સમાચારીને જરૂર કરે, રૂપું વગેરે રાખે નહી, ગૃહસ્થના જેવાં કાર્યો કરે નહીં, તેમજ સંનિધિ કરે નહિ, સાધુઓને આહારાદિ વાપરવા માટે નિમંત્રણ કરે, સ્વાધ્યાયમાં લીન રહે, કદાગ્રહ રાખ્યા વગર જરૂરી વાત કરે, ઇંદ્રિયોને વશ કરે, સ્વભાવે શાંત-સરલ-નમ્ર–સંતોષી-ક્ષમાવાળા હોય, તેમજ બીજાએ કરેલા આક્રોશાદિને સહન કરે, સુખના સમયને કે દુ:ખના સમયને સરખા ગણે, અને ભિક્ષુની ૧૨ પ્રતિમાઓને આરાધે, નિર્ભય હોય, તથા તપશ્ચર્યાદિ કરવામાં લીન હોય, દેહ ઉપર મમતા ન રાખે, તેમજ નિદાન (નિયાણ) અને કnહલને તજે, પરિષહાદિને સહન કરે, હસ્તાદિને કારણ વિના હલાવે નહીં, તથા અધ્યાત્મભાવમાં લીન હોય, શ્રતના અર્થને જાણે, મૂછ ન કરે, દય-વિક્રય (વેચવું; ખરીદવું) ૧. આ આઠ ગુણો વિસ્તારથી પંચાશક શાસ્ત્રની ગાથા જણાવીને મેં શ્રી શ્રાવકધામ જાગરિકામાં જણાવ્યા છે. તે ત્યાંથી જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy