SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૬. શ્રીદશવૈકાલિકના છઠ્ઠા મહાચાર કથા નામના અધ્યયનના દૂંક પરિચય અહીં શરૂઆતમાં આચાર શબ્દના નિક્ષેપા વગેરેની ભીના ટૂંકામાં કહીને જણાવ્યુ છે કે રાજા વગેરે આચાર્યને પૂછે છે કે આપના આચાર ( મૂલ ગુણ્ણા ) અને ગાચર કેવા છે તે કૃપા કરીને જણાવેા ? આ પ્રશ્નના જવાબમાં શ્રી આચાર્ય મહારાજ (૧ થી ૬) પાંચ મહાવ્રતની આરાધના, રાત્રિભાજનના ત્યાગ (૭ થી ૧૨) ૬ જીવનકાયની રક્ષા (૧૩) અકલ્પ્ય ( દૂષિત ) આહાર-પાણી લેવા નહીં, (૧૪) ગૃહસ્થના ભાજનમાં ખવાય નહીં, (૧૫) તેના પલંગ પર બેસવું નહીં, (૧૬) તેની બેઠક ( ગાદીકિયા-ખુરસી વગેરે વપરાય નહીં, (૧૭) સ્નાન કરાય નહીં, (૧૮) શરીરની શાભાના ત્યાગ કરવા. આ રીતે ૧૮ પ્રકારે મુનિધમ અને શ્રાવકધમ વિસ્તારથી સમજાવે છે. ચામ્ય પ્રસ ંગે અણુવ્રતાદિનુ અને ક્ષમા વગેરે દશ પ્રકારના શ્રમધર્મીનું સ્વરૂપ જણાવીને અશબ્દના નિક્ષેપાતુ વર્ણન કરતાં ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપ, ચતુષ્પદ, કુષ્યના ભેદ, સ્વરૂપ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી ત્યાગ કરવા લાયક કામના ભેદ અને સ્વરૂપ વગેરેનું વર્ણન કરીને મુનિના પાંચ મહાવ્રત અને રાત્રિભોજનના ત્યાગરૂપ વ્રત વગેરે ૧૮ સ્થાનકાનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે (૧) મુનિવરો તમામ વેને જીવવુ ગમે છે એમ સમજીને સર્વથા જીવ હિંસા કરતા નથી, કરાવતા નથી, જીવની હિંસા કરનારનીઅનુમોદના પણ કરતા નથી. (૨) બ્રુ ું બેલે તેના કોઈ વિશ્વાસ કરતુ... નથી, એમ સમજીને મુનિએ પોતાને માટે કે બીજાન માટે લગાર પણ જૂઠ્ઠું એલતા નથી. (૩) ઢાંત ખાતરવાની સળી જેવી ચીજ પણ માલિકની રજા સિવાય લેતા નથી, (૪) તથા ભયંકર અધર્મીના કારણભૂત મૈથુનને મનથી પણ સેવતા નથી, ત્રિવિધે તેના ત્યાગ કરી નિર્મીલ બ્રહ્મચર્યને પાળે છે. (૫) લવણ ગાળ વગેરેના નિધિ (સંઘરા ) કરતા નથી, (૬) સયમાદિની આરાધના કરવામાં વસ્રાદ્દિન મદગાર સમઅને ધારણ કરે છે તે પાતાના શરીર ઉપર પણ મમતા રાખતા નથી. (૭) બહુ જ ઝીણાં જંતુઓ વગેરે રાતે અંધારામાં દેખાય નહિ, આ મુદ્દાથી મુનિએ રાતે લગાર પણ અશનાદ્ધિ આહાર કરતા નથી. આ તમામ હકીકત વિસ્તારથી સમજાવીને હું જીવનિકાયની રક્ષાનું વર્ણન કરતાં કહ્યું છે કે પૃથ્વીકાયાદ્દિને હુણતાં તેને આશ્રીને રહેલા બીજા પણ જીવા હુણાય છે, એમ સમજીને મુનિવરો પૃથ્વીકાય વગેરે ૬ નિકાયની સંપૂર્ણ રીતે રક્ષા કરે છે. અને અકલ્પ્ય (મુનિને ન ખપે તેવા ) પિંડાદિના તથા ઔદ્દેશિકાઢિ ઢાષવાળા આહરાદિને વાપરતા નથી. આ પ્રસ ંગે શિક્ષા કલ્પનું તે સ્થાપના કલ્પનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યુ` છે, તથા મુનિવરે ગૃહસ્થના કાંસાદિના વાસણમાં ભાજન કરતા નથી, કારણ કે તેઓ જો તેમ કરે, તા તેમને શીતાદકના આર્ભના અને પશ્ચાત્કમ 'પુર:કના ઢાબ લાગે છે. તેમજ સીવેલા પાલખી વગેરેની પ્રતિલેખના (પડિલેહુણ) બહુ જ મુશ્કેલીથી પણ થઈ શકે નહીં, તેથી મુનિએ તે પાલખી આદિને વાપરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy