SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચનકિરણાવલી (શ્રી દશવૈકાલિક સૂત્રના સંક્ષિપ્ત પરિચય) ૫૫૭ દ્રવ્યશવ્યાદિનું તથા સ્વકાય સાદિનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જે શસ્ત્ર, અગ્નિ, ઝેર વગેરે અને સ્વીકાર્ય શાસ્ત્ર વગેરે તે દ્રવ્ય શસ્ત્ર કહેવાય, ને જે અસંયમ તેમજ વિરુદ્ધ વિચાર વગેરે તે ભાવ શસ્ત્ર કહેવાય. આ બીના સ્પષ્ટ સમજાવીને વનસ્પતિકાયના વર્ણનમાં ઝાડનાં મૂલ (મૂલિયા) અને પ્રથમપત્ર (મૂળિયાનો ભાગ થયા બાદ જે પહેલું પાંદડું ઊગે તે)નો બનાવનાર એક જ જીવ છે; એટલે તે બંનેનો કર્તા (બનાવનાર) એકજ જીવ છે, પણ મૂલનો જીવ જુદો નથી ને પ્રથમ પત્રનો જીવ પણ તેનાથી જુદા નથી, આ બીના સ્પષ્ટ સમજાવીને વિશ્વસ્તયોનિનું સ્વરૂપ ને અવિશ્વસ્ત-યોનિનું સ્વરૂપ તથા મૂલ (ઝાડનાં મૂળિયાં)ને જીવે બનાવેલા પ્રથમ પત્રાદિની બીના વિસ્તારથી વર્ણવી છે. પછી ક્રમવાર અધ્યયનના પાંચ અર્થો, સૂક્ષ્મ પુદગલ ને નપુદગલાદિનું સ્વરૂપ, તથા ૬ જવનિકાયના દંડને (આરંભાદિને) તજવાની બીના કહીને પાંચ મહાવ્રતાનો અધિકાર (વર્ણન) શરૂ કર્યો છે. અહીં પહેલા મહાવ્રતના વર્ણનમાં સંપૂર્ણ હિંસાને તજવાની બીના જણાવતાં પટાદિના દષ્ટાંતે ઉપસ્થાપનાનું ને સૂક્ષ્મ બાદર, રસ, સ્થાવર જેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી બીજા મહાવ્રતના વર્ણનમાં અગત્યના સદ્દભાવ-પ્રતિષેધ વગેરે ચાર ભાંગાની હકીકત કહીને સર્વથા અસત્યને તજવાનું કહ્યું છે. પછી ત્રીજા મહાવ્રતના વર્ણનમાં સર્વથા અદત્તાદાનવિરતિની બીના છે અને ચોથા પાંચમાં મહાવ્રતના વર્ણનમાં ક્રમસર સર્વથા મૈથુન-વિરતિની હકીકત તથા સર્વથા પરિગ્રહની વિરતિ કરવાની આજ્ઞા ફરમાવી છે. ત્યાર બાદ અનુક્રમે રાત્રિભેજન-વિરમણ-વ્રતના વર્ણનમાં ચાર ભાંગાની બીને અને સર્વ વ્રતોના ૪૭ ભાંગાની બીના, તથા તેને સ્વીકારવાનો વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી પૃથ્વીકાયાદિ ૬ કાયની રક્ષાને સૂચવનારા આલાવાના અર્થ, અયતનાથી પ્રવૃત્તિ કરનારા જીવોને થતાં કડવાં ફલો, તથા જયણથી ગમન આગમન વગેરે કરવાની સૂચના, તેમજ યતના પાળવાનાં શુભ ફલો વગેરે બીના વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે જીવના ને અજીવના સ્વરૂપને જાણવાનાં ફલોનું વર્ણન કરતાં સંયમથી માંડીને છેવટે સિદ્ધિના સુખની પ્રાપ્તિ સુધીની બીના સ્પષ્ટ સમજાવીને કયા મુનિવરે સુગતિને પામે? ને કયા મુનિઓ દુર્ગતિને પામે? તથા છેલ્લી અવસ્થાએ પણ સંયમને સાધનારા છો કઈ ગતિને પામે? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરીને અંતે મુનિઓને શ્રમણધર્મની આરાધના કરવાનો આબાદ ઉપદેશ આપે છે. શ્રી ષજીવનિકાય અધ્યયનને ટૂંક પરિચય પૂરો થયો. ૫. પાંચમાં શ્રી પિડેષણ નામના અધ્યયનના પહેલા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં પિંડ શબ્દના અને એષણા શબ્દના નિક્ષેપાની બીના કહીને દ્રવ્યપિંડનું ને ભાવપિંડનું સ્વરૂપ જણાવ્યું છે. ગાળ ભાત વગેરે દ્રવ્યપિંડ કહેવાય ને ક્રોધ વગેરે ભાવપિંડ કહેવાય. આ બીના સ્પષ્ટ સમજાવીને અનુક્રમે વૈષણાનું ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy