SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૬ શ્રીવિજયસૂરીશ્વરકૃત ૩. શ્રી ભુલિકાચાર કથા નામના ત્રીજા અધ્યયનને ટ્રેક પરિચય અહીં શરૂઆતમાં ક્ષુલ્લક-પદના નિક્ષેપો કહીને આચાર-પદના નિક્ષેપ જણાવતાં જ્ઞાનાચારોનું સ્વરૂપ સુલસા, શ્રેણિક રાજા, વજસ્વામી, વગેરેનાં દષ્ટાંત આપીને વિસ્તારથી સમજાવ્યું છે. પછી અનુક્રમે અર્થકથા, કામકથા, ધર્મકથાને મિશ્ર કથાનું સ્વરૂપ સાર્થવાહની પુત્રી વગેરેનાં દૃષ્ટાંત આપીને વિસ્તારથી સમજાવ્યું છે. પછી આક્ષેપિણુંકથા વિક્ષેપિસકથા, સંવેજિનીકથા, અને નિવેદિની કથાનું તથા સ્ત્રીકથા વગેરે ૯ કથાઓનું સ્વરૂપ કહેતાં સંવેગનું ને નિર્વેદનું પણ વર્ણન કરીને સાધુનાં કર્તવ્યો અને અકર્તવ્ય તથા કથા કરવાની રીતિ, તેમજ સાધુને અનાચીર્ણ (નહિ આચરવા લાયક) પર (બાવન) પદાર્થો વગેરેનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. અંતે સાધુનું યથાર્થ સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જેઓ આશ્રવાદિને તજે, ને આતાપનાદિ કરે, તથા પરીષહાદિને સહીને તપશ્ચર્યાદિ વડે મોક્ષમાર્ગને સાધે તે મુનિવરો કર્મોને દૂર કરી સિદ્ધિપદને પામે છે. ૪. ચોથા ષડ્રજવનિકાય નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં નિયુક્તિકારે કહ્યું છે કે આ ચેથા અધ્યયનમાં છવની અને અજીવની હકીકત તથા ચારિત્રધર્મનું સ્વરૂપ જણાવતાં યતનાને પાલવાને ઉપદેશ આપીને અંતે ધર્મનું ફલ જણાવીશ. આ રીતે કહેવાની પ્રતિજ્ઞા કરીને નિક્ષેપાનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે “” અને “૬ સંખ્યાવાચક શબ્દોમાં નિક્ષેપાના વિચારો કહીને જીવની પરીક્ષા કરવાના સાધનભૂત (તેના) લક્ષણ, અસ્તિત્વ (હયાતી) શરીરાદિથી જુદાઈ, અમૂર્ણપણું, નિત્યપણું, કર્તાપણું, શરીરમાં ફેલાઈને તેનું (જીવનું) રહેવાપણું, ગુણપણું, ઊંચે જવાપણું વગેરે (જીવના) ધર્મોની બીના સ્પષ્ટ સમજાવી છે. પછી જીવ શબ્દના નિક્ષેપા, અને સૂક્ષ્મ બાદર પર્યાપ્તાદિ નું સ્વરૂપ તથા લક્ષણના પર્યાયવાચક શબ્દો, તેમજ જીવનાં ઉપગ વગેરે લક્ષણો વગેરે પદાર્થોની હકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે જીવની સત્તાને લઈને જ દાનાદિ ક્રિયાઓની સાધના ઘટી શકે છે. આ જીવને કરવત આદિથી છેદી શકાય નહિ, તે શરીરથી અલગ છે. આ બીના વિસ્તારથી કહીને સંસારના ત્રણ ભેદો અને આસ્ત વચનાદિ પ્રમાણેથી જીવની સિદ્ધિ, તથા તેના અમૂર્ણપણું વગેરે ધર્મોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી જીવને એકાંત નિત્ય માનવામાં જણાતા ની બીના, અને તેના (જીવન) કર્તવ (કર્માદિના કરનારપણું) વગેરે દ્વારેનું વર્ણન, તથા કાપતીનું દષ્ટાંત કહેવા પૂર્વક કાય શબ્દના નિક્ષેપ જણાવીને કહ્યું છે કે અહીં ચાલુ પ્રસંગે નિકાય અને કાયશબ્દની જરૂરિયાત છે. પછી અનુક્રમે પૃથ્વીકાયાદિ ૬ જવનિકાયનું સ્વરૂપ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy