SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દશ વૈકાલિક સૂત્રનો સંક્ષિપ્ત પરિચય) ૫૫૫ શબ્દોની બીના વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે જે જીવો શબ્દાદિ કામ–ભેગમાં આસક્તિ ધારણ કરે છે, તેઓ જરૂર સંકલ્પને (આરૂં ધ્યાનાદિને) વશ થાય છે. આ બીના સ્પષ્ટ સમજાવીને કામ શબ્દમાં નિક્ષેપાના વિચારે ઘટાવતાં દ્રવ્ય-કામનું ને ભાવ-કામનું પણ વર્ણન કર્યું છે. પછી પદ શબ્દમાં ૪ નિક્ષેપ ઘટાવીને દ્રવ્ય-પદનું ને ભાવપદનું સ્વરૂપ કહેતાં ક્ષુલ્લક મુનિનું દૃષ્ટાંત જણાવ્યું છે. આ પ્રસંગે ગદ્ય-પદ્ય-ગેયાદિનું ને ૧૮ હજાર શીલાંગ રથનું સ્વરૂપ, અને સુબંધુના દૃષ્ટાંતે સ્વછંદી સાધુઓનું અત્યાગીપણું, તથા સ્વાધીન ભેગોને તજનારાનું સાચું ત્યાગીપણું, વગેરે બીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે જે સ્ત્રી વગેરે ભોગ સામગ્રી તે મારી નથી ને હું તેને નથી. આવી શુભ ભાવના રાગને દૂર કરવાનું પરમ સાધન છે. આ બીના દાસી વગેરેના દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજાવી છે. મુનિ વમેલા (તજેલા) ભેગોની ઇચ્છા કરે જ નહિ, મરવું એ વધારે સારું, પણ વમેલા ભેગાની ઇચ્છા કરવી એ વાજબી નથી. આ પ્રસંગે રાજીમતી સાધ્વીએ રથનેમિને આપેલ ઉપદેશ-વચનો અને નૂપુરપંડિતાનું દષ્ટાંત વગેરે બીના વિસ્તારથી જણાવી છે. હિતશિક્ષા - આંખથી શ્રી જિનેશ્વરદેવને અને શ્રીગણધરાદિ મહાપુરુષોને જેવાથી તેમના સદગુણે યાદ આવે છે. તેથી દર્શન કરનાર ભવ્ય છે તે મહાપુરુષોએ આપેલા સન્માગે પિતાના આત્માને જોડીને આત્મહિત જરૂર સાધે છે, અને રાગના પ્રબલ સાધનભૂત સ્ત્રી આદિના રૂપને રાગદષ્ટિથી જોતાં મનમાં ભેગણું વધતી જાય છે, અનુક્રમે મન અસ્થિર બનતાં મોક્ષમાર્ગના સાધક આત્માએ પોતાની સાધના ચૂકી જાય છે. આવા પ્રસંગે ઉત્તમ પુરુષોનાં વચનો યાદ આવે કે કોઈ દયાલુ પુરુષ તેવા આત્માને શાંતિથી પ્રેમ ભરેલાં હિતકારી વચને સંભળાવે, તો તે સાવચેત બનેલા આસન્નસિદ્ધિક આત્માઓ પોતાની ભૂલ સમજે છે, ભૂલ કબૂલ કરીને પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્તાદિ સાધનોને સેવીને જરૂર આમશુદ્ધિ કરીને પરમ ઉલાસથી ને બહુ જ કાળજીથી ક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરે છે, પરિણામે મુક્તિનાં અવ્યાબાધ સુખ પણ પામે છે. આ બીજા અધ્યયનમાં આ હકીકતને પ્રભુ શ્રી નેમિનાથના નાના ભાઈ રથનેમિ મુનિનું દૃષ્ટાંત આપીને સમજાવનારા શ્રી શäભવસૂરિ મહારાજે તમામ મુનિવરોને હિતશિક્ષા ફરમાવી છે કે હે મુનિવરે! તમે જે પેલે પલે સાવચેત રહીને સારા નિમિત્તોને સેવશે, તો જ સંયમજીવનના અંતિમ સાધ્યને (મોક્ષને) પામશે. દ્રવ્યચારિત્ર ભાવચારિત્રને ટકાવે છે, પણ મોક્ષમાર્ગની આરાધનામાં તે ભાવચારિત્રની જ મુખ્યતા છે. તેને મલિન કરનારાં નિમિત્તોથી જરૂર અલગ રહેજે. ને સારા નિમિત્તાની સેવા કરીને ભવસમુદ્રને તરી જજો. શ્રી ગ્રામપૂર્વિક અધ્યયનને ટ્રેક પરિચય પૂરો થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy