SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત પાલીને તપ નિયમ અને સંયમને સાધે, તે મુનિવરો આરાધક બને છે. આ હકીકત વિસ્તારથી સમજાવીને પ્રેક્ષાસંયમ, ઉપ્રેક્ષાસંયમ, પરિબાપના સંયમ અને પાંચ પ્રકારના સ્વાધ્યાયનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી ક્રમસર થંડિલ જવાના વર્ણનમાં આપાત અને સંલોક પદના ભાંગ, અને સ્વપક્ષાદિનું વર્ણન, તથા અધિકરણ (કષાય, કલેશ, ઝઘડા )નું સ્વરૂપ જણાવતાં આહનન (તાડન-તર્જના) વગેરે દોષોની બીના, આ તમામ હકીકત જણાવતાં પહેલાં નિશ્ચયથી ને વ્યવહારથી પૌરૂષીનું સ્વરૂપ, શીતકાલાદિમાં તેની થતી વૃદ્ધિ હાનિ (પૌરુપીના પ્રમાણમાં થતો વધારો કે ઘટાડ) તથા અવમાત્ર એટલે ક્ષયતિથિનું વર્ણન, તેમ જ પ્રતિલેખના કરવાના કાલનું સ્વરૂપ વિસ્તારથી કરીને અનુક્રમે પાત્રાને પડિલેહવાનો ને પડલેહીને તેને સ્થાપન કરવાની વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી જણાવ્યું છે કે ચોમાસામાં પાવાની ઉપર ગુચ્છા ચઢાવવા નહીં ને બાકીના આઠ મહિનામાં પાત્રાની ઉપર ગુચ્છા જરૂર ચઢાવવા જ જોઈએ. જો તેમ ન કરે, તો જે દોષો લાગે તેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી સ્પંડિલ જતાં (વડીનીતિ જતાં) ડગલને ગ્રહણ કરવાની વિધિ અને સ્પંડિલના ૧૦ ભાંગા જણાવીને શુદ્ધ થંડિલનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે જ્યાં લોકે આવતાં-જતાં ન હોય, અને તેમની દૃષ્ટિ ન પડતી હોય, તથા બિલ તેમ જ લીલોતરી વિનાની ભૂમિ હોય, ત્યાં સાધુએ સ્પંડિલ (વડીનીતિ) જવું જોઈએ. આ ડિલના વર્ણનમાં સમ વગેરે પાનું પણ સ્વરૂપ અને સૂર્યની છાયા વગેરેનો નિર્ણય કરવાનો વિધિ, તથા અવગ્રહને માંગવાની વિધિ, તેમ જ ઉપકરણને મૂકવાના સ્થાનની બીના વગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી પાંચ સમિતિના અધિકારમાં ઈસમિતિનું સ્વરૂપ, અને ઊંચે જઈને કે આડા અવળાં જોઈને ચાલતાં થતા નુકસાન વગેરેની બીના સ્પષ્ટ સમજાવીને પ્રતિલેખના દ્વારનું વર્ણન પૂરું કર્યું છે. ૨. બીજા પિંડદ્વારને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં પિંડેષણ વગેરે ત્રણ પ્રકારની એષણાને કહેવાની ભાવના જણાવીને નિર્યુક્તિકાર શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે પિંડ શબ્દના નિક્ષેપ જણાવતાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત પૃથ્વીકાયનું તથા અકાયનું સ્વરૂપ અને પ્રયોજન તથા અચિત્ત થવાનાં કારણે તેમ જ વસ્ત્રોને ધોવાને કાલ, વિધિ અને સૂકવવાનો વિધિ વગેરેનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ અવસરે કલ્યાણક-પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ જણાવ્યું છે. પછી ક્રમસર સચિત્તાદિ ત્રણ ભેદે અગ્નિકાય, વાયુ અને વનસ્પતિનું વિસ્તારથી વર્ણન કરીને વિકલનિદ્રયાદિનું પ્રયોજન અને પાત્રાને લેપ કરવાના સાધનભૂત પદાર્થોની માંગણી કેની પાસે કઈ રીતે કરવી ? લેપ કરવાનું કારણ શું ? લેપ કઈ રીતે કરે? પાત્રાને લેષ ન કરવાથી થતા ગેરલાભ કયા ક્યા ? આ તમામ પ્રશ્નોના ઉત્તરે, તથા પિંડ શબ્દના પર્યાયવાચક શબ્દોનું વર્ણન, તેમ જ વ્યપિંડ ને ભાવપિંડનું સ્વરૂપ વગેરે હકીકત Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy