SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત રીતે કર્મબંધમાં જે આત્માનાં પરિણામ, તે જ સાક્ષાત (અનંતર) કારણ છે, તથા યતનાથી આત્મશુદ્ધિ થાય છે. તેમ જ જેના મનમાં સાચી ત્યાગધર્મની ભાવના રહેલી છે, તે આત્મા મુક્તિપદને પામે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને ગ્લાનાદિ દ્વારેનું વર્ણન, અને સાંગિકાદિને અંગે જરૂરી બીના, તથા પ્લાનને માટે વૈદ્યને લાવવાનો વિધિ તેમ જ શ્રાવક પાસેથી જરૂરી દવા વગેરે પદાર્થોને માંગવાને વિધિ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી જિનાજ્ઞાનું ને આચાર્યની આજ્ઞાનું અને પ્રથમાલિકારૂ૫ ગોચરીનું જરૂરી વર્ણન તથા ઉદ્દગમ દોષાદિની બીના, તેમ જ શૂન્યગ્રહાદિમાં વસતિ, (રહેવા માટે સ્થાન, ઉપાશ્રય) વગેરેને અંગે જરૂરી હકીકત વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. પછી કઈ ગામ નગરાદિમાં બીજી વસતિ (ઉપાશ્રય) મુનિવરોને ઉતરવાલાયક ન હોય, ત્યારે જે પાર્શ્વસ્થ વગેરેની વસતિમાં નિરૂપાયે ઉતરવું પડ્યું હોય (રહેવાનો પ્રસંગ આવ્યો હોય, તો તે વખતે સાચવવાને વિધિ, અને ખાસ કારણે અશિવ (ઉપદ્રવ વાળા) સ્થાને રહેવાને પ્રસંગે ઉપસ્થિત થતાં તે વખતે સાચવવાનો વિધિ, તથા ચોમાસામાં વિહાર કરવાથી લાગતા દોષેનું, તેમ જ ગીતાર્થના વિહારનું અને ગીતાર્થની નિશ્રાએ કરાતા વિહારનું સ્વરૂપ વગેરે તમામ બીના વિસ્તારથી કહી છે. અહીં જણાવ્યું છે કે શ્રી તીર્થકરે (1) ગીતાર્થને વિહાર, અને (૨) ગીતાર્થ, નિશ્ચિત મુનિવરોનો વિહાર આ બે રીતે વિહાર કરવા ફરમાવ્યું છે. જે મુનિ પોતે ગીતાર્થ ન હોય, ને ગીતાર્થની નિશ્રામાં (આજ્ઞામાં) ન રહેતા હોય, તે જો વિહાર કરે, તો તે વિરાધક બને છે. પછી અનુક્રમે ગચ્છવાસી આચાર્ય વગેરેનું, ને ગછનિર્ગત (જેઓ ગરછમાં હાલ ન રહેતા હોય તેવા) પ્રત્યેક બુદ્ધ વગેરેનું સ્વરૂપ, તથા ગચ્છવાસી મુનિવરાદિના વિહારનો વિધિ, તેમ જ ક્ષેત્રની અને ઉચ્ચારભૂમિ વગેરેની પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) કરવાને વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવીને ક્ષેત્રના વિભાગાદિને વિધિ, અને શ્રીઆચાર્યાદિ ગુરુમહારાજને માટે સ્નિગ્ધ આહાર ( દૂધ, ઘી) વગેરેને વહેરવાનો વિધિ, અને સ્વૈહિલાદિની પ્રત્યુપેક્ષણ કરવાને વિધિ, તથા વસતિ વાપરવા માટે શયાતરની અનુજ્ઞા (રજા) લેવાનો વિધિ, તેમ જ દ્રવ્યાનુજ્ઞાપના વગેરેનું સ્વરૂપ વગેરે તમામ બીના વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર સાંકડી વસતિમાં રહેવાનો વિધિ. અને પ્રાઘુર્ણક (પણા જેવા–ચાલુ વિહાર કરતાં આવેલા) મુનિએ વસતિમાં આવતાં સાચવવાનો વિધિ, તથા વિહારકાલે ઉપધિ આદિને વહન કરી (ઉપાડી) ચાલવાને વિધિ, તેમ જ વિહાર કરતાં આગળ ગયેલા કે પાછળ રહેલા સાધુઓને સાચવવાનો જરૂરી વિધિ, વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી ક્રમસર આગળ ગયેલા સાધુઓ પાછળ રહેલા સાધુઓને ખરા રસ્તાની ખબર પડે, માટે રેખા (દાંડાથી લિસેટ) કરે તેવી સૂચના, આહાર કરીને કે વિકાલે ગામ નગરાદિમાં પ્રવેશ કરવાથી લાગતા દોષોનું વર્ણન, સંથારો કરવાનો, ગામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy