SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્રસૂરીશ્વરજીકૃત દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા સૂર્યપ્રાપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિમાં ગણિતાનુગની મુખ્યતા તથા કાલ્પિકાદિ છેલ્લા પાંચ ઉપાંગસ્વરૂપ શ્રીનિયાવલિસૂત્રમાં ધર્મકથાનુગાની મુખ્યતા છે. આવશ્યકસૂત્રમાં, દશવૈકાલિકસૂત્રમાં તથા ઓઘનિર્યુક્તિમાં ચરણકરણનુયોગની મુખ્યતા છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં ધર્મકથાનુગની વિશેષતા છે, તથા શ્રીનંદીસૂત્રમાં ને અનુગદ્વાર સૂત્રમાં પ્રવ્યાનુયોગની મુખ્યતા છે. શ્રીનિશીથાદિ ૬ દસૂત્રોમાં તથા શ્રી ચતુઃ શરણ, આતુરપ્રત્યાખ્યાન, ભક્તપરિક્ષા, સંસ્તારપ્રકીર્ણક, તંદુલવૈચારિકપ્રકીર્ણક, ચંદ્રાવેયક, મરણસમાધિ, તથા મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણકમાં ચરણકરણનુગની મુખ્યતા છે. ને દેવેન્દ્રસ્તવપ્રકીર્ણકમાં તથા ગણિવિદ્યા પ્રકીર્ણકમાં ગણિતાનુગાની મુખ્યતા છે. આ રીતે વર્તમાન આગામોમાં અનુયાગની ટૂંક બીના જણાવી. આગમામાં રહેલી ફીલોસોફી. હાલની ઘણી સુપ્રસિદ્ધ શોધખોળે પણ તે જ વિદ્યા-મંત્ર વગેરેના ભંડાર જેવા ઉત્તમ પ્રવચનગ્રંથોમાંથી જ નીકળી છે. કારણ કે આ શ્રી જન પ્રવચનમાં જ, કર્મવાદ, આત્મવાદ, પરમાણુવાદ વગેરે પદાર્થોની સર્વાગ સંપૂર્ણ ફિલોસોફી (તત્વજ્ઞાન) ભરેલી છે. શ્રી જેને પ્રવચનનાં ગૂઢ તત્ત્વોને જાણનારા ભવ્ય જીવો એ તો જરૂર સમજે છે કે-જેટલા લોકાકાશના પ્રદેશ છે, તેટલા જ દરેક જીવના આત્મપ્રદેશ છે. એકેન્દ્રિયાદિ જેમાં કોઈ પણ જીવ નાને મોટો છે જ નહિ, કારણ કે વસ્ત્રની માફક તે પ્રદેશને સંકેચ (ઓછી જગ્યામાં રહેવું છે અને વિકાસ (વધારે જગ્યામાં રહેવું) જરૂર થાય છે, માટે જ કીડી વગેરે નાના જંતુઓનો અને હાથી વગેરે માટે જાનવરોને આત્મા એક સરખો છતાં નાના શરીરમાં સંકોચાઈને અને મેટા શરીરમાં ફેલાઈને રહે છે. આ બાબતમાં શ્રી ઉમાસ્વાતિ વાચકે બનાવેલા શ્રીતત્ત્વાર્થસૂત્રની ટીકામાં પણ કહ્યું છે કે-“સંયોવાસઘર્મવાકારમઝહેરાનામિતિ” એટલે આત્મપ્રદેશે સંકોચાય છે, ને - તથા દરેક આત્મપ્રદેશની ઉપર રહેલા ઘણા કર્મ સ્કંધોમાંના દરેક પરમાણુ વગેરે પદાર્થો જુદા જુદા સ્વરૂપે પરિવર્તન (ફેરફાર) પામે છે. માટે ખરી રીતે રાગ કરવાનું કે દ્વેષ કરવાનું કારણ બીજું કંઈ છે જ નહિ, ફક્ત બિનસમજણને લઈને જ જુદી જુદી પ્રતીતિ (જ્ઞાન) થાય છે, એમ નાગમ પહેલેથી જ ફરમાવે છે. તથા નૈયાયિકે કહે છે કે “શબ્દ એ આકાશનો ગુણ છે ( રામામ)” તેઓ પણ ફેનોગ્રાફ વગેરેની શબ્દોને કેચ કરવાની (પકડવાની શક્તિને જોઈને, જેમ જૈન દર્શન શબ્દ એ પૌગલિક પદાર્થ છે એમ માને છે, તેવી રીતે કબૂલ કરે જ છે. કારણ કે એકલે ગુણ તો પકડાય જ નહિ, પૌગલિક પદાર્થ જ પકડી શકાય, એ વાત તો આબાલગોપાલ જગજાહેર છે. વળી વાયરલેસ ટેલીગ્રાફની શોધખોળને જૈન પ્રવચન નવીન શેાધાળ તરીકે માનતું જ નથી. કારણ કે તે હિંહિમ વગાડીને સ્પષ્ટ ફેલાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy