SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પા૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વડે આત્માને નિલ બનાવી રહ્યા હતા. ગૌતમ ગાત્રમાં જન્મેલા, સાત હાથની કાયાવાળા, સમચતુસ્ર સંસ્થાનના ધારક અને વજ્રઋષભનારાંચ સંઘયણવાળા શ્રી ગૌતમસ્વામી મહાતપસ્વી, ધાર બ્રહ્મચના પાલક અને સક્ષિપ્ત તેમ જ વિપુલ તેજોલેશ્યાને ધારણ કરનારા હતા. વળી તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક અને સર્વાક્ષર સ`યેાગાના જાણકાર હતા. છતાં તેમને જ્યારે જ્યારે જિજ્ઞાસા રૂપ સશય થાય, ત્યારે ત્યારે વિનયપૂર્વક કયાં કારણાથી કર્યુ' કમ અંધાય ? ક`થી મુક્ત થવાના શા ઉપાય ? તેમ જ “ ચમાળે ચ” વગેરેના મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછી તેનેા ખુલાસા મેળવતા હતા. પ્રભુને પ્રશ્નો પૂછવાના હેતુ આ પ્રસંગે એ શંકા થાય છે કે શ્રી ગૌતમસ્વામી તે દ્વાદશાંગીના રચનાર અને ચાર જ્ઞાનના ધારક હોવાથી સજ્ઞ જેવા હતા, તેા પછી પ્રભુને તેઓશ્રી પ્રશ્ના પૂછે છે એમ કેમ બને? આના ઉત્તરમાં ટીકાકાર ભગવંત જણાવે છે કે (૧) ઉદયમાં વતા જ્ઞાનાવરણીયાદિ કર્માના પ્રતાપે છદ્મસ્થને અનુપયોગ ભાવ હાય છે તેથી, (૨) જાણતાં છતાં પેાતાના જ્ઞાનના સંવાદ માટે, (૩) બીજાઆને આધ પમાડવા માટે, (૪) વશિષ્યાને ગુરુના વચન ઉપર દૃઢ શ્રદ્ધા થાય એવા ઇરાદાથી અથવા (૫) સૂત્રરચનાની વિધિ સાચવવા માટે, એમ પાંચમાંના કોઈ પણ કારણથી ગૌતમ મહારાજા પ્રભુને વારવાર પ્રશ્નો પૂછતા હતા. કેશી ગણધર સાથેના પ્રસંગ શ્રી ગૌતમસ્વામીમાં અપૂવ વિનય ગુણ વસ્યા હતા, તેની ખાતરીને માટે કેશી ગણધર મહારાજાના પ્રસંગ સાક્ષી પૂરે છે. ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા, ત્રણ જ્ઞાનના ધારક, મહારધર, શ્રી કેશી ગણધર મહારાજા અને શ્રી ગૌતમ મહારાજા એક વખત શ્રાવસ્તી નગરીની નજીકમાં પધાર્યા. ત્યાં શ્રીકેશી ગણધર તિન્દુક વનમાં પધાર્યા અને શ્રીગૌતમ ગણધર કાષ્ઠક નામના ઉદ્યાનમાં રહ્યા હતા. એટલે જ્યેષ્ઠ કુલનુ માન સાચવીને વિનયનિધાન શ્રી ગૌતમ મહારાજ કેશી ગણધરને મલવા પધાર્યાં, શ્રીકેશી મહારાજે તેમનું ચાગ્ય સન્માન સાચવ્યુ, મહામાંહે એકબીજાએ સુખશાતાના સમાચાર પૂછ્યા, અને અને પૂજ્ય પુરુષા ઘણા જ ખુશી થયા. અવસર જોઇને શ્રીગૌતમ ગણધરે કૈશી ગણધરનાં મહાવ્રતાની સખ્યા, સચેલક અચેલક ધ ઇત્યાદિ બાબાના તમામ પ્રશ્નોના શાંતિ પૂર્વાંક, મીઠી ભાષામાં ઉત્તર આપ્યા, જે સાંભળી શ્રીકેશી ગણધર ઘણા ખુશી થયા. દૈવાદિની સભાને પણ આ વાત સાંભળી ઘણા જ આનંદ થયા. પછી શ્રીકેશી ગણધરે ‘ આપ શ્રી મહાજ્ઞાની અને ગાંભીર્યાદિ ગુણનાના સમુદ્ર છે. ' એમ સ્તવીને શ્રીગૌતમ મહારાજાની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy