SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫૧૧ પ્રભુનું આ વચન સાંભળીને ઇદ્રભૂતિને આશ્ચર્ય થયું અને સાથે સાથે પ્રભુના સર્વાપણાની ખાતરી થઈ. વેદવાક્યને ઇંદ્રભૂતિ જે અનુચિત અર્થ કરતા હતા તેના પ્રભુએ ઉપયોગ ધમની અપેક્ષાએ સત્ય અર્થ સમજાવ્યું. એટલે સંદેહ દૂર થતાં, તેમણે પચાસ વર્ષ પૂરા થયા બાદ એકાવનમા વર્ષે વૈશાખ સુદ અગિયારસના દિવસે પૂર્વ ભાગમાં સંયમ ગ્રહણ કર્યું. (બાકીના દશ બ્રાહ્મણોએ પણ તે જ દિવસે પિતાને સંશય દૂર થતાં ઇન્દ્રભૂતિજીની માફક દીક્ષા ગ્રહણ કરી.). ગણધર પદ અને ચાર જ્ઞાનની પ્રાપ્તિ અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પોતપોતાનો સંદેહ દૂર થતાં શ્રી ઇન્દ્રભૂતિ આદિની મિથ્યા પરિણતિ પણ દૂર થઈ અને સમ્યકત્વની પરિણતિ પ્રાપ્ત થઈ પ્રભુએ લાયક જાણી તેમને ગણધર પદવી આપી અને વાસક્ષેપ કર્યો, એટલે એ જ વખતે તેઓ બધા સમ્યગ્દર્શન ઉપરાંત ચાર જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ)ના ધારક બન્યા. ખરેખર, પ્રભુના વાસક્ષેપનો પ્રભાવ અલૌકિક હોય છે. થોડા જ વખત પહેલાં જેઓને સમ્યજ્ઞાનની ગંધ પણ ન હતી, જેઓ મિથ્યાજ્ઞાન રૂપી કાદવમાં ખૂંચેલા હતા અને તેથી જેઓ પ્રભુને “ઇંદ્રાલિયો વગેરે વગેરે શબ્દો કહેતા હતા, તેઓ થોડા જ વખતમાં આવા જ્ઞાની બન્યા અને ઉચ્ચ કેટીમાં મુકાયા. ખરેખર પુરુષોનો સમાગમ અપૂર્વ લાભકારક હોય છે ! અસ્તુ. તીર્થકર પદ અને ગણુધરપદને રંક પરિચય તીર્થકરપદ સિવાયના બીજા પદોમાં ગણધરપદ પ્રધાન છે. અનેક ગ્રંથ ઉપર સરલ ટીકા બનાવનાર અને સરસ્વતીના વરદાનવાળા આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે પંચસંગ્રહમાં કહ્યું છે કે કષાયની મંદતાવાળા અને સમ્યગ્દર્શન સહિત છતાં પણ છે આશ્ચર્ય છે કે મહાદેદીપ્યમાન શ્રી તીર્થકરનો ધર્મરૂપી દીવો હયાત છતાં મોહરૂપ તિમિરથી ઢંકાયેલા નેત્રવાળા આ બિચારા સંસારી જી અનેક કષાયાદિ સ્વરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાં આથડે છે, '' એવી ભાવદયાથી પ્રેરાઈને સવ જીવોને ઉદ્ધારવાનો પ્રયત્ન કરે છે, તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. સ્વજન વર્ગના ઉદ્ધાર કરવાની ભાવના ભાવનાર છ ગણધરપદને પામે છે. મહાપુણ્યશાલી જીવો જ આ સ્થિતિને પામી શકે છે, તેથી તેમની રૂપસંપદા પણ બીજા છ કરતાં ચઢિયાતી હોય છે. એટલે આહારક શરીરના રૂપ-સૌદર્યથી પણ ગણધરનું રૂપ અધિક હોય છે, અને તેથી ચઢિયાતું રૂપ શ્રીતીર્થંકર પ્રભુનું હોય છે. ૧. આ સૂરિજીના ચરિત્ર માટે માસ્તર મંગલદાસ મનસુખરામની છપાવેલી કમપ્રકૃતિની મેં લખેલી પ્રસ્તાવના જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy