SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) પ૯ દેશનાના ગુણ તથા ગણધરના જ્ઞાનનું સ્વરૂપ વગેરે હકીકતે વિસ્તારથી સમજાવીને સમવસરણનું વર્ણન પૂરું કર્યું છે. પ્રભુશ્રી મહાવીર દેવના ૧૧ ગણધરનું સંક્ષિપ્ત વર્ણન અહીં શરૂઆતમાં શ્રી ઇંદ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણનું આગમન (આવવું), . અને તેમના અનુક્રમે (૧) જીવ છે કે નહિ? (૨) કમ છે કે નહિ? (૩) જે દેહ તે જ આત્મા, અને જે આત્મા તે જ શરીર છે. બંને જુદા જુદા નથી, (૪) પાંચ ભૂત (પૃથ્વી, જલ વગેરે) છે કે નહીં, (૫) જે જીવ આ ભવમાં જેવો (મનુષ્યાદિમાં કોઈ પણ સ્વરૂપે) હોય, તે જીવ મરીને પરભવમાં (હવે પછીના ભાવમાં) તે જ થાય. (૬) કર્મબંધને સંશય, (૭) દેવને સંયશ (૮) નારકને સંશય, (૯) પુષ્યને સંશય, (૧૦) પાકને સંશય, (૧૧) નિર્વાણનો સંયશ, આ રીતે અનુક્રમે ઇંદ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણના સંશો જણાવીને તે દરેક બ્રાહ્મણ પંડિતોના શિષ્યોને પરિવાર, અને ઇંદ્રભૂતિને થયેલ ક્રોધ અને માનનું વર્ણન, તથા તેમણે માનેલા વેદ પદોના અર્થો ખોટા સાબિત કરી પ્રભુએ કહેલા સાચા અર્થ સમજીને તેમણે સ્વીકારેલ દીક્ષાનું વર્ણન વગેરે હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી તે ૧૧ બ્રાહ્મણના (૧) ગ્રામ (જન્મભૂમિ) (૨) જન્મનક્ષત્ર, (૩) માતાપિતાનાં નામ, (૪) ગોત્ર, (૫) જન્મરાશિ, (૬) ગૃહસ્થ પર્યાય, (૭) છદ્મસ્થપર્યાય, (૮) કેલિપર્યાય, (૯) સયુષ્ય (૧૦) આગમ એટલે જ્ઞાન, (૧૧) મોક્ષે જવાના અવસરે કરેલ તપ (અનશન), વગેરેની બીના સ્પષ્ટ સમજાવી છે. આ અવસરે શ્રીઆવશ્યકત્ર, વિવિધ તીર્થક૫, પ્રાકૃત સંસ્કૃત મહાવીર ચરિત્ર વગેરે ઘણાં શાસ્ત્રોમાંથી ઉદ્ધરીને મહાપ્રયને તૈયાર કરેલ અપૂર્વ આત્મિક બેધદાયક શ્રીગૌતમ ગણધરાદિનું ચરિત્ર ટૂંકામાં આ પ્રમાણે જાણવું. ૧. લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામી પૂર્વ ભવને સંબંધ ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરદેવ પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે ૧૮ મા ભવમાં ત્રિપૃષ્ટ નામના વાસુદેવ થયા હતા. અને મથુરા નગરીમાં મુનિરાજની મશકરી કરવાથી બાંધેલ કર્મોના ઉદયે ઘણા ભોમાં ભટક્યા બાદ, તે વિશાખાનંદી કુમાર સિંહપણે ઉત્પન્ન થયા હતા. અને ગૌતમ મહારાજને જીવ એ ત્રિપુષ્ટ વાસુદેવના સારથિપણે ઉત્પન્ન થયો હતો. તે સિંહ (વિશાખાનંદીને જીવ) અનેક માનવોને ઉપદ્રવ કરતો હતો, એટલે સારથિ (ગૌતમ સ્વામીના જીવ) ને સાથે લઈને ત્રિપૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy