SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન પ્રવચન કિરણુવલી (શ્રતિ આવશ્યક સૂત્રને સંક્ષિપ્ત પરિચય) ૫o જ ખુશી થયો. દેવાદિ પણ હર્ષથી નાચવા લાગ્યા. રેવતી કાલધર્મ પામી બારમા દેવલોકે ગઈ ત્યાંથી ચ્યવી તે રેવતીના જીવ આવતી વીશીમાં આઠમા શ્રી ચંદ્રપ્રભસ્વામીની જેવો સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે. ગ્રંથ વધી ન જાય આ ઇરાદાથી ઉપરની બીના ઘણી જ સંક્ષેપમાં જણાવી છે. શ્રી સંવેગમાલા આદિમાં તીર્થકર નામકર્મ બાંધવાનાં કારણે સવિસ્તર જણવ્યાં છે. પ્રભુ શ્રી મહાવીર દેવે પાછલા ત્રીજે ભવે જિનનામકર્મના કરેલા નિકાચિત બંધને વર્ણવવાના પ્રસંગે શ્રીસ્થાનાંગ સૂત્રાદિના આધારે અને શ્રીપંચસંગ્રહાદિ કાર્મગ્રંથિક ગ્રંથોના આધારે ખાસ જરૂરી અને યાદ રાખવા લાયક જિનનામકર્મનું રહસ્ય ટૂંકામાં જણાવ્યું. આ રીતે શ્રીનંદન મુનિવર જિનનામકર્મનો નિકાચિત બંધ કરીને અને ઘણું માસક્ષમણ તપ કરવા પૂર્વક નિર્મલ સંયમાદિની સાવિકી આરાધના કરીને અંતે સમાધિભાવે કાલધર્મ પામી દશમા પ્રાણત દેવલોકમાં ઉત્કૃષ્ટ (૨૦ સાગરોપમ) આયુષ્યવાળા મહદ્ધિક દેવ થયા. અહીંથી ૩વીને અષાડ સુદ છઠે દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિમાં આવ્યા. આસો વદ તેરશે સૌધર્મેદ્રના હુકમથી હરિમેષિ દેવે ત્રિશલા માતાની કુક્ષિમાં સ્થાપન કર્યા. અને ત્રિશલાના પુત્રી રૂપે ગર્ભને દેવાનાની કુક્ષિમાં સ્થાપન કર્યો. આમ થવામાં કર્મ સિવાય બીજું કંઈ કારણ છે જ નહીં. દેવાનંદા અને ત્રિશલા પાછલા ભવે દેરાણી-જેઠાણી હતાં. તે વખતે દેરાણીએ (દેવાનંદાના છે) જેઠાણુને (ત્રિશલાના જીવન) રનનો દાબડ ચોર્યો. તેથી બાંધેલાં કર્મોનાં ફલો દેવાનંદાને ભેગવવાં પડયાં, એમ એક સજઝાયમાં કહ્યું છે. ' આની પછી ત્રિશલા માતાએ ચૌદ સ્વને જોયા, પ્રભુ મહાવીરે ગર્ભવાસના સાતમે મહિને માતાપિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહીં આવો અભિગ્રહ કર્યો. પ્રભુવીરને જન્મ ચૈત્ર સુદ તેરસે થયો, તે વખતે ઘરેણાં વગેરેની વૃષ્ટિ થઈ, ઇંદ્રાદિકે પ્રભુનો જન્મસવ કરી પ્રભુને ત્રિશલા માતાની પાસે મૂક્યા, આ બધી બીના વિસ્તારથી સમજાવીને અનુક્રમે આમલકી કીડા અને લેખ શાલાનું તથા છે કે પ્રભુને પંડિતના મનમાં રહેલા પ્રશ્નો પૂછયા, ને પ્રભુએ ઉત્તરે આયા, તે વખતના અંદ્ર વ્યાકરણનું વર્ણન કરીને પ્રભુવીરના વિવાહાદિની બીના કહી છે. પછી દીક્ષા અધિકારી વર્ણવતાં અનુક્રમે લોકાંતિક દેવોનું આવવું, સાંવત્સરિક દાન, અને ચંદ્રપ્રભા નામની પાલખીનું સ્વરૂપ.. તથા તેમાં નાનાદિ વિધિ કરી અલંકૃત થયેલા શુભ લેશ્યાવંત પ્રભુ મહાવીર ચલિ. હાર છઠ્ઠ તપ કરી બેઠા, તે વાત જણાવીને કહ્યું કે જ્યારે દીક્ષા મહોત્સવનો વરઘોડો વયમંડ નગરમાંથી નીકળ્યો, ત્યારે કેટલાએક ઇદ્રો ચામર વીંઝી રહ્યા છે, કેટલાએક ઇંદ્રાદિ પાલખી ઉપાડે છે, દેવે ફૂલાની વૃષ્ટિ કરી રહ્યા છે, જતા આવતા દેવાદિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy