SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત સાથે એક દેવ પરીક્ષા કરવા સાધુનું રૂપ લઈ સુલસાને ઘેર આવ્યો, અજાણી સુલસાએ આ મુનિ છે એમ જાણું વંદના કરી પૂછયું કે આપ કયા કારણે પધાર્યા છો ? સાધુએ (વે) કહ્યું કે મારે વૈદ્યના કહ્યા પ્રમાણે લક્ષપાક તેલની જરૂર છે. અને તે તમારે ત્યાં છે. એ સાંભળી સુલસાએ કહ્યું કે, “હું આપું છું ? એમ કહી જેમાં તેલ ભર્યું છે તે વાસણ નીચે લાવે છે. એટલામાં દેવતાઈ પ્રયોગથી વાસણ ફૂટયું. બીજી વાર પણ વાસણ ઉતારતાં દેવે તેમ કર્યું, એમ ત્રણ વાર તેમ થયું છતાં સુલતાને દાનધર્મમાં ઉત્સાહ અડગ રહ્યો જાણી પ્રશંસા કરી દેવે ૩ર ગળીઓ સુલસાને આપી, અને કહ્યું કે, “અવસરે એકેક ગોળી વાપરવાથી તને કર પુત્રો થશે. અગત્યના કારણે મને યાદ કરજે, જેથી હું મદદ કરીશ.” એમ કહી દેવ સ્વસ્થાને ગયો. ત્યાર બાદ સુલતાએ વિચાર્યું કે– બત્રીશે ગોળીઓ એકીસાથે ખાઉં તો એક પુત્ર થશે. એમ ધારી એકસાથે બત્રીસે ગોળીઓ ખાધી, જેથી બત્રીસે ગર્ભ (ના છેવો) વધવા માંડયા, પીડા વિશેષ થતાં દેવની આરાધના નિમિત્તે કાઉસ્સગ્ન કર્યો. દેવે આવી પીડા દૂર કરી. ૩૨ પુત્રો જમ્યા. પ્રભુ શ્રી મહાવીરદેવે અંબડની મારફત આ સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવ્યો હતો. તે આવતી ચેવશીમાં શ્રી શીતલનાથની જેવા નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે. વિશેષ બીના ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથોમાંથી જાણી લેવી. ૯. રેવતી શ્રાવિકા--પ્રભુ શ્રી મહાવીર દેવ ગામાનુગામ વિચરતાં મેટિકગ્રામ નામના નગરમાં પધાર્યા. ત્યાં તેમને અધિક બળતરાની વેદનાવાળો પિત્તજ્વર અને લેહિતવર્ગ વ્યાધિ (મરડો) થયો. તેમાં મૂળ કારણ ગોશાલાએ પ્રભુની ઉપર તેજલેશ્યા મૂકી તે હતું. આ અવસરે લોકે એમ બોલવા લાગ્યા કે, ગોશાલની તેજલેશ્યાથી પ્રભનું શરીર દાઝયું, જેથી છ માસની અંદર પ્રભુ કાલધર્મ પામશે. આ બીના સાંભળી અનન્ય ભક્ત સિંહ મુનિએ વિચાર્યું કે ““મારા ધર્માચાર્ય મહાવીરને રોગ પીડા આપી રહ્યો છે, તેથી અન્ય ધર્મીઓ એમ કહેશે કે શ્રી મહાવીર, ગોશાલાએ તેજલેશ્યા મૂકી, તેથી કાલધર્મ પામ્યા. આવા ઇરાદાથી તે મુનિવર્ય મનમાં ઘણા જ નારાજ થઈ માલુકક૭ નામના વનમાં જઈ સદન કરવા લાગ્યા. પ્રભુએ સ્થવિરોને ત્યાં મોકલી તે મનિને બોલાવ્યા, ને કહ્યું કે “હે સિંહમુનિ ! જે તમે વિચાર્યું તેમ થવાનું નથી. યાદ રાખજો કે હજુ હું દેશેન સોળ વર્ષ સુધી કેવલીપણે વિચારીશ. તમે નગરમાં જાઓ. ત્યાં રેવતી શ્રાવિકાએ મારા માટે કેળાપાક તૈયાર કર્યો છે. તેની જરૂર નથી. પણ બીજોરાપાકની જરૂર છે, તે તમે લાવો ! >> સિંહમુનિ નગરમાં રેવતી શ્રાવિકાને ઘેર ગયા. બીજેપાકને ખપ જણાવ્યું, જેથી રેવતી શ્રાવિકાએ સ્વઆત્માને કતાથ માની દાનનાં પાંચ ભૂષણે સાચવી મુનિને ખપ પ્રમાણે તે વહોરા. મુનિશ્રીએ લાવીને પ્રભુને હાથમાં આપો. તે વાપરવાથી પ્રભુદેવ નીરોગી બન્યા. શ્રીસંઘે ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy