SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત ક્ષેત્રમાં પુંડરીકિશું નગરીમાં વજસેન રાજાના વજનાભ નામે પુત્ર થયા, ને ભરતચકી વગેરેના જીવો બાહુ સુબાહુ પીઠ અને મહાપીઠ થયા. અહીં વજનાભ દીક્ષાને આરાધી ચૌદ પૂવ થયા. અરિહંત પદ વગેરે વિશે સ્થાનકોને આરાધી તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ કર્યો. આ પ્રસંગે વીશ સ્થાનકનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીએ સંપૂર્ણ વીશે સ્થાનકેની આરાધના કરી જિન નામકર્મને નિકાચિત બંધ કર્યો અને વચલા બાવીશ તીર્થકરેએ એકાદિ સ્થાનકેની આરાધના કરીને જિન નામકર્મને નિકાચિત બંધ કર્યો. શ્રી ભરત બાહુબલિના જીવોએ (બાહુ સુબાહુ મુનિવરેએ) મુનિવરોના વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) વગેરે કરીને સર્વાથસિદ્ધ વિમાને દેવ થઈને અપૂર્વ ક્રિપણું અને બાહુબળ મેળવ્યું. પીઠમુનિ અને મહાપીઠમુનિ સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણું ભોગવીને માયા નિમિત્તે શ્રી ઋષભદેવના બ્રાહ્મી અને સુંદરી નામે પુત્રી થયાં. તેમ જ શ્રી વજાભ મુનીશ્વર (પ્રભુશ્રી ઋષભદેવના જીવ) નિર્મલ સંયમની સાત્તિવક આરાધના કરીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણું ભોગવીને અષાઢ વદ ચોથે વ્યા, એટલે મરૂદેવા માતાની કુક્ષિમાં પધાર્યા. આ તમામ બીના વિસ્તારથી સમજાવીને અનુક્રમે શ્રી ઋષભદેવના જન્મ, નામ, વૃદ્ધિ (મોટા થવું) વગેરે ૮ દ્વારનું વર્ણન કર્યું છે. તેમાં ચૈત્ર વદ આઠમે જન્મ અને જન્મોત્સવ, તથા દિકકુમારી દેવીઓનાં કૃત્યો તેમ જ પ્રભુના વંશની સ્થાપનાની બીના વગેરે વિસ્તારથી સમજાવ્યાં છે. પછી ઇન્ડે પ્રભુના અંગૂઠામાં કરેલ આહારની સંક્રાંતિ, (શ્રીતીર્થકર દેવ બાલ્યાવસ્થામાં સ્તનપાન કરતા નથી, મોંઢામાં રાખેલ અંગૂઠ ચૂસી તૃપ્ત થાય છે.) અને ઇ પ્રભુને શેલડીની ઈચ્છા થઈ છે, એમ જાણુંને ઈક્વાકુ વંશની સ્થાપના કરી તે બીના, તેમ જ સુનંદા અને સુમંગલા સાથે પ્રભુની વૃદ્ધિ (મોટા થવું) વગેરે હકીકત સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે બાલ્યાવસ્થામાં શ્રીષભદેવ જાતિસ્મરણ પાનવાળા અને મતિકૃત અવધિજ્ઞાનવાળા તથા શ્રેષ્ઠ કાંતિ અને બુદ્ધિ ગુણને ધારણ કરનારા હતા. પછી અનુક્રમે યુગલિક પુરુષનું અકાલે થયેલ મરણ અને નાભિ કુલકરે બચેલી કન્યાનો કરેલ સ્વીકાર તથા પ્રભુ ઋષભદેવને વિવાહેસવ, તેમ જ પ્રભુની ૬ લાખ પૂર્વ પ્રમાણ ઉંમર થયા બાદ ભરત ચક્રી વગેરેને થયેલ જન્મ વગેરેની બીના સ્પષ્ટ સમજાવીને ૪૯ યુગલના જન્મ વગેરેની હકીકત કહી છે. પછી કેટલાક કાળ વીત્યા બાદ થયેલ નીતિનું ઉલંઘન અને નાભિ કુલકરની પાસે યુલિયાઓએ કરેલી રાજાની માંગણી, તે સાંભળી નાભિ કુલકરે કહ્યું કે ઋષભકુમાર “તમારો રાજા થાઓ ? આ બીના તથા પ્રભુના જ્યાભિષેકનું વર્ણન, અધ્યા નગરીનું વસાવવું, તેમ જ આહારદ્રારાદિ ૪૦ દ્વારોનું વર્ણન વિસ્તારથી કર્યું છે, પછી કમસર અગ્નિની ઉત્પત્તિ, તેનાથી અનાજને પકાવવાની શરૂઆત, અને ૧૦૦ શિલ્પની બીના, કમદ્વાર વગેરે ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy