SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ શ્રીવિર્યપદ્યસૂરીશ્વરકૃત મળે, એમ શ્રીજિનશાસનમાં કહ્યું છે. અહીં તપ અને સંયમ બંને ક્રિયા સ્વરુપજ છે. એમ સમજવું અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનાક્ષપશમથી શ્રુતજ્ઞાન પ્રકટ થાય છે. તથા કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન પ્રકટ થાય છે. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ વગેરેને પ્રાપ્ત કરવાનો કર્મક્ષયના વિચારવાળો ક્રમ જણાવ્યા છે, પછી અનુક્રમે પાલા વગેરેના દષ્ટાંતો આપીને સામાયિક ગુણ પ્રાપ્ત થવાની બીના અને અનંતાનુબંધી કષાય વગેરેના ઉદયે સમ્યકત્વાદિ ગુણેમાંના કયા ગુણે પ્રાપ્ત ન થાય? ને કયા ગુણેને નુકસાન ન થાય? આ પ્રશ્નોના ઉત્તર, તથા સંજવલન કષાયના ઉદયે વ્રતાદિમાં લાગતા અતીચારોની બીના, તેમજ સંજવલન કષાય સિવાયના કષાયાના ઉદયે કયા કયા ગુણેને નાશ થાય? અને ૧૬ કષાયોમાંના કેટલા કક્ષાના ક્ષક્ષાપમાદિથી ચારિત્રાદિ ગુણેમાંના ક્યા ગુણે પ્રકટ થાય? આ પ્રશ્નોના ઉત્તરે વિસ્તારથી સમજાવ્યા છે, પછી અનુક્રમે ચારિત્રના પાંચ ભેદો, અને આચેલક્ય વગેરે ૧૦ પ્રકારના ક, તથા વિસ્તારથી પરિહાર વિશુદ્ધિ તપનું સ્વરૂપ, તેમ જ ઉપશમ શ્રેણિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવીને સૂક્ષ્મ સં૫રાયનું સ્વરૂપ અને કષાયને મહિમા, તથા કષાયને વિશ્વાસ કરે નહિ, આવી હિતશિક્ષા, તેમ જ ક્ષપક શ્રેણિનું સ્વરૂપ સ્પષ્ટ જણાવ્યું છે. તેમાં અંતે કહ્યું છે કે આઠમે નવમે દશમે ગુણસ્થાનકે સર્વથા મેહનો ક્ષય થાય, ને બારમા ગુણસ્થાનકના ઉપાંત્ય (છેલ્લા સમયની પહેલાંના) સમયે નિદ્રાદ્ધિક ક્ષય થાય, તથા છેલ્લા સમયે જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતિકર્મને ક્ષય થતાં નિશ્ચયનયના અભપ્રાયે બારમા ગુણસ્થાનકના છેલ્લા સમયે કેવલજ્ઞાન પામે, ને વ્યવહારનયના અભિપ્રાયે તેરમા સયોગી ગુણસ્થાનકના પહેલા સમયે કેવલજ્ઞાન પામે. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને અનુક્રમે પ્રવચનની ઉત્પત્તિની બીના, અને તેના એકાર્થિક શબ્દો, તથા વિભાગ તેમ જ નય વ્યાખ્યાદિ પ્રકારનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે, પછી અનુક્રમે પ્રવચનના સૂત્રના અને અનુગના એકાર્થિક શબ્દો તથા અનુયોગમાં નિક્ષેપાની બીના જણાવતાં ગાય વગેરેનાં છાતા. તેમ જ ભાવ નિક્ષેપાના વર્ણનમાં શ્રાવકની ભાર્યા વગેરેનાં દૃષ્ટાંત વિસ્તારથી વર્ણવ્યાં છે. પછી ભાષકાદિનું સ્વરૂપ જણાવતાં કાષ્ઠકર્માદિની ઉપમાનું વર્ણન અને વ્યાખ્યાનવિધિનું સ્વરૂપ સમજાવતાં ગાય વગેરેનાં પ્રતિપક્ષ (વિરેધી) દષ્ટાંતો સહિત છાત તથા શિષ્યના દોષ અને ગુણેનું વર્ણન સ્પષ્ટ સમજાવીને છેવટે શિષ્યની પરીક્ષા કઈ રીતે કરવી ? આ પ્રશ્નનો ઉત્તર શેલ વગેરેના દૃષ્ટાંતો આપીને વિસ્તારથી આપે છે, આ રીતે ઉપક્રમાદિ ૪ ની ટૂંક બાના પૂરી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy