SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત વિસ્તાર અવસરે કરવા વિચાર છે. આ રીતે શ્રવણવિધિનું રહસ્ય ટૂંકામાં જણાવ્યું. હવે અહીં અનુયોગ વિધિનું રહસ્ય જાણવનારી ગાથા આ પ્રમાણે જાણવી: सुत्तत्थो खलु पढमा बोओ निज्जुत्तिमोसिओ भणिओ ॥ तइओम निरवसेसा, एस विही हाइ अणुओंगे ॥१॥ સ્પષ્ટાર્થ – વ્યાખ્યાનકાર ગીતાર્થ મહાપુરુષોએ શિષ્યાદિને સૂત્રની વાચના રવાના અવસરે પહેલા સૂત્રને અર્થ સમજાવવો જોઈ એ. પછી તે કહેલા અર્થમાં નિયુક્તિને અર્થ ભેળવીને સૂત્રની વ્યાખ્યા સમજાવવી ને અંતે બાકીના તમામ અર્થ સમજાવવો. સૂત્રના વ્યાખ્યાન કરવામાં આ વિધિ જાણે. આ રીતે શ્રુતજ્ઞાનનો અધિકાર પૂરે કરીને અવધિજ્ઞાનનને અધિકાર શરૂ કર્યો છે. તેમાં કહ્યું છે કે અવધિજ્ઞાનના અસંખ્યતા ભેદ છે, અને સમ્યગ્દષ્ટિ દેવ નારકોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. પછી અનુક્રમે અવધિજ્ઞાન પ્રગટ થવાના પ્રસંગે ક્ષેત્રાદિની બીના અને અવધિ શબ્દના નિક્ષેપાનું સ્વરૂપ, તથા જઘન્યથી ને ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાને કરીને જાણવા લાયક ક્ષેત્રની બીના, તેમ જ ઔદારિક વગણા વગેરે ૭ વગણાનું સ્વરૂપ સમજાવ્યું છે. પછી ગુરુ દ્રવ્યોનું ને લઘુ દ્રવ્યનું તથા અગુરુલઘુ દ્રવ્યનું સ્વરૂપ કહીને દ્રવ્યાદિથી પરમાવધિનું સ્વરૂપ અને નારક તિર્યંચ દેવના અવધિજ્ઞાનનું સ્વરૂપ, તથા જન્ધન્યથી ને ઉત્કૃષ્ટથી પ્રતિપાતી અવધિજ્ઞાનનું ને અપ્રતિપાતી અવધિજ્ઞાનનું વર્ણન, તેમ જ અવધિજ્ઞાનના સ્તિબુક (પરપોટ) વગેરે આકારનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી કહ્યું છે કેસમકિતી ને અને સમકિતી નારક જીવોને અનુગામી અવધિજ્ઞાન જ હોય, પણ સમ્યગ્દષ્ટિ મનુષ્યોને અને સમ્યગ્દષ્ટિ તિર્યંચોને અનુગામી વગેરે (૬) છ ભેદે અવધિજ્ઞાન હોય છે. પછી સ્પર્ધકનું ને અવધિજ્ઞાનના છ ભેદોનું સ્વરૂપ કહીને જણાવ્યું છે કે અનુત્તર વિમાનવાસી દેવોને વિર્ભાગજ્ઞાન હોય જ નહિ. કારણકે તે દેવો નિશ્ચય કરીને સમ્યગ્દષ્ટિ હોય છે. પછી અનુક્રમે બાહ્યાવધિજ્ઞાનવાળા છાનું ને અત્યંતર અવધિજ્ઞાનવાળા નું સ્વરૂપ, તથા સંબદ્ધ અવધિજ્ઞાનનું તેમ જ અસંબદ્ધ અવધિજ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી આમણીષધિ વગેરે લબ્ધિઓનું, ને વાસુદેવ ચકવતીને તીર્થકરેના બલનું વર્ણન ક્રમસર કર્યું છે. પછી મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે સર્વથા પ્રમાદરહિત વિવિધ પ્રકારની દ્ધિ એટલે લબ્ધિઓને ધારણ કરનાર ચારિત્રવંત મહામુનીશ્વરને મન:પર્યાવજ્ઞાન હોય છે. આ બાબતમાં સાક્ષિપાઠ પણ આ રીતે જણાવ્યું છે, ___तं संजयस्स सम्बप्पमायहिस्स विविहरिद्धिमओ। આ અધી ગાથાને અથ ઉપર જણાવ્યો છે. પછી અનુક્રમે કેવલજ્ઞાનનું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy