SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત શ્રીતિલકસૂરિમહારાજે ૭૦૦૦ શ્ર્લાકપ્રમાણ ટીકા રચી હતી. તેમાં શ્રીનેમિનાથ પ્રભુનું ચરિત્ર વિસ્તારથી જણાવ્યુ` હતુ`, તથા શ્રીસુમતિસૂરિ મહારાજે માટી અને લધુ ટીકાના આધારે ૨૬૦૦ શ્ર્લાક પ્રમાણ ટીકા રચી હતી. બીજાં પણ દીપિકા વગેરે સાધના દશવૈકાલિકના અને સમજાવનારાં છે, તેમાં સમયસુંદરજીએ દીપિકા રચી છે. ૪૮૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં નિયુક્તિ વગેરે સાધનાની ટૂંક બીના (૧) આ શ્રીઉત્તરાધ્યયનસૂત્રનાં ૩૬ અધ્યયના છે, તેનું પ્રમાણ ૨૦૦૦ શ્ર્લાકા કહ્યા છે. (૨) શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે ૬૦૭ ગાથામાં ૭૦૦ શ્લાક પ્રમાણ નિયુક્તિની રચના કરી. તે છપાઈ છે. (૩) ગાવાલય મહત્તરના શિષ્યે પ૦૦ શ્ર્લાકપ્રમાણ સૃણિ ની રચના કરી. બીજા ગ્રંથામાં આ ચૂ`િનું પ્રમાણ ૫૮૫૦ શ્લોકા છે એમ કહ્યું છે. (૪) શ્રીમિચ`દ્રસૂરિ મહારાજે વિ૰ સ૦ ૧૧૨૯ માં ૧૪૦૦૦ શ્લાક પ્રમાણ ટીકા ૧૮૦૦૦ શ્લેાકાના પ્રમાણવાળી મેાટી ટીકાના આધારે રચી, તેનું સુએાધા નામ છે. શ્રીનેમિચંદ્રસૂરિનું સૂરિપદ થયા પહેલાનું ‘શ્રીદેવેન્દ્રગણી ” નામ હતું. આચાર્ય પદવી દેતાં ખાસ કારણે પહેલાંનું નામ અદ્દલી શકાય, એવા પ્રાચીન વ્યવહાર છે. (૫) વાદિવેતાલ શ્રીશાંતિસૂરિ મહારાજે ૧૮૦૦૦ શ્ર્લાક પ્રમાણ સુમિશ્ર મેઢી ટીકા બનાવી, તેમાં કથાનક વગેરેમાં પ્રાકૃત રચના વધારે છે, તેથી ‘ પાયટીકા' અથવા પાઇયટીકા કહેવાય છે. આના આધારે જ શ્રી નેમિચદ્રસૂરિએ સુબાધા નામની ૧૪૦૦૦ શ્લાક પ્રમાણ નાની ટીકા, તથા બીજાઓએ દીપિકા, અવસૂરિ વગેરેની રચના કરી છે. એમ ઐતિહાસિક ગ્ર'થાદિમાં જણાવ્યું છે. (૬) શ્રી ભાવિજયજીએ Àાકદ્ધ ટીકા બનાવી છે. તે છુપાઈ છે. (૭) ખરતરગીય શ્રી કમલસયમે કમલસયમી નામની ટીકા અનાવી. (૮) તથા શ્રી લક્ષ્મીવલ્લભે લક્ષ્મીવલ્લભી' નામે ટીકા રચી, તે અને ટીકા છપાઈ છે, આ રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નિયુકિત વગેરેની બીના જાણવી. ' શ્રી આધુનિયુક્તિની ટીકા વગેરે સાધનેાની ટૂંકી બીના ૧. આઘનિયુક્તિ—(૧) મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૧૬૪ ગાથાઓ છે. (૨) આના અને સમજાવનારી ણિ હતી, પણ તે હાલ મળી શકતી નથી. (૩) આનું ૩૦૦૦ શ્ર્લાક પ્રમાણ ભાષ્ય હતું, તે પણ મળી શકતું નથી. (૪) શ્રી દ્રોણાચાર્ય મહારાજે ૬૮૨૫ શ્લાક પ્રમાણ ટીકા મનાવી છે, તે છપાઈ છે, (૫) શ્રી મલયગિરિજી મહારાજે ૮૮૫૦ શ્લાક પ્રમાણ સૂમિશ્ર વૃત્તિ રચી હતી, પણ હાલ તે મળી શકતી નથી. શ્રી દશવૈકાલિકસૂત્રના બે ઉદ્દેશાવાળા પાંચમા અધ્યયનની જે નિયુક્તિ તે જ પિંડનિયુક્તિ નામે સુપ્રસિદ્ધ છે, તેથી તે દશવૈકાલિક નિયુક્તિમાં જ ગણવી વાજબી છે. દશવૈકાલિકનાં બીજા હું અધ્યયનાની નિયુÖકિતનું પ્રમાણ નાનું છે. ને આ પાંચમા અધ્યયનની નિયુક્તિની ૭૦૮ ગાથાઓ હોવાથી પ્રમાણમાં તે માટી નિયુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy