SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત છે. તેમાં મુદ્દો એ છે કે પ્રબલ પુદ પ્રવ્રજ્યાને પામેલા મુનિવરેએ પહેલાં છ છવનિકાયને જરૂર ઓળખવા જોઈએ, કારણ કે છ જવનિકાયને જાણ્યા પછી જ તેની રક્ષા થઈ શકે. માટે મુનિધર્મની સંપૂર્ણ બીના આચારાંગમાં ગણધર ભગવતે જણાવી. એ બીના જાણીને મુનિવરે શ્રમણધર્મની સાધના કરવા પૂર્વક દ્રવ્યાનુયેગાદિની બીના જાણે, બીજાને જણાવે, ને પોતાના અને પરના ઉદ્ધારક થાય. આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને શ્રી આચારાંગની પછી શ્રી સૂત્રકૃતાંગ વગેરે સૂત્રોની જે ગોઠવણી કરી છે તે કારણસર જ છે. પ્રભુ શ્રીતીર્થંકરદેવ અર્થની દેશના આપે છે, ને તેને અનુસારે ગણધર સૂત્રની રચના કરે છે. આ બાબતને સ્પષ્ટ સમજાવવાની ઉદાર ભાવનાવાળા ચૌદ પૂવી શ્રીર ભદ્રબાહુ સ્વામિજીએ શ્રીઆવશ્યક નિર્યુક્તિમાં બે ગાથા જણાવી છે, તે આ પ્રમાણે– तवनियमनाणरुक्खं. आरूढो केवली ममियनाणी ॥ तो मुयह नाणहि भवियनणविवोहणट्टाए ॥८६॥ तं बुद्धिमएण 'पडे-ण' गणहरा गिहिर निरवसेसं ॥ तित्थयरभासियाई-गंथंति तमो वयणा ॥१०॥ અર્થ-કેઈ માણસ આંબાના ઝાડની ઉપર ચઢીને પોપકાર કરવાની ઈચ્છાથી કેરીઓ તોડીને નીચે ઊભેલા માણસને આપે, ત્યારે તે મનુષ્ય પોતાના વસ્ત્રમાં કેરીઓ લઈને પોતે પણ ખાય છે, ને બીજાને પણ ખાવા આપે છે. તેમ પરોપકાર કરવાની તીવ્ર ભાવનાવાળા કેવલી શ્રી તીર્થંકરદેવ તપ નિયમ અને જ્ઞાનરૂપી ઝાડની ઉપર ચઢીને ભવ્ય જીવોને પ્રતિબાધ કરવા આગમના અર્થને કહેવા રૂ૫ અર્થની વૃષ્ટિ કરે છે, તેને ગણધરે બીજબુદ્ધિ વગેરે રૂપી વસ્ત્રની અંદર ઝીલી લે છે, અને તે અર્થની ઉત્તમ સૂત્રરૂપે ગૂંથણ કરે છે. આ સૂત્રરચના કેરીની જેમ પિતાના અને પરના કાર્યને સધાવનારી થાય છે. વળી જેમ માળી ઝાડ ઉપરથી ફૂલોને લઈને માલા બનાવે, તેમ પૂજ્ય શ્રીગણધર ભગવતો અર્થરૂપ ફૂલેની સૂત્રરચના રૂપ માલા બનાવે છે, તથા માલારૂપે ગોઠવવાથી જેમ મોતીનું સંરક્ષણ થાય, તેમ સૂત્રરચનાથી અર્થનું સંરક્ષણ થાય છે. અહીં શ્રી તીર્થકર દેવે કહેલાં જે ઉત્તમ વચનો તે ફૂલની જેવાં જાણવાં. પ્રવચન એટલે શ્રીસંઘના કલ્યાણને માટે ગણધરો જે સૂત્રરચના કરે છે તેનાં ૬ કારણે આ પ્રમાણે જાણવાં– ૨. શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે ૪૫ વર્ષો ગૃહસ્થ પણ માં વીત્યા બાદ દીક્ષા લીધી. પછી ૧૭ વર્ષના દીક્ષા પર્યાયે યુગપ્રધાન થયા, ને ૧૪ વર્ષ સુધી યુગપ્રધાન પદવીમાં રહ્યા. તેઓ શ્રી યશોભદ્રસૂરિના પહેલા પટ્ટધર હતા. શ્રી યૂલિભદ્રજી તેમની પાસે દશ પૂર્વે ભણયા હતા. શ્રી સંભૂતિવિજય તેમના ગુરૂભાઈ થાય. ને સ્થૂલિભદ્રજીને તેઓ કાકા ગુરૂ થાય. છ શ્રુતકેવલીમાં શ્રી ભદ્રબાહુસ્વામીને પણ ગણ્યા છે. તેમણે શ્રી આવશ્યક સૂત્રો વગેરે દશ સૂત્રોની નિયુક્તિ, ઉપસર્ગહરસ્તોત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ભદ્રબાહુસંહિતા, તીર્થયાત્રા પ્રબંધ વગેરે ગ્રંથ બનાવ્યા છે. ૭૬ વર્ષનું સર્વાયુ પૂર્ણ થતાં સ્વર્ગે પધાર્યા. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy