SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવેલી ૭ શ્રી ઉપાસકદશાંગ સૂત્ર. ૮ અંતકૃદશાંગ સૂત્ર. ૯ અનુત્તરપપાતિક સૂત્ર. ૧૦ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. ૧૧ વિપાક સૂત્ર. ૧૨ દૃષ્ટિવાદસૂત્ર. આ મૂલ સૂત્રોનાં નામ જાણવાં. નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અને ટીકા એ ચાર શાસ્ત્રો અનુક્રમે મૂલ સૂત્રના અર્થને વધારે વધારે સમજાવે છે. માટે ૧ સૂત્ર, ર નિર્યુક્તિ, ૩ ભાષ્ય, ૪ ચૂર્ણિ, ૫ ટીકા આ રીતે આગની પંચાંગી કહેવાય છે. તે પંચાંગીનું ખરૂં રહસ્ય એ છે કે-પ્રભુ શ્રી તીર્થકર દે પોતાના અને ગણધરના આચારને અનુસરીને, જ્યારે ગણધર ખમાસમણું દઈને પૂછે કે– મથવું તત્ત ! એટલે હે ભગવંત તત્તવને કહે ! તેના જવાબમાં પ્રભુએ કહ્યું કે-“HIT વા? પદાર્થોને પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ નામનો પણ ધર્મ છે. પછી બીજું તથા ત્રીજું ખમાસમણું દઈ ગણધર પૂર્વની માફક કમસર પ્રભુને પૂછે છે. ત્યારે જવાબમાં પણ પ્રભુદેવ અનુક્રમે જણાવે છે કે- “ વિષે ” અને “ ૬ વા” એટલે પર્યાયની અપેક્ષાએ પદાર્થોને નાશ પામવા રૂપ પણ ધર્મ છે, ને દ્રવ્યની અપેક્ષાએ પદાર્થો ધ્રુવ (સ્થિર રહેનાર) છે. આ રીતે જણાવવાનો મુદ્દો એ છે કે જે પદાર્થ સત છે તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય (ઉત્પાદ અને નાશ ધર્મથી રહિતપણું એટલે જે ફેરફાર ન પામે તે ધ્રુવ કહેવાય) આ ત્રણ ધર્મો જરૂર રહે છે. જેમાં એ ત્રણ ધર્મો ન રહે તે આકાશ-પુષ્પની માફક અસત (સત નહિ) કહેવાય. આ બાબતમાં સેનાનું દષ્ટાંત સમજવા જેવું છે. તે ટૂંકામાં આ પ્રમાણે-એક સેનાની લગડી છે. તેમાંથી કઈ માણસ સોનીની પાસે કંઠી બનાવરાવે. કેટલોક ટાઈમ તેણે તે કંઠી ઉપયોગમાં લીધી. અવસરે તેને કડાની જરૂરિયાત જણાઈ, તેથી તેણે કઠી ભંગાવીને કડા બનાવરાવ્યા. અહીં પહેલા લગડીને પર્યાય (અવસ્થા-આકાર) નાશ પામ્યો, ને કંઠીને પર્યાય ઉત્પન્ન થયો. અને પછી કંઠીની જરૂર ન હોવાથી તેમાંથી જ્યારે કડા બનાવરાવ્યા, ત્યારે કંઠી પર્યાયને નાશ થયો, ને કડા પર્યાયની ઉત્પત્તિ થઈ. આ ત્રણે અવસ્થામાં (સેનાની લગડી-કંઠી-કડ અવસ્થામાં) પૂર્વ પર્યાયન (લગડી વગેરેના આકારના) નાશ, અને નવા પર્યાય (કંઠીના અને કડાના આકાર) ની ઉત્પત્તિ થઈ, તે છતાં સોનું તો તેનું તેજ કાયમ રહ્યું. આ રીતે મૂલ પદાર્થનું જે કાયમ રહેવું તે ધ્રૌવ્ય કહેવાય. જેમ સેનામાં ત્રણે ધર્મો ઘટાવ્યા, તેમ તમામ સત એટલે વિદ્યમાન પદાર્થોમાં તે ત્રણે ધર્મો સમજીને ઘટાવવા. આ રીતે પ્રભુએ જણાવેલી ત્રિપદીનું રહસ્ય ઢંકામાં સમજાવ્યું. બીજ બુદ્ધિવાળા શ્રી ગણધરે એ ત્રિપદીના અર્થને અનુસાર પહેલાં ચૌદ પૂર્વોની અને પછી શ્રી આચારાંગાદિ બાર અંગેની રચના કરે છે. પહેલાં જે રચાય તે પૂર્વ કહેવાય. આ મુદ્દાથી શ્રી ઉત્પાદ પૂર્વાદિ ૧૪ મહાસૂત્ર પૂર્વ નામથી ઓળખાય છે. પરંતુ સ્થાપના એટલે અંગાની ગોઠવણીની અપેક્ષાએ પહેલું શ્રી આચારાંગ જણાવ્યું ૧ જે બુદ્ધિ વડે પહેલાં નહિ સાંભળેલા પદાર્થોના સ્વરૂપના એક અંશ (ભાગ) રૂપ બીજને સાંભળી સંપૂર્ણ સ્વરૂપ જાણી શકાય, તે બીજબુદ્ધિ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy