SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] શ્રીવિજયપદ્ધસૂરીશ્વરકૃત યાત્રાળુઓને તે તીથ ના અધિષ્ઠાયક દેવ સાચે રસ્તે દોરે છે, યાત્રાળુઓનું અનિષ્ટ ચિતવનારાને ચમત્કાર દેખાડવા પૂર્વક સુધારે છે, વિઘો દૂર કરી ઈષ્ટ કાર્યોને હોંશથી સાધવામાં મદદ કરે છે. તથા કૃષ્ણ વાસુદેવ વગેરેના ઉપ આ શ્રી પાર્શ્વનાથના ધ્યાનાદિથી નાશ પામ્યા છે. આવા મહાચમકારી પ્રભુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ યંગ અને ક્ષેમના કરનારા છે. એટલે જે ભવ્ય જીવો સમ્યગ્દર્શન વગેરે ગુણે નથી પામ્યા એમને તે ગુણે પમાડે છે, અને જે ભવ્ય છે તે ગુણ પામેલા છે, તેમને તે ગુણેના રક્ષણાદિ કરવાનાં સાધનોને ઉપદેશ કરે છે. અહીં યોગ અને ક્ષેમને અર્થ ઢંકામાં આ પ્રમાણે જાણવો-“જાતજ્ઞાનાવીના બાપ યોજ: નહિ પામેલા જ્ઞાનાદિને ઉપદેશ દઈને પમાડે તે યોગ કહેવાય. અને “ઝાતાનવિરારાચં : ” જેમણે જ્ઞાનાદિ ગુણે મેળવેલા છે, તેમને જ્ઞાનાદિ ગુણોના રક્ષણાદિને અનુકૂલ ઉપદેશ દેવો, તે શ્રેમ કહેવાય. આવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને આ ગ્રંથની રચના કરું છું. એમ આગળ ત્રીજા શ્લોકમાં આ પહેલા શ્લોકનો સંબંધ છે. તથા સંભવ પ્રમાણે પંચાંગી સહિત સર્વ શ્રી જેનેજ પ્રવચનોને બોધ કરાવનારા પરમોપકારી અને જેમના પસાયથી મેં પરમ ઉલ્લાસથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સહિત નિર્મલ ચારિત્રની આરાધના કરી છે, ને હાલ પણ કરૂં છું; વળી જે ગુરૂ મહારાજ સંસારરૂપી સમુદ્રને તરવામાં વહાણ જેવા છે; તે સુગ્રહીત નામધેય પરમોપકારિ શિરોમણિ મારા આત્મદ્વારક, પૂજાપાદ, પ્રાતઃસ્મરણીય, આચાર્યવર્ય, પરમગુરૂ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ત્રિકરણ વાગે વંદના કરીને આ શ્રી પ્રવચન કિરણાવલી નામના ગ્રંથની રચના કરું છું. શ્રી તીર્થંકર દેવોએ કહેલા અને શ્રી ગણધર ભગવંતોએ ગુંથેલા શ્રી આગામોના સંક્ષિપ્ત બાધ (ટૂંક પરિચય)નું કારણ આ ગ્રંથ છે. તેમજ આ ગ્રંથ શ્રી આચારાંગાદિ સૂત્રોને સાંભળવાની, ને લાયક સાધુઓને ભણવાની રૂચિ પેદા કરાવનાર છે. અહીં ૧. જેના પ્રવચનના રાગી ભવ્ય જીવો અધિકારી જાણવા ૨પ્રવચનેના ટૂંક પરિચયનો બાધ એ આ ગ્રંથનું પ્રયોજન જાણવું. ૩. પ્રવચનને ટૂંક પરિચય અભિધેય, ૪. વાચ્ય (અર્થ) વાચક (ગ્રંથ) ભાવ અથવા ગુરૂ પર્વકમ લક્ષણ સંબંધ જાણ. એમ ત્રીજા સ્લેકમાં અધિકારી વગેરે ચારે અનુબંધ જણાવ્યા છે. ૧-૨-૩, હવે ગ્રંથકાર ૧૨ અંગ સૂત્રોનાં નામ બે શ્લોકમાં જણાવે છે – आयारंग पढम, सूयगडंग तहेव ठाणंग ॥ समवायंग विवाह-प्पण्णत्ती नायधम्मकहा ।। ४ ।। तह प्रोवासगदसगं-तगडाणुत्तरुववाइयवसाओ । पण्हावागरणं तहा, विवागसुय दिट्टिवाया य ॥५॥ સ્પષ્ટાર્થ–૧. શ્રી આચારાંગ સૂત્ર. ૨. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર. ૩. શ્રીસ્થાનાંગસૂત્ર ૪. શ્રી સમવાયાંગસૂત્ર. ૫. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર. (ભગવતી સૂત્ર) ૬. શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy