SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પયન્નાનેા સક્ષિપ્ત પરિચય ) ૪૬૫ સ્વામીજીનું ચરિત્ર કહ્યું છે. અવસરે એ પણ જણાવ્યું છે કે તેમાં શ્રુતમદથી શ્રીસ્થૂલિભદ્રજીએ સિંહનુ રૂપ કયુ અને પાટલિપુત્રમાં પાણીનું પૂર ફરી વળતાં બહુ જ નુકસાન થયું હતું. તથા શકરાજાનું શાસન કયારે શરૂ થયુ? આ પ્રશ્નના સ્પષ્ટ ઉત્તર અહીં ત્રણ ગાથાઓમાં (૬૨૦મી ગાથાથી ૬રર્ મી ગાથા સુધીની ત્રણ ગાથાઓમાં) આ પ્રમાણે જણાવ્યા છે-પાલકનાં ૬૦ વર્ષા, નંદરાજાઓનાં ૧૫૦ વર્ષી, મૌર્યવંશના રાજાઓનાં ૧૬૦ વર્ષા, પુષ્યમિત્રનાં ૩૫, મલમિત્ર ભાનુમિત્રનાં ૬૦ વર્ષોં, નભ:સેનનાં ૪૦ વર્ષા, અને ગભિલના રાજ્યકાલનાં ૧૦૦ વર્ષ પૂરાં થતાં શકરાજાનું શાસન શરૂ થયું, અને કલ્કીની ઉત્પત્તિની બાબતમાં ૬૩૫ મી ગાથામાં કહ્યું છે કે-જે આ વડનગર છે, એ (ચ) પાટલિપુત્ર નામે લેાકમાં પ્રસિદ્ધિ પામ્યુ છે. અહીં (થ) જેનું બીજુ નામ ચતુર્મુખ છે, તે કલ્કી રાજા થશે. આ ગાથામાં કહેલાં અને ડ્થ (અહીં ) પદ્મ ઉપરથી કેટલાક ઇતિહાસવેત્તાઓ કહે છે કે આ તીર્થંગારિક પ્રકી કની રચના અહી. પાટલીપુત્રમાં કદાચ થઇ હોય, એમ સભવે છે, તથા ૭૦૫મી ગાથામાં શકવશાહિના અંત થવાની મીના કહી, પણ મહાગુપ્ત વંશનું નામ જણાવ્યું નથી, તેથી તેમજ તેવા બીજા અનેક કારણાથી તેઓ અનુમાન કરે છે કે આની રચના કદાચ પાંચમા સૈકાની શરૂઆતમાં થઈ હોય. વળી આપણે હાલ સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદરવા મુદ્દે ચેાથે અને ચામાસી પ્રતિક્રમણ ચૌદશે કરીએ છીએ. તે મને પહેલાં અનુક્રમે પાંચમે અને પૂનમે કરતા હતા. આ ફેરફાર કાણે કઈ રીતે કઈ સાલમાં કર્યાં ? આ પ્રશ્નના સ્પષ્ટ ખુલાસે કરવા માટે શ્રાદ્ધવિધિ, સદેહવિષઔષધિ, પર્યુષણા દરારાતક વૃત્તિ, તત્વતર ંગિણીવૃત્તિ, વિચારામૃતસંગ્રહ, ચતુવિકૃતિપ્રમધ, દીવાલીકલ્પ, પ્રતિષ્ઠાનપુર્ કલ્પ વગેરે પ્રમાણભૂત ગ્રંથામાં આજ તિત્થા ગાલીપયન્નાની એ ગાથાઓની સાક્ષી આપીને તે તે ગ્રંથના બનાવનાર શ્રીરત્નશેખરસૂરિજી વગેરે પ્રમાણિક મહાપુરુષોએ જણાવ્યું છે કે “ શાલિવાહન રાજાએ શ્રીકાલિકાચા હારાજને પૂછ્યું કે હે ભગવન્! સવશ્કરી કચારે કરવાની છે? આ પ્રશ્નના જવામમાં તે શ્રીઆચાર્ય મહારાજે તે રાજાને કહ્યું કે ભાદરવા સુદ પાંચમે સંવચ્છરી ( સાંવત્સરિક પ્રતિક્રૃષ્ણ ) કરવાની છે. આ વચન સાંભળી શાલિવાહન રાજાએ કહ્યું કે પાંચમે ઇદ્રમહેાત્સવમાં હું વ્યગ્ર રહેવાના છું. તેથી પાંચમે સ’વચ્છરી કરી શકીશ નહી. માટે કૃપા કરીને આપશ્રીજી ઇન્ને (ભાળ્યુ૭૪) સવચ્છરી કરો, કાલિકાચાર્ય મહારાજે શાલિવાહન રાજાની એ વિનંતી સ્વીકારી નહીં. તે જણાવ્યુ કે ચૌ પૂર્વી યુગપ્રધાન શ્રીભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતકધમાં કહ્યું છે કે જો યુગપ્રધાનાદિ મહાપુરુષોને ખાસ કારણે સવચ્છરી પાંચમે ન થઇ શકે એવું જણાય, તા પાંચમની ( ભાદરવા સુદ પાંચમની) પહેલાં સવચ્છરી પ્રતિક્રમણ કરાય, પણ પાંચમની રાત્રીનું ઉલ્લંઘન તેા કરાય જ નહિ, એટલે ભાદરવા સુદ્ધિ છઠે સવઋરી પ્રતિક્રમણ ન થાય. જુઓ તે પાઠ આ પ્રમાણે છે:— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy