SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત અનુક્રમે સંલેખના કરવાનો વિધિ, રાગદ્વેષને જીતવાનો ઉપદેશ, પ્રમાદ ઉપાધિ આદિને તજવાની બીના અને અંત કાલે આત્માને ખરું આલંબન, મમતાદિ દોષોને તજવાનો તથા ભાવ શલ્યને દૂર કરવાનો ઉપદેશ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી પ્રત્યાખ્યાનની અને પંડિત મરણની બીના જણાવીને મહાવ્રતોને સાચવવાને અને ઉત્તમ અર્થે ( મોક્ષની) સિદ્ધિને ઉપદેશ આપ્યો છે. પછી અનુક્રમે અભ્યઘત મરણની બીના, શ્રીજિન વચનને મહિમા, સંવેગનું તથા પતાકા હરણનું તેમજ નિર્ધામક એટલે નિઝામણા કરાવનાર શ્રી આચાર્યાદિનું વર્ણન કર્યું છે પછી અનુક્રમે ક્ષામણાંની બીના અને શરીર આહાર ઉપધિ વગેરેને વોસિરાવવાની બીના તથા સંસ્મારકને (મરણકાલે સંથારાને) સ્વીકારવાની વિધિ, તેમજ અનશન કરનાર જીવને ગુરુએ ફરમાવેલી હિતશિક્ષાની હકીકત વિસ્તારથી સમજાવી છે. પછી ૧૭ ગાથાઓમાં અન્યત્વ ભાવનાનું અને અશુચિ ભાવનાનું તથા નરકાદિ ચાર ગતિના દુઃખેનું વર્ણન કરીને સમાધિ મરણથી આરાધક ભાવે આત્મહિતને કરનારા (૧) જિનધર્મ શેઠ, (૨) ચિલાતિપુત્ર, શાલિભદ્રના બનેવી ધન્યકુમાર, શાલિભદ્ર અને યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ, આ પાંચ પાંડવો વગેરેના દષ્ટાંતે જણાવ્યા છે. અંતે (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકવ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લેક સ્વભાવ ભાવના, (૧૧) બધિદુલંભતા ભાવના, (૧૨) ધર્મના સાધક (કરવા પૂર્વક ઉપદેશક ) શ્રી અરિહંત પ્રભુની ભાવના, (ધર્મ ભાવના ) આ બાર ભાવનાનું સુંદર સ્વરૂપ કહીને મોક્ષના વાસ્તવિક સ્થિર સ્વાધીન નિર્દોષ સુખનું વર્ણન કર્યું છે. આ રીતે દશમા શ્રી મરણ સમાધિ પ્રકીર્ણકનો ટૂંકામાં સાર જણાવ્યું. તે ખાસ મનન કરવા લાયક છે. તેથી આત્મા જરૂર નિર્મલ બને છે. આરાધનાના સ્વરૂપને જણાવનાર પૂર્વે કહેલા તમામ ગ્રંથોમાં કહેલી બીના કરતાં વધારે બીના વિસ્તારથી અહીં જણાવી છે. મરણ સમાધિ પ્રકીર્ણકને ટૂંક સાર પૂરો થયો. શ્રીમરણસમાધિ પ્રકીર્ણકને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં મંગલાચરણ અને અભિધેય (કહેવાની બીના) વગેરે કહીને શિષ્ય ગુણવંત આચાર્ય મહારાજને પૂછયું કે અભ્યઘતમરણનું સ્વરૂપ શું ? આ પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર દઈને આરાધનાને અનુસરતો ઉપદેશ આપે છે. પછી અનુક્રમે જ્ઞાનારાધના, દર્શના રાધના, ચારિત્રારાધના આ ત્રણ પ્રકારની આરાધનાનું કમસર સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy