SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત જેટલા સાગરોપમનું આયુષ્ય હૈય, તે દેવ તેટલા હજાર વર્ષો વીત્યા બાદ આહારની ઇરછા કરે, ને તેટલા પખવાડિયા વીત્યા બાદ ફરી શ્વાસ લઈને મૂકે. પછી વૈમાનિક દેવના અવધિજ્ઞાન વિષય જણાવીને કહ્યું છે કે નારક વગેરે છ અવધિજ્ઞાનથી અબાહ્ય કહેવાય છે. એટલે તેમાંના જે સમ્યગ્દષ્ટિ જીવો હોય, તેમને જ અવધિજ્ઞાન હોય છે પછી અનુક્રમે સૌધર્માદિ દેવલોકમાં પૃથ્વીની જાડાઈ, હિમાનાના વણ, અને દેવ દેવીઓની બીના, તથા પ્રસાદ તેમજ સિંહાસનાદિની બીના કહીને વૈમાનિકને અધિકાર પૂરે કર્યો છે. સિદ્ધના અધિકારમાં સર્વાર્થસિદ્ધ વિમાનથી સિદ્ધશિલાનું આંતરું, તેના આકાર જાડાઈ લંબાઈ વગેરે, અને સિદ્ધોનાં સ્થાન, પ્રતિવાતાદિ, સંસ્થાન, અવગાહના લક્ષણ, સ્પર્શના, જ્ઞાનાદિ અનુક્રમે જણાવીને સિદ્ધના સુખનું સ્વરૂપ સ્વેચ્છનું આંશિક દૃષ્ટાંત દઈને સમજાવ્યું છે. અંતે સિદ્ધના નામ અને અવ્યાબાધપણું જણાવીને સ્તુતિ કરનાર શ્રાવકે શ્રીઅરિહંતના વંદનને મહિમા કહેવા પૂર્વક માંગણી કરી છે કે હે પ્રભે! આપની સ્તુતિ કરવાના ફલરૂપે મને સિદ્ધિનાં સુખ મળે, એ જ મારી હાર્દિક ભાવના છે. ચારે નિકાયના દેવોના સંક્ષિપ્ત સ્વરૂપને જણાવનાર આ પત્નો છે. તેની સરલ પદ્ધતિ છેડા ટાઈમ તત્વ બેને દેનારી છે. આ રીતે આ દેવેન્દ્રસ્તવ પનાનો પરિચય ટૂંકમાં જાણવો. શ્રીદેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકને સંક્ષિપ્ત પરિચય પૂરો થયો. ૧૦. શ્રીમરણ સમાધિ પ્રકીર્ણકને સંક્ષિપ્ત સાર અહીં પણ અંત સમયે કરવા લાયક આરાધનાની બીના ૬૬૩ ગાથાઓમાં બહુ જ વિસ્તારથી કહી છે. (૧) મરણવિભકિત, (૨) મરણવિશેધિ, (૩) મરણસમાધિ, (૪) લેખનાશ્રત, (૫) ભકત પરિક્ષા, (૬) આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (૭) મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, (૮) આરાધના પ્રકીર્ણ. આ આઠ શ્રતગ્રંથો (શાસ્ત્રો ને સાર લઈને આ મરણ સમાધિ પ્રકણકની રચના શ્રી વીરભદ્રગિણિએ કરી છે. આ આઠ શાસ્ત્રોમાં ચતુ:શરણ પ્રકીર્ણક અને સંસ્મારક પ્રકીર્ણકનું નામ કહ્યું નથી, તેથી એમ સંભવે છે કે કદાચ તે બે પન્નાની રચના આ મરણસમાધિની રચના થયા પછી થઈ હોય, તથા આઠ શાસ્ત્રોમાં “મરણ સમાધિનું નામ જણાવ્યું છે, તેથી એ વિચાર પ્રકટે છે કે આરાધનાની હકીકતને જણાવનાર તે પ્રાચીન “મરણ સમાધિ' નામનું શાસ્ત્ર આ પાનાના રચનાર શ્રી વીરભદ્રગણિની પાસે હોવું જોઈએ, કે જેના આધારે આ વિદ્યામાન મરણસમાધિ પ્રકીર્ણકની રચના થઈ છે. જન્મ અને મરણની વ્યાપ્તિને વિચાર કરતાં સમજાય છે કે જે જમ્યો તે જીવ જરૂર મરણ પામે જ, પણ જે જીવ મરણ પામે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy